________________
૩૯૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા
અન્ય દાર્શનિક વસ્તુના એક જ અંગને પકડીને કેવી રીતે લડે છે અને એ લડાઈને જૈનદર્શન કેવી રીતે શાંત પાડે છે એ વાત એક પ્રસિદ્ધ ઉદાહરણદ્વારા સમજાવું છું – . કેટલાક આંધળાઓની સામે એક હાથી આવ્યો. એક આંધળો એ હાથી પાસે ગયો
અને હાથ ફેરવતાં તેના હાથમાં હાથીની પૂંછડી આવી, એટલે તે કહેવા લાગ્યો કે હાથી દેળી જેવો હોય છે. બીજાના હાથમાં હાથીના પગ આવ્યા, એટલે તે કહેવા લાગ્યો કે, હાથી દેળી જે તે નથી, હાથી તે થાંભલા જેવો હોય છે. ત્રીજાના હાથમાં હાથીનું પેટ આવ્યું, એટલે તે કહેવા લાગ્યું કે, તમે બન્ને બેટા છે, હાથી તે કોઠી જેવો હોય છે.
થાના હાથમાં હાથીની સૂંઢ આવી એટલે તે કહેવા લાગ્યો કે, તમે બધાં ખેટાં છે, હાથી તે ડગલાની બાંય જેવો હોય છે. પાંચમાના હાથમાં હાથીના કાન આવ્યા હતા, એટલે તે કહેવા લાગ્યો કે, હાથી તે સૂપડા જેવું હોય છે અને છટ્ટાના હાથમાં હાથીના દાંત આવ્યા હતા એટલે તે કહેતા હતા કે, હાથી તે સાંબેલા જેવો હોય છે. આ પ્રમાણે એ છ આંધળાઓ જુદું જુદું કહેતા હતા અને પરસ્પર લડતા હતા. એ આંધળાઓ હોવાથી હાથીનાં બધાં અંગેને જોઈ શકતા ન હતા અને તેથી હાથીના કેઈ એક અંગ પકડીને પરસ્પર લડતા હતા. . એટલામાં એક સત્ર પુરુષ આવ્યું. તેણે પૂછ્યું કે, ભાઈ તમે શા માટે લડે ? -જવાબમાં એક આંધળાએ કહ્યું કે, હાથી થાંભલા જેવો હોય છે છતાં આ એને દેળી જેવો કહે છે? ત્યારે બીજાએ કહ્યું કે, હાથી તે દળી જેવો હોય છે છતાં આ એને થાંભલા રવિ કહે છે. આ બન્નેનું કથન સાંભળી સનેત્ર પુરષ કહેવા લાગ્યો કે તમે બન્ને ઠીક કહે છો ? એટલામાં ત્રીજા આંધળાએ કહ્યું કે, હાથી તે કાઠી જેવો હોય છે, ચોથાએ કહ્યું કે, હાથી તે સૂપડા જેવો હોય છે, પાંચમાએ કહ્યું કે હાથી તે ડગલાની બાંય જેવો હોય છે આ પ્રમાણે બધા આંધળાઓએ પોતપોતાની માન્યતા કહી સંભળાવી અને સનેત્ર પુરુષ તમારી બધાની માન્યતા સારી છે એમ કહેતે ગયો. આંધળાઓ કહેવા લાગ્યા કે, તમે મોટું જોઈને બધાને હોજહા કરો છો અને બધાને સાચા છો એમ કહો છો, જે વાત પરસ્પર વિરુદ્ધ છે એવી વિરુદ્ધ વાતોને કહેનારાઓ સાચા કેમ હોઈ શકે ?
" સત્ર પુરુષે બધાને ઠંડા પાડતાં કહ્યું કે, તમે બધા વસ્તુના એક એક અંગને પકડીને જુઓ છે, સર્વગને પકડીને જોતા નથી. એક એક અંગથી હાથી બનતું નથી પરંતુ તમે લોકો જે એક અંગને પકડી કહે છે તે એક અંગ હાથીમાં તે છે. હાથીની પૂંછડી દળી જેવી હોય છે, તેના પગ થાંભલા જેવા હોય છે, સૂંઢ ડગલાની બાંય જેવી હોય છે, કાન સૂપડાં જેવાં હોય છે, પેટ કેઠી જેવું હોય છે અને દાંત સાંબેલા જેવાં હોય છે. આ પ્રમાણે તમે હાથીના એક એક અંગ પકડીને લડે છે પણ જો તમે બધા અંગે તપાસે તે કઈ પ્રકારની લડાઈ જ ન થાય. આ પ્રમાણે તે નેત્ર પુરુષે એ બધા અંધજનોની શંકાનું સમાધાન કર્યું.'
સમુદ્રમાં કઈ નદી જતી નથી ? સમુદ્રમાં બધી નદીઓ છે પણ સમુદ્ર કઈ પણ નદીમાં નથી. આ જ પ્રમાણે જેનધર્મમાં કઈ દષ્ટિ નથી? જેનધર્મમાં બધી દષ્ટિઓ છે અને તેથી જ જૈનદર્શન બધાના ઝઘડાઓને દૂર કરે છે પણ પિતે કોઈ ઝઘડામાં પડતું નથી. અનાથી મુનિ રાજા શ્રેણિકને જે કાંઈ કહી રહ્યા છે તેને પ્રત્યેક દૃષ્ટિએ જોવાની જરૂર છે. જેનદર્શન અનેકાન્તવાદી છે, એકાન્તવાદી નથી. એટલા માટે પ્રત્યેક વાતને અનેકાન્તની દષ્ટિએ જુઓ