SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ • ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ શ્રી અભિનંદન દુ:ખનિકન્દન, વંદન પૂજન ગજી; આશા પૂરો ને ચિન્તા ચૂરો, આપે! સુખ આરોગજી. [બીજા ભાદરવા આ પ્રાથનામાં પરમાત્મા દુઃખનિકન્દન છે એમ કહેવામાં આવ્યું છે પણ અત્રે પ્રશ્ન એ થાય છે કે, “ પરમાત્મા તે વીતરાગ છે તે પછી દુઃખનિકંદન કેવી રીતે છે ? વળી જો તેઓ આશા પૂરી કરે છે તેા પછી સંસારમાં ક્રાઈ-ધનને માટે, કાઈ સ્ત્રીને માટે, કોઈ પુત્રને માટે ઝૂરી રહ્યાં છે તે પરમાત્મા તેમની આશા પૂરી કરી તેમના દુઃખને શા માટે મટાડતા નથી! જો પરમાત્મા આશા પૂરી કરે તા તા દુઃખનિકંદન છે, નહિ તે તે ક્રમ કહેવાય ?” દુઃખનિકંદન આ પ્રશ્નના ઉત્તર એ છે કે, પ્રત્યેક વસ્તુને ઉપાદાન અને નિમિત્ત એ એ અંગાદ્વારા તપાસવી જોઈએ. જે સાચા ભક્ત છે તે લોકો નિમિત્તને બહુ ઊંચી દૃષ્ટિએ જુએ છે અને નિમિત્તને બહુ મહત્ત્વ આપે છે. જેમકે લેખકા કલમ ખડીયાને કેટલા બધા આદર કરે છે! તે ખડીયા ક્લમની અવજ્ઞા નહિ પણ પૂજા કરે છે. જે નિમિત્તદ્વારા પેાતાની આજીવિકા ચાલે છે તે જીવનવ્યવહારમાં પણ આધારભૂત મનાય છે. કાઈ વ્યાપારીના હજાર રૂપિયા ચાલ્યા જાય તેા તેને એટલું બધું દુઃખ નહિ થાય, જેટલું દુઃખ તેની ખાતાવહી ગૂમ થવાથી કે ખળી જવાથી થશે. ખાતાવહી જો કે કાગળની બનાવેલી સામાન્ય વસ્તુ છે પણ તે ખાતાવહી વ્યાપારીની આજીવિકાનું નિમિત્ત હાવાથી તે ખાતાવહીને તે વધારે કીંમતી માને છે. વ્યવહારના આ ઉદ્યહરણ પ્રમાણે ભક્ત લોકા પણ કહે છે કે, “ હે ! પ્રભો ! મને જે કાંઈ પ્રાપ્ત થયું છે, મને જે ગુણાની પ્રાપ્તિ થઈ છે અને મને જે સુખેા મળ્યાં છે એ બધાં તારી કૃપાને લીધે મળ્યાં છે. એ બધા તારા જ પ્રતાપ છે. ” 26 પણ પરાત્માના પ્રતાપ કેટલા બધા છે તે વિષે જેટલું કહેવા ચાહિએ તેટલું કહી શકાય, એ વાત હુ ચેાડામાં જ સમજાવું છું. “ સાતા વેદનીયને બંધ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્ત અનેદે ઉપર અનુકપા રાખવાથી થાય છે. ” ભક્તો કહે છે કે, “ હે ! પ્રભા ! સાતાવેનીયન મૂળ આધાર પણ તમે જ છે. મારામાં જે અનુકંપા પેદા થઈ છે તે આપની કૃપાથી જ પેદા થઈ છે. આપના પ્રતાપથી જ મારામાં એ બધાં સદ્ગુણ આવ્યાં છે. ” સૂર્ય ઉદયમાન થાય છે ત્યારે તે કાઈ તે હાથ પકડી કામે લગાવતા નથી, છતાં દ્વારા કામ સ્ત્રામાં કેટલી અધી સહાયતા મળે છે ? અને જો સૂર્યના ઉય ન થાય તે કેટલી બધી મુશ્કેલી પડે ? સૂર્યાધ્યથી જ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. આ જ પ્રમાણે પરમાત્મા કોઈના હાથ પકડી કાંઈ કરાવતા નથી, પરંતુ જે કાંઈ ષણ થાય છે તે તેની કૃપાથી જ ચાય છે, અને એ જ કારણે ભક્તો કહે છે કે, “ હે ! પ્રભા ! મારામાં જે સગુણા છે તે તારી કૃપાથી જ પ્રાપ્ત થયાં છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખ એ ત્રિવિધ દુઃખ તારી કૃપાથી જ મટે છે. આ પ્રમાણે સૂર્ય જે પ્રમાણે સહાયક છે તે પ્રમાણે પરમાત્મા પણ સહાયક છે અને એટલા જ માટે ભક્તો એમના વિષે કહે છે કે: ' આશા પૂરા ને ચિન્તા પરમાત્માના શરણે જવાના સાચા ચૂરે!, આપે! સુખ આરેાગજી. ’ માર્ગ શું છે તે અનાથી મુનિ બતાવે છે. કાઈ માણસ પરમાત્માનું નામ મેઢેથી લે પણ પરમાત્માને હૃદયમાં સ્થાન આપે નહિ તે તે
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy