SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૬] . શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક જવાને છે, એમ માનશો ત્યારે તમે પરમાત્માને પણ ઓળખી શકશો અને આ આત્માનું કલ્યાણ પણ જલદી સાધી શકશો. કહેવાનો આશય એ છે કે, આ માત્મા પંચભૂત નથી, પણ તેથી જુદા છે એમ માનશો ત્યારે તમે તમારા આત્માને પણ ઓળખી શકશે. આજે સાંભળ્યું છે કે અહીંના કઈ પ્રસિદ્ધ ડૉકટર મૃત્યુ પામ્યા છે. તે ડૉક્ટર હતા એટલે તેઓએ પિતાના શરીરની બરાબર સંભાળ રાખી હશે. છતાં જે પંચભૂતથી આત્મા ભિન્ન નથી તે તેમનું મૃત્યુ થવાનું શું કારણ? કારણ કે તેમણે પંચભૂતની તે બરાબર સંભાળ રાખી જ હશે. છતાં તેમનું મૃત્યુ કેમ થયું ? એટલા માટે કેવળ પંચભૂત જ છે, આત્મા છે જ નહિ એમ માની ન બે પરંતુ એમ માનો કે, “હું ચૈતન્ય આત્મા આ પંચભૂતને દષ્ટા છું અને પંચભૂત આદિ જડપદાર્થો મારાં દશ્યો છે.” -- આત્માને દષ્ટા અને જડપદાર્થોને દસ્થ માનવાથી પરમાત્માં કલ્પવૃક્ષની સમાન કેવી રીતે છે એ જાણવામાં આવી શકશે. દષ્ટા અને દશ્યને ભેદ સમજવાથી તમે એ સમજી શકશે કે, જડ કલ્પવૃક્ષથી તે જડ વસ્તુ જ મળે છે, જે જડ વસ્તુ આત્માની સાથે જતી નથી. જે જડ કલ્પવૃક્ષથી આત્માનું કલ્યાણ થઈ શકે અથવા મેક્ષે જઈ શકાય એવી ચીજ આપતું હેત તે જુગલા લેકે મોક્ષે ચાલ્યા જાત; પણ કલ્પવૃક્ષમાં એવી શક્તિ નથી. આથી વિપરીત કલ્પવૃક્ષદ્વારા મનવાંછિત વસ્તુ મળે છે એ જમાનામાં તે લોકો વધારે આળસુ બની જાય છે. આ જ કારણે ભગવાને કલ્પવૃક્ષની વ્યવસ્થા તેડી નાંખી. એટલા માટે તમે જડ વસ્તુ આપનાર ક૯પવૃક્ષની ઈચ્છા ન રાખતાં પરમાત્મારૂપી કલ્પવૃક્ષની ઈચ્છા રાખો. આ પ્રમાણે આત્માનું કલ્યાણ કરનાર પરમાત્મારૂપી કલ્પવૃક્ષની ઈચ્છા રાખશે તે તમને કદાપિ દુઃખ નહિ થાય. જો પૂર્ણ રીતિએ પરમાત્મારૂપી કલ્પવૃક્ષની આરાધના કરી ન શકો તે શક્તિ અનુસાર તે આરાધના અવશ્ય કરે. શ્રી. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, ભગવાનની અર્થાત ભગવાનના તીર્થની (જ્ઞાન, દર્શન અને ચારિત્રની) જઘન્ય આરાધના કરનાર પંદર ભથી વધારે ભવ કરતો નથી. અને તે જે પંદર ભો કરે છે તે પણ દેવલેક કે મનુષ્યના જ ભવ કરે છે. દેવલેકમાં પણ તે નિષ્પષ્ટ યોનિ દેવ થતું નથી પરંતુ પદવીધારી દેવ થાય છે અને ત્યાંથી જ્યારે તે મનુષ્ય ભવમાં જન્મ લે છે, ત્યારે તે એવી જ જગ્યાએ જન્મ લે છે જ્યાં દશ બોલની સગવડતા હોય છે; તથા મનુષ્ય ભવમાં પણ જડ પદાર્થોમાં લિસ થતા નથી પણ જે પ્રમાણે સાકરને રસ લઈ માખી ઉડી જાય છે તે જ પ્રમાણે તે સંસારનાં પદાથા ઉપરથી મમત્વ ઉતારી આત્માના કલ્યાણમાં સંલગ્ન બની જાય છે. આ પ્રમાણે જે આત્માનું કલ્યાણ કરનાર છે એ ભગવાનરૂપી કલ્પવૃક્ષની સેવા કરવી જોઈએ. જડની સેવા જડ વસ્તુની પ્રાપ્તિ માટે જ કરવામાં આવે છે. જડવસ્તુની પ્રાપ્તિ માટે જ પરમાત્માની સેવા खित्तं वत्थु हिरणं च, पसवो दासपोरूसं । चत्तारि कामखन्धाणि, तत्थ से उववज्जई ॥ १७ ॥ मित्तवं नायवं होइ, उच्चगोए य वण्णवं । સાથે મહાપ, એમિનાઇ કવરે ૧૮ |-૩૦ ૩, ૫૦ ૧૭-૧૮ * ૧ ક્ષેત્ર, ૨ વસ્તુ, ૩ સુવર્ણ–ચાંદી, ૪ પશુ-દાસ, ૫ મિત્ર, ૬ જ્ઞાતિવાન, ૭ ઉચ્ચગેત્ર, ૮ સુંદર શરીર, ૯ રેગ રહિતતા, ૧૦ ચશબલની પ્રાપ્તિ.
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy