SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ _ *ક - " કા કે ' * * શુદી ૫] રાજકેટ-ચાતુર્માસ [ ૫૪૧ जहा दुम्मस्स पुप्फेसु भमरो आवियइ रसं । ન જ ત્રિાએ ન જ fun co I –શ્રીદશવૈકાલિક સૂત્ર અર્થાત-હે ! મુનિઓ ! તમે પણ ભ્રમરવૃત્તિ ધારણ કરે અને ભ્રમરની માફક એવી રીતે યતનાપૂર્વક કામ કરે કે જેથી કોઈને કષ્ટ ન થાય. આમ કરવામાં જ તમારું કલ્યાણ રહેલું છે. આજ પ્રમાણે ભક્તિમાર્ગમાં પણ એમ કહ્યું છે કે, પરમાત્માની સાથે ભ્રમરના જેવી પ્રીતિ બાંધવી જોઈએ. કેટલાક લેકે કહે છે કે, “શું પરમાત્મા અમારું કાંઈ કામ કરી દે છે કે અમે તેમની પ્રાર્થના કે તેમને નમસ્કાર કરીએ ?” પણ આ પ્રકારની ઈચ્છા કરવી એ શું ભમર પુલને ચૂંટે કે બગાડે એના જેવું કૃત્ય નથી ? કવિ આનંદઘનજી કહે છે કે – ચિત્ત પ્રસને પૂજન ફલ કહ્યો, પૂજન અખંડિત એક કપટ રહિત થઈ આતમ અરપણું, આનંદઘન પદ રેહ* જે કુલમાંથી સીધી રીતે સુગંધ મળે છે એ પુલને ભમરે તેડવાની ઈચ્છા કરે ખરે! જે નહિ તો પછી તમે પરમાત્માના વિષે એમ કેમ કહે છે કે, પરમાત્માએ અમને શું આપ્યું કે અમે તેમની પ્રાર્થના કરીએ !” કવિ આનંદઘનજી કહે છે કે, પરમાત્મા અખંડ પૂજ્ય છે; એટલા માટે સંસારની કેઈપણ કામનાથી તેમને ખંડિત કરવા ન જોઈએ. “બીજા દર્શનવાળા સ્વાથી લેકે તો પરમાત્માને સંસારની ધમાલમાં ઊતારે છે પણ જ્ઞાનીજનો એમ કરતા નથી. તેઓ તે એમ જ કહે છે કે, “પરમાત્મા અખંડિત છે, એટલા માટે એ અખંડિત પૂજ્યની પૂજા–સેવા કરવાથી અમને ઉલ્લાસ આવશે અને અમારે આત્મા પરમાત્મા બની જશે. જે પ્રમાણે ભમરે પુષ્પને અખંડિત રાખીને જ તેની સુગંધ લે છે તે જ પ્રમાણે અમે લેકે પણ પરમાત્માને અખંડિત રાખીને જ તેમની પૂજા–સેવા કરીએ છીએ. આમ કરવાથી અમને તેમની શક્તિરૂપ સુગંધ મળશે કે જે સુગંધથી અમારે આત્મા પણ સુવાસિત બનશે અને અમારું કલ્યાણ થશે.” ભક્તજનની માફક તમે લેકે પણ પરમાત્માને અખંડિત માને તેમને સંસારની કેઈપણ ભાવનામાં ઉતારે નહિ. * તમે લેકે “તિકખુત્ત”નો જે પાઠ બોલે છે તેમાં કહે છે કે – आयाहिणं पयाहिणं देइयं चेइयं આમાં આવેલા “ચેઈય” શબ્દને અર્થ કરતાં મલયગિરિ આચાર્ય કહે છે – __ 'सुप्रसन्नमनहेतु-त्वादिति चैत्य' અર્થાત–મનને પ્રસન્ન કરવાનું જ કારણ છે તે ચૈત્ય છે. જે મનને પ્રસન્ન કરવાનું લૌકિક કારણ છે તે લૌકિક ચિત્ય છે અને જે લેકેત્તર મન પ્રસન્ન કરવાનું કારણ છે તે લોકોત્તર ચૈત્ય છે. મુનિને પણ તમે ચૈત્ય માને છે પણ મુનિ તમારા માટે શું કરે છે કે તમે તેમને ચૈત્ય કહો છો ? તેઓ તમારું શું કામ કરે છે! શું તેઓ તમારા માટે કાંઈ બનાવી આપે છે કે તમને આંકફરકન સટ્ટો બતાવે છે ? તેઓ આવું કંઈ કરી દેતા નથી; એટલા જ માટે તેઓ તમારા માટે ચૈત્યરૂપ છે. સંસારમાં એવા પણ લકે હશે કે જેઓ
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy