SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા तहारूवाणं समणाणं निग्गन्थाणं । આ પ્રમાણે સૌથી પહેલાં લિંગને આવશ્યક બતાવવામાં આવ્યું છે. અત્રે કહેવામાં આવ્યું છે કે સાધુ તથારૂપ હેાય. પહેલાં રૂપ જ જોવામાં આવે છે પણ સાધુપણું બાદ જોવામાં આવે છે આ પ્રમાણે જે રૂપ સાધુઓના પરિચય કરાવનાર તથા ઋષીશ્વરાના ચિન્હરૂપ છે, તે રૂપને પણ કુશીલલિંગી લાકા આવિકાનું સાધન બનાવે છે અને અસંયમી હોવા છતાં પણ પેાતાને સાધુ કહેવડાવે છે. અનાથી મુનિ કહે છે કે, આમ કરનાર અનંતકાળ સુધી સંસારમાં ભટકતા રહે છે. જે પાઠશાળામાં ભણવા જતા જ નથી તે તે મૂખ જ છે એટલા માટે તેને માટે તે। કાંઈ કહેવાનું જ નથી. માસ્તર તેને જ સજા આપે છે કે જે પાઠશાળામાં જઈને પણ અભ્યાસ બરાબર યાદ કરતા નથી. જો કે તેને માસ્તરે આપેલી સજા ભોગવવી પડે છે પણ તે કાઈ દિવસ હેાશીયાર પણ થઈ જાય છે, પણ જે ચતુર વિદ્યાર્થી હાય છે તે તે। સજા પામ્યા પહેલાં જ એમ વિચારી લે છે કે હું નિશાળે જાઉં છું તેા અભ્યાસ ખરાખર શા માટે ન કરું? ઈંડ શા માટે સહું? આ પ્રમાણે સજા પામ્યા પહેલાં જ નિર્દોષ સંયમનું પાલન કરનાર જ શ્રેષ્ઠ છે. સુદર્શન ચરિત્ર—૫૫ ચરિત્ર જોઈ સાધુઓએ માટે અમારે સામાન્ય આ વાતનું જ્વલ'ત ઉદાહરણ સુČન શેઠનું છે. સુદÆનનું વિચારવું જોઈએ કે, અમે ઋષીશ્વરાનું ચિન્હ ધારણ કર્યું છે એટલા વસ્તુ ઉપર લલચાઈ જવું ન જોઈએ. સુદર્શન જાણતા હતા કે, અભયા સુંદરી છે અને રાજા તેના હાથમાં છે એટલા માટે તે જેટલું ચાહશે તેટલું મને આપી શકશે. છતાં સુદર્શન શેઠ અભયાના પ્રલેાલનથી જરાપણ લલચાયા નહિ પણ તેણે અંત સમય સુધી તેને માતા તરીકે જ માની. સુદર્શને મનને વશ કરી કામવિકારને જીત્યા એ કારણે રાજા પણ તેની સામે બે હાથ જોડી ઊભા રહ્યો. કામવિકારને જીતવા એ કાંઈ ઓછી વીરતા નથી પરંતુ મહાવીરતા છે. એ મહાન વીરાના ધર્મ છે. કાયર લેાકા એ ધર્મનું પાલન કરી શકતા નથી. જે લોકા સંગ્રામમાં યુદ્ધ કરી વીર તરીકે નામના મેળવે છે તે લેાકા પણ સ્ત્રીઓની સામે પરાજિત થઈ જાય છે અને કામના પ્રવાહમાં તણાઈ જાય છે. આથી વિરુદ્ધ જે લેાકા કામના પ્રવાહમાં તણાઈ જતા નથી તેઓ ઇન્દ્રને પણ નતમસ્તક બનાવી દે છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ— देवदानवगन्धव्वा यक्खरक्खस्सकिन्नरा । बम्भयारी नमस्सन्ति दुक्करं जं करन्ति तं ॥ દેવા જાણે છે કે અમે જમૂદ્રીપતે । ઉપાડી ફેરવી શકીએ છીએ પણ બ્રહ્મચર્ય નું પાલન કરી શકતા નથી. આ જ કારણે તે દેવા બ્રહ્મચર્યનું પાલન કરનારને નમસ્કાર કરે છે. રાવણુ બહુ વીર હતા. એ વીર્ રાવણને રામે ત્યા નહિ પણ કામે જીત્યા. જે આ કામને પણ જીતી લે છે તે શું રાવણુથી પણ વધારે વીર્ નથી! અહિંસા, સત્ય, અસ્તેય આદિ બધાં, વીરાનાં ધર્મો છે. એ કાયરાના ધર્મ નથી. તમે લેાકા વીર પુરુષાના આદર્શને તમારી દૃષ્ટિ સમક્ષ રાખા,
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy