SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વદ ૧૧ ] રાજકેટ–ચાતુર્માસ [૫૧ મતલબ કે, જે ધર્માંની શિક્ષા જ સ્વીકારતા નથી, પણ ધર્મની ટીકા કરે છે, તે તા અયેાગ્ય અને અભવીની સમાન છે. બીજા પ્રકારના માણસ એવા છે કે, જે ધર્મની શાળામાં જાય છે, ધર્મીને સ્વીકાર પણ કરે છે અને લિંગ પણ ધારણ કરે છે પણ ધર્મોનું પાલન કરતા નથી. આવા વ્યક્તિ, જો કે ધર્મનું પાલન કરનારથી મધ્યમ છે પણ જે ધર્મની શાળામાં ભણવા આવ્યા જ નથી તેમ જ આવવા ચાહતા નથી તેના કરતાં તે સારા જ છે. આવા માણસને ધર્મીના સ્વીકાર ન કરનાર કરતાં ખરાબ કહી શકાય નહિ. જેમણે ધર્માંતા સ્વીકાર જ કર્યાં નથી તે વ્યક્તિ કરતાં ધર્મના સ્વીકાર કરે છે પણ પાલન કરી શકતા નથી તે માસ અપેક્ષાએ સારા કહેવાય છે. ભાવ તા એવા રહેવા જોઈએ કે, મારાથી નિરપવાદ સંયમનું પાલન થઈ શકે, પણ કાઈ વ્યક્તિથી સંયમનું પાલન થઈ શકતું ન હેાય તેા એમ વિચારવું જોઈએ કે, અનાથી મુનિ એના વિષે પહેલાં જ કહી ગયા છે કે આવા માણસથી સંયમનું પાલન થઈ ન શકે તે એમાં કાંઈ આશ્ચની વાત નથી. અનાથી મુનિ ખાટા રૂપિયાનું ઉદાહરણ આપી એમ કહે છે કે, જે પ્રમાણે ખાટા રૂપિયાના કાઈ સંગ્રહ કરતું નથી—ખાટાં નાણાં કાઈ શાહુકારની તીજોરીમાં સ્થાન પામતાં નથી; તે જ પ્રમાણે જ્ઞાનીજનેાની દૃષ્ટિમાં તે સાધુએ પણ આદર પામતા નથી કે જે સાધુઓ સાધુપણાનું પાલન કરતા નથી પણ કેવળ ઉપરથી જ સાધુતાના દેખાવ કરે છે. આજ કાલ લેાકેા કહેવા લાગે છે કે, સાધુ–સાધુઓએ એક થઈ જવું જોઈ એ ! પરંતુ સાધુ–સાધુએ એક ન થવાનું કારણ શું છે એ બતાવવા માટે હું તમને એક ઉદાહરણ આપી સમજાવું છું. તમારા લેાકામાં જે મદ્ય–માંસ ખાય છે તે જાતિમાં સ્થાન પામતા નથી એવા તમારી જાતિમાં નિયમ છે. તે જ પ્રમાણે માનેા કે તમે તમારી જાતિમાં ખીન્દ્ર નિયમા પણ આધ્યા છે. પર ંતુ કાઈ માણુસ ઉત્કૃખલ થઈ એમ કહે કે, અમારું મન થશે તે થાજ અમે ખાઈશું અથવા મન ચાહે તેમ કરીશું અથવા સ્વચ્છંદ થઈને જાતિની મર્યાદા તાડે અને જાતિ વિરુદ્ધ કા કરે તો તે ાંતિથી પૃથક્ થઈને મન ચાહે તેવી સ્વંતતા ચલાવે પણ તે તમારી જાતિમાં સ્થાન પામી ન શકે. પરંતુ જો તે જાતિના નિયમેાનું પાલન ન કરે પણ ઊલટા તે નિયમાના ભંગ કરે અને પછી જાતિમાં આવવાની હઠ પકડે તે શું તેની આ હઠે બરાબર છે ? માનેા કે, એક માણસ લીલાતરી ખાય છે અને ખીજો માણસ લીલાતરી ખાતા નથી. હવે લીલેાતરી ખાનારા લીલાતરીના ત્યાગીને કહે કે, તમે મારી સાથે ખાએ નહિ તે હું તમને બદનામ કરીશ કે કુસંપ ફેલાવનાર આ જ વ્યક્તિ છે. તે શું આ ભયથી તે ત્યાગી માણસ લીલેાતરી ખાનારની સાથે બેસીને ખાશે ખરા ? તે તે એમ જ કહેશે કે, હું તારી સાથે ખાવા માટે તૈયાર છું, પણ તારી થાળીમાંથી લીલેાતરીને બહાર કાઢી નાંખ. આ ત્યાગીનું આ કથન શું ખાટું છે? અને જ્યાંસુધી તે લીલેાતરી બહાર કાઢી ન નાંખે ત્યાંસુધી તેની સાથે ન ખાવું એ પણ શું ખાટું છે ? આ જ વાત સાધુઓને વિષે પણ સમજો. આજે કેટલાક લેાકેા કહે છે કે, સાધુ સાધુઓમાં પણ એકતા નથી પણ સાધુ–સાધુએમાં એકતા ન હેાવાનું કારણ શું છે તે પણ જીએ. શું મળ વેશને જ સાધુપણું માનવું જોઈ એ ! કેવળ વેશથી જ સાધુતા આવતી નથી.
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy