SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કરી શકાય નહિ. ગુણી તો તે લેકો જ છે કે જેઓ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું પાલન કરે છે. આ પ્રમાણે સંયમ ગુણને ધારણ કરનાર પ્રતિ પ્રમોદભાવના રાખી વંદના કરવી જોઈએ. બીજી મધ્યસ્થ ભાવના છે. જે ખરાબ છે, જે હિંસક છે તેના પ્રતિ પણ મધ્યસ્થ ભાવના રાખી એમ વિચારવું કે, આ આત્મા હિંસા કરે છેએટલે તે ખરાબ છે પણ જે તે હિંસાને ત્યાગ કરી અહિંસક બની જાય છે તે પણ મારા માટે વંદનીય—પૂજનીય બની શકે છે. અર્જુનમાલી હિંસક હતા, પણ જ્યારે ભગવાનને શિષ્ય બની તેણે હિંસાને ત્યાગ કર્યો ત્યારે તે પણ વંદનીય બની ગયો અને સુદર્શને તેમને વંદના પણ કરી. શું આવા અવગુણીને વંદના કરવી એ ઉચિત હતું? શેઠે તેને પણ ગુરુ માન્યા એ શું ઠીક હતું? પણ જેઓ ગુણના ગ્રાહક હોય છે તેઓ પહેલાંની વાત ભૂલી જઈ ગુણોને જ ગ્રહણ કરે છે. આ પ્રમાણે જે લેકે હિંસક છે તેઓ અહિંસક બની જાય એવી જ ભાવના ભાવવી જોઈએ. આમ છતાં જે તેની હિંસા છૂટે નહિ તે તેમના પ્રતિ મધ્યસ્થ ભાવના તે અવશ્ય રાખવી જોઈએ. તેમના પ્રતિ ક્રોધ કરે ન જોઈએ. કામદેવને ધર્મથી ટ્યુત કરવા માટે દેવ પિશાચનું રૂપ ધારણ કરી તલવાર લઈ આવ્યા હતા, છતાં કામદેવે તેના ઉપર ક્રોધ ન કર્યો. કામદેવ તે એમ જ વિચારતા હતા કે, “મને પરમાત્મા તરફ પ્રેમભાવ છે કે નહિ તેની પરીક્ષા કરવા માટે આ દેવ આવ્યો છે. આ સિવાય તે દેવ મને “અપસ્થપથિયા” અને “અવાંછનીયરની વાંછના કરનાર કહે છે તે તે ઠીક જ કહે છે. જે ચીજ અવાંછનીય છે તેની વાંછન ન કરવી જોઈએ. એ દેવ કહે છે તે ઠીક, પણ તેના કથનમાં અંતર કેવળ એટલું જ છે કે, તે ધર્મને અવાંછનીય માને છે અને હું પાપને અવાંછનીય સમજું છું. તે ધર્મને અવાંછનીય સમજે છે તે તેનું કેવું કષ્ટ ભોગવવું પડે છે ! એ બિચારામાં એટલું બધું દુઃખ ભરેલું છે કે, તે દુઃખ તેના શરીરમાંથી નીકળી મારી પાસે આવી રહ્યું છે. તે બહુ જ દુઃખી છે. એટલા માટે તેનાં ઉમર કરુણા કરવી જોઈએ. હે ! પ્રભો ! હું એ જ ચાહું છું કે, તેનું પણ કલ્યાણ થાઓ !” ઘણીવાર એવું બને છે કે બીજાઓમાં ખરાબી જોઈ પોતાનામાં પણ ખરાબી થાય તેવું કરવામાં આવે છે અને પિતાનાં જે ગુણ હોય તે પણ છોડી દેવામાં આવે છે. તમે એવું કૃત્ય કરી ન બેસે તેને ખ્યાલ રાખશો. મહાપુરુષોના જીવનચરિત્રમાંથી એ જ શિક્ષા મળે છે કે, દુર્ગુણેને સદ્દગુણદ્વારા જીતી લેવા. સુદર્શન શેઠે અર્જુનમાલીને પ્રતિપક્ષી ભાવનારા જ જીત્યો હતે. ભાવની વાત જુદી છે પણ ઉપરને શ્રમ તે અજુનમાલીને જ વધારે પડ્યો હતે; છતાં પણ વિજય તે સુદર્શનને જ થયો. કામદેવને ધર્મચુત કરવા માટે દેવને કેટલાં બધાં કષ્ટ સહન કરવાં પડ્યાં હતાં. તેને પિશાચરૂપ પણું ધારણ કરવું પડયું હતું. જેને જેવા માત્રથી ઘણું પેદા થાય એવું ધૃણિત રૂપ પણ તેને ધારણ કરવું પડ્યું હતું. તેણે આસુરી પ્રકૃતિ અનુસાર બિભત્સ રૂપ ધારણ કર્યું હતું પણ જ્યારે આસુરી પ્રકૃતિ સામે દૈવી પ્રકૃતિ પ્રગટ થઈ ત્યારે દેવ પણ પરાજિત થઈ ભાગી ગયો. દેવી પ્રકૃતિના પ્રાગટયથી આસુરી પ્રકૃતિ પણ અદશ્ય થઈ ગઈ એટલા માટે હિંસાની સામે અહિંસાની ભાવના ભાવવી જોઈએ. ' ત્રીજી કરુણા ભાવના છે. જે લેકમાં કરુણા–ભાવના હોય છે તેઓ એમ કદાપિ વિચાર પણ ન કરે કે, “બીજે મરે છે તે લે મરે, અમે તે મેજમઝા માણીશું. કરુણા ભાવનાવાળો
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy