SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [અષાડ કરવાની ઇચ્છા હોય તે, આ શિક્ષાને લાભ લેવાની જેમની ઈચ્છા છે તે બધાં આ શિક્ષાના અધિકારી છે, એમ કહેવાને અભિપ્રાય છે. હવે આ અધ્યયનને સંબંધ શું છે તે જોઈએ. સંબંધ બે પ્રકાર હોય છે. એક ઉપાય પાય સંબંધ અને બીજે ગુરુશિષ્ય સંબંધ. ગુરુશિષ્યના સંબંધમાં આ અધ્યયન કોણે કહ્યું છે અને કોણે સાંભળ્યું છે એ જોવાનું હોય છે. ધર્મોપદેશક ગુરુ કેવા હેય એ માટે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે आयगुत्ते सया दन्ते छिन्नसोये अणासवे । ते धम्म सुद्धमक्खंति पडिपुण्णं महेसियं ॥ અર્થાતધર્મના ઉપદેશક તે જ છે કે, જે આત્માનું દમન કરતા હોય અને ગપતા હેય. જેઓ ઈન્દ્રિયોને સંયમની ઢાલમાં કાચબાની માફક છુપાવી રાખતા હોય, અર્થાત, ઈન્દ્રિયોનું દમન કરતા હોય તેઓ જ ધર્મના ઉપદેશક છે. ઇન્દ્રિયોનું દમન કરવું એટલે કાંઈ ઇન્દ્રિયને નાશ કરે એમ નથી પણ જે પ્રમાણે ઘડાને જેમ તેમ ઇચ્છા પ્રમાણે દોડવા ન દેતાં તેને લગામ દ્વારા કાબુમાં રાખવામાં આવે છે તે જ પ્રમાણે ઇન્દ્રિયોને વિષયોની તરફ જવા ન દેવી એ જ ઈન્દ્રિઓનું દમન છે. આ પ્રમાણે ધર્મોપદેશક આત્મસંયમી, ગુતેન્દ્રિય અને હિંસા, ચોરી, અસત્ય, મૈથુન અને પરિગ્રહ આદિથી નિવૃત્ત હોય છે; ટૂંકામાં તે બધી સ્ત્રીઓને માતા બહેન સમાન ગણે છે, ધર્મોપકરણ સિવાય કોઈ પ્રકારને પરિગ્રહ રાખતા નથી. આ પ્રમાણે કંચન-કામિનીને ત્યાગ કરી જે આશ્રવરહિત થાય છે તેવા ધર્મોપદેશક જ અનુપમ ધર્મને શુદ્ધ અને પ્રતિપૂર્ણ રીતે કહી શકે છે. મેં હિન્દુ ધર્મ વિષે ગાંધીજીને એક લેખ જોયો હતો. ગાંધીજીએ તે વખતે જૈન શાસ્ત્રો જોયાં હતાં કે નહિ એ હું કહી શકતો નથી, પણ જે વાત સત્ય હોય છે તે શાસ્ત્રમાંથી પણ નીકળી જ આવે છે. એ લેખમાં તેમણે લખ્યું હતું કે, “હિન્દુ ધર્મને ઉપદેશ કોણ આપી શકે ? જે કોઈ પંડિત કે શંકરાચાર્યું હોય તે જ હિન્દુ ધર્મને ઉપદેશ આપી શકે એમ ન હોવું જોઈએ, પણ જેઓ પૂર્ણ અહિંસાવાદી, સત્યવાદી, બ્રહ્મચારી અને નિષ્પરિગ્રહી હોય તે જ હિંદુ ધર્મને ઉપદેશ આપવાને અધિકારી હોઈ શકે. ' ગાંધીજીએ એ લેખમાં શું શબ્દો લખ્યા હતા એ મને યાદ નથી પણ એ લેખને ભાવાર્થ તે આ જ હતો. આ લેખનો સંબંધ ભગવાનના કથનની સાથે કેટલે બધે મળતો છે તે જુઓ ! સ્થવિર કે ગણધરોએ આ ધર્મ કહે છે એ ગુરુ-શિષ્ય સંબંધ છે; પણ ઉપાયોપેય સંબંધ શું છે તે વિષે પહેલાં વિચાર કરીએ. રોગને દૂર કરવો એ ઉપય છે અને દવા કરવી એ ઉપાય છે. આ પ્રમાણે આ અધ્યયનમાં ઉપાયોપેય સંબંધ શું છે ? મોક્ષ પ્રાપ્ત કરો એ તે ઉપય છે અને આ અધ્યયનઠારા જ્ઞાન પ્રાપ્ત કરવું એ ઉપાય છે. આ અધ્યયનને ઉપાયોપેય સંબંધ એ પ્રમાણે છે. સંસારમાં ઉપાય મેળવવો જ મુશ્કેલ છે. જ્યારે ઉપાય હાથમાં આવી જાય છે ત્યારે રોગ પણ જતો રહે છે. ડૉકટર આવે અને રોગનાશક દવા આપે તે રોગ પણ ચાલ્યો
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy