________________
.
.
.
.
...
.
.
.
..
.
.
.
.
પ૭૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ તમારે ધન જોઈએ છે. તમારો ધનને મેહ છૂટ નથી છતાં તમને અવધિજ્ઞાન પેદા થઈ
જાય તે તમે આ સંસારમાં અનેકેને સાફ કરી નાંખો. આ તે એના જેવી વાત બને કે, બિલાડીને પાંખ આવી ગઈ બિલાડીને જે પાંખ આવી જાય છે તે કોઈ પણ પક્ષીને ન છેડે. આ જ પ્રમાણે જે તમને ધનનો મોહ છૂટ્યા પહેલાં જ અવધિજ્ઞાન આદિ પેદા થઈ જાય તે તમે પણ સંસારને પલટાવી દે. બિલાડીને પાંખ આવતી નથી એ જ સારું છે. પાંખ ન આવવાના કારણે જ પક્ષીઓની પણ રક્ષા થાય છે અને બિલાડી પણ ઘણું પાપથી બચી જાય છે. આ જ પ્રમાણે મેહ છૂટયા પહેલાં જ્ઞાન થતું નથી એ પણ સારું જ છે.
મતલબ કે, પૂર્ણ ચારિત્ર થયા બાદ જ પૂર્ણ જ્ઞાન પેદા થાય છે; પડેલાં થતું નથી. કઈ કઈને વિષે એમ કહે કે, તે આધ્યાત્મજ્ઞાની છે તો તેને એમ કહેવું કે, જે આધ્યાત્મનાની હશે તેનામાં ચારિત્રપણું પણ સરસ હશે; તે ચારિત્રની અવગણના કરશે નહિ. - સુદર્શન ભગવાન કહે છે કે, હે! દે ! તમે જે ગુણોની મહિમા ગાઓ છો તે ગુણે તમારા આત્મામાં પણ છે. એ વાત સદા ખ્યાલમાં રાખે.
તમે પણ આ વાતને સમજીને આ પ્રકારના ચારિત્રને નમસ્કાર કરશે તે આ ભવમાં નહિ તે અન્ય ભવમાં એ પ્રકારનું ચારિત્ર અવશ્ય પ્રાપ્ત થશે. ગુણોનો સત્કાર કરે એ સારું જ છે. પણ જે સણોની ઘણું કરે છે તે ધૃણા કરનારમાં તે ગુણ છે. કેઈ ક્ષમાની નિંદા કરે છે, તે ક્ષમાશીલ કહે છે કે, તે નિંદા કરનારમાં પણ ક્ષમાને ગુણ છે, જે કોઈ દિવસે અવશ્ય પ્રગટ થશે. કેઈ શીલની નિદા કરે છે તે જ્ઞાનીઓ કહે છે કે એ શીલનિંદકમાં પણ શીલને ગુણ છે. તેનામાં રહેલો તે લીલને ગુણ પણ કોઈને કોઈ દિવસે અવશ્ય પ્રગટ થશે. - એવાં અનેક ઉદાહરણે મળે છે કે જે પાપીઓએ ધર્મની ઘણી નિદા કરી હોય છે તે પાપીઓ પણ ધર્માત્મા બની ગયાં છે. ભગવાન પાર્શ્વનાથની સાથે કમઠે કેવું વૈર વાળ્યું હતું અને કેવી દુર્વ્યવહાર કર્યો હતો. પરંતુ આખરે તે કમઠ જ ભગવાન પાર્શ્વનાથના ગુણગાન કરવાથી સુધરી ગયા કે નહિ? ગોશાલાએ પણ ભગવાન મહાવીરની સાથે કેવો દુર્વ્યવહાર કર્યો હતો! તેણે ભગવાનના બે શિષ્યને પણ બાળી નાંખ્યા હતા અને ભગવાન ઉપર પણ તેજલેશ્યા ફેંકી હતી. તે ગેસલાક માટે પણ ભગવાને કહ્યું છે કે, તે ગોશાળા પણ અનેક ભવની પશ્ચાત મારા આત્માની સમાન બની જશે. આ પ્રમાણે જે ગુણોની નિંદા કરે છે તેમનામાં પણ તે ગુણો હોય છે, જે કઈને કઈ દિવસે પ્રગટ થાય જ છે. જ્ઞાનીજને આ પ્રમાણે નિંદા કરનારાએથી ગભરાતા નથી, પરંતુ તેમને પિતાના સહાયક માને છે.
અભયાએ સુદર્શન મુનિને વિચલિત કરવાને ઘણે પ્રયત્ન કર્યો પણ તે શેઠ જયારે વિચલિત ન થયા ત્યારે તે બહુ કુદ્ધ થઈ; છતાં શેઠ તે એમ જ વિચારતા હતા કે, આ માતાતુલ્ય ક્રોધ કરતી નથી પરંતુ ભાર આસ્ત્રિને ઉત્કૃષ્ટ બનાવે છે. આ માતા મા ચારિત્રરૂપી અગ્નિ ઉપર ઘી હોમે છે અને મારા ચારિત્રાગ્નિને સતેજ બનાવી રાખે છે. આ પ્રમાણે નાનીજને તે અવગુણમાં પણ ગુણોનું જ દર્શન કરે છે.
ભગવાન સુદર્શને પિતાના ઉપદેશમાં કહ્યું છે કે, જે ગુણોને કારણે તમે લેકો મહિમા ચાઈ રહ્યા છો તે ગુણો તમારામાં પણ છે કારણ કે મારે અને તમારે આત્મા સમાન છે.