SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ શુદી ૧૨ ] રાજકેટ–ચાતુર્માસ છે [૫૭૧ જગતમાં શબ્દનો પાર નથી, પરંતુ-એ શબ્દોનું એ શબ્દને સાંભળવાનું સ્થાન તે કાન જ છે. હવે એ જુઓ કે શબ્દ મોટાં કે કાન મોટાં? આ જ પ્રમાણે આંખ પણે બધાં રૂપનું આયતન છે. આંખની વિના રૂપ નકામું છે. આ પ્રમાણે સંસારનાં બધાં પદાર્થોનું આયતન અર્થાત રહેવાનું સ્થાન તે ઈન્દ્રિયો છે, પણ એ જુઓ કે આંખમાં, નાકમાં, કાનમાં અને એ બધી ઈન્દ્રિમાં કોણ છે? એ બધી ઇન્દ્રિમાં આત્મા જ છે ને? આ પ્રમાણે આત્મા એક પણ છે અને અનેક પણ છે. એકમાં તે એક છે અને અનેકમાં તે અનેક છે. ભગવતી સૂત્રમાં સોમલના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે, હું એક પણ છું અને અનેક પણ છું. આંખ, કાન, નાક વગેરેમાં જે આત્મા ન હોય- તે શું એ બધી ઇન્દ્રિ પિતાનું કામ કરી શકે ખરી? જો કે આંખ, કાન, નાક આદિ ઈન્દ્રિય ભિન્ન ભિન્ન છે પણ એ બધી એક જ આત્માની સત્તા છે. આ પ્રમાણે આત્મા એક પણ છે અને અનેક પણ છે. જે આત્મા પિતાના રૂપને સમજે તે પિતાના રૂપમાં જ આવી શકે છે અને જયારે તે પિતાને ભૂલી જઈ મેહમાં પડી જાય છે ત્યારે તે પોતે જ ચક્કરમાં પડી જાય છે. આ પ્રમાણે આત્મા જ્યારે પિતાને વિચાર કરે છે ત્યારે તે પિતાના રૂપમાં જ આંવી જાય છે અને જ્યારે પિતાને ભૂલી જાય છે ત્યારે મેહમાં પડી જાય છે આત્મા પિતાને ભૂલી જઈમેહમાં કેવી રીતે પડી જાય છે! તે એને માટે એમ માને કે, કોઈ સ્ત્રી તમારી સામે આવી તે વખતે આત્મા પિતાને મે માને છે કે રમણીને મેરી માને છે. બલ્કિ કેટલાકે તે રાવણની જેવા એવા હોય છે કે, જેઓ રમણીની પાછળ પોતાનું સર્વસ્વ–પિતાનાં પ્રાણુ સુદ્ધાં પણ સમર્પણ કરી દે છે. શું આજે પણ મોટા મોટા સઓ અને ગોસાઈએ એક એક રંડીની પાછળ બરબાદ થયા નથી ?' - આ પ્રમાણે આ આત્મા–બ્રહ્મ પિતાની મેળે જ પોતાના રૂપમાં આવે છે અને પિતાની મેળે જ પેતાને ભૂલી જઈમેહમાં પડી જાય છે. એટલા જ માટે કવિ આનંદઘનજી કહે કે હે ! અવધૂત ! આયતન અર્થાત મઠમાં શું પડી રહ્યો છે. તારા ઘટને કેમ જેતે નથી? એ ઘટમાં કેણ છે એ જે.” જ્ઞાનમાં પણ આત્મા જ છે અને અજ્ઞાનમાં પણ આત્મા જ છે. આજે જે તમારામાં અજ્ઞાન પણ હોય તે તેને પણ તમારું સહાયક માને. અપૂર્ણતા જ પૂર્ણતા આપનાર છે. ન જાણવું કે ઓછું જાણવું એ અપૂર્ણ જ્ઞાન અથવા અજ્ઞાન છે, પણ એની દ્વારા જ પૂર્ણતા અર્થાત જ્ઞાનમાં જાઓ. સુદર્શન ભગવાન આગળ કહેવા લાગ્યા કે, “હે ! દેવ ! તમે લોકો જે મહિમા ગાઈ રહ્યા છે તે મહિમા શરીરને નહિ પણ ઉત્કૃષ્ટ સંયમન છે. એ ઉત્કૃષ્ટ સંયમ બધા આત્મામાં રહેલો છે એટલા માટે તેને ભૂલી ન જાઓ.” - જૈનધર્મ કહે છે કે, ઉત્કૃષ્ટ સંયમ હોવાથી જ ઉત્કૃષ્ટ ચારિત્ર આવે છે. એમ બનતું નથી કે, ઉત્કૃષ્ટ સંયમ તે ન હોય અને ઉત્કૃષ્ટ જ્ઞાન પેદા થઈ જાય. જે ઉત્કૃષ્ટ સંયમ પહેલાં ઉત્કૃષ્ટ જ્ઞાન પેદા થઈ જાય તે ગજબ થઈ જાય ને! એ દશામાં સંસાર જ પતિત થઈ જાય. એટલા માટે પહેલાં મેહ નષ્ટ થાય છે ત્યારે જ ઉત્કૃષ્ટ જ્ઞાન પેદા થાય છે. મેહ નષ્ટ થયાં પહેલાં જ્ઞાન પેદા થવાથી સંસાર પતિત થઈ જાય. ઉદાહરણ તરીકે માનો કે
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy