SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસા નામ પતિતપાવન છે. જો વાત કેવળ ઉપરથી કહેવામાં આવેલી ન હેાય પણ હૃદયથી કહેવામાં આવી હોય તે પરમાત્માનું નામ પતિતપાવન છે તે પછી પતિતા તરફ ઘણા કેમ કરી શકાય ? હા, પતિતને એવું આશ્વાસન તા આપી શકાય કે, ભાઈ! તમારે હવે ગભરાવાની જરૂર નથી. તમે પરમાત્માના નામની છાયામાં આવી જાએ તે તમે પણ પાવન થઇ શકે છે. આ પ્રમાણે પતિને આશ્વાસન તે આપી શકાય પણ તેમના તરફ ધૃણાભાવ તા બતાવી ન શકાય. પરમાત્માનું નામ જો સાચા હૃદયથી લેવામાં ન આવે પણ કેવળ લોકોને બતાવવા માટે જ પરમાત્માનું નામ લેવામાં આવતું હાય તા તા એ વાત જુદી છે નહિ. તા. પરમાત્માના નામમાં સારામાં સારી શક્તિ રહેલી છે. પરમાત્માના નામમાં ધણી શક્તિ રહેલી છે, પરંતુ પરમાત્માનું નામ લઈ શું કરવું? અને પરમાત્માનું નામ ક્યા ઉદ્દેશે લેવું એ પણ જીએ. ભમરા પહેલાં ફુલને જોતા નથી કિન્તુ તેની સુગંધથી જ પુલને પત્તો મેળવે છે અને એ સુગ ંધના આધારે જ ફુલની પાસે પહેાંચી શકે છે. ફુલની પાસે પહેાંચવા છતાં પણ તે પુલને તાડતો નથી પણ તેની સુગંધ લઈ તૃપ્ત થાય છે. આ જ પ્રમાણે ભક્તો સસારમાં ફેલાએલી પરમાત્માની શક્તિને પરમાત્મારૂપ પુલની સુગંધ માની તેના આધારે પરમાત્માની સમીપ પહોંચે છે, છતાં તેઓ એમ ચાહતા નથી કે, હે ! પ્રભા ! તારી શક્તિ મને આપે તે હુ... આમ કરું, તેમ કરું; પણ તે પરામા પ્રત્યે એ જ પ્રાર્થના કરે છે કે, હે! પ્રભા ! મારામાં એવી શક્તિ પ્રગટે કે, જે પ્રમાણે ભમરા પુલની સુગધમાં મસ્ત રહે છે તે જ પ્રમાણે હું પણ તારા નામનું સંકીર્તન કરવામાં મસ્ત રહ્યું. ' સાચા ભક્તો પરમાત્મા પાસે આ જ ચાહે છે. બીજી બાજુ કેટલાક લોકો એવા પણ હાય છે કે જેઓ એમ કહે છે કે, અમે પરમાત્માનું નામ લેતાં લેતાં દુલ થઈ ગયા છતાં પણ અમારી ઉન્નતિ ન થઈ. તમે તે પરમાત્માના નામમાં બધી શક્તિ હેવાનુ` કહેા છે પણ પરમાત્માનું નામ લેનારાઓમાં અને ધર્મને નામે જે ઢાંગ ચાલે છે તેવા ઢાંગ ખીજે કયાંય ચાલતા નથી. તેા પછી અમે પરમાત્માના વિષે આપની કહેલી વાત ઉપર વિશ્વાસ કેમ કરી શકીએ ? અને જ્યારે અમારું હૃદય જ ધર્મ કે પરમાત્માના નામ વિષે આટલું વિરુદ્ધ છે ત્યારે અમને પરમાત્માનું નામસકી ન કરવા માટે જ ઉપદેશ આપવો એ તા બળતા હૃદયમાં ઘી હેામવા સમાન છે. J જે લોકો આ પ્રમાણે કહે છે તે લેકાને એટલું જ કહેવાનું છે કે, “ તમે જે ખરાબીને માટે કહી રહ્યા છે. તે ખરાથી પરમાત્માના નામથી થવા પામી નથી પરંતુ તે ખરાબી સ્વાથી અને ઢાંગી લેાકાને કારણે જ પેદા થવા પામી છે.” તે લેાકેા પ્રગટમાં તે પરમાત્માનું નામ લે છે પણ તે શા માટે પરમાત્માનું નામ લે છે તે જુઓ. કહેવત છે કેઃ— રામ નામ સબ કાઇ ક્લે, ઠગ ઠાકુર આર ચાર, ધ્રુવ પ્રહ્લાદ જાસાં તરે, વાહ નામ કુછ આર. - સાધારણ રીતે ચાર પણ પરમાત્માનું નામ લે છે પણ શા માટે! એટલા માટે કે, ધર્મના લાકા તે ધસઘસાટ સૂતા રહે અને હું સારીરીતે ચેરી કરી શકું. દુકાનદારા દુકાન ખાલતી વખતે, પરમાત્માનું નામ લે છે પરંતુ શા માટે ? એટલા માટે કે “ હે ! પરમાત્મા !
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy