SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ મક પાક છે. પોતાને કે મારે ને કોક પકર ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો. ખાઈ જાય છે. રસમૃદ્ધિને એવા અકલ્પનીય આહારને પણ છોડતા નથી. આવા અસાધુ લેકેને માછલી કરતાં પણ વધારે અજ્ઞાની કહી શકાય. ભગવાને દૂષિત-અકલ્પનીય વસ્ત્ર, પાત્ર, આહાર, મકાન વગેરે લેવાનો નિષેધ કર્યો છે. ભગવાને આ પ્રમાણે નિષેધ કરી શું સાધુઓને અંતરાય આપી છે? અન્તરાય આપી નથી, પરંતુ તેમણે સાધુઓના કલ્યાણ માટે જ એમ કર્યું છે. આમ હોવા છતાં જે લેકે એમ કહે છે કે, એમાં શું છે! સાધુઓને કલ્પ–અકલ્પ જોવાની શી જરૂર છે? જેમણે બનાવ્યું હશે તે જ દેશી બનશે! આ પ્રમાણે જે કહે છે તેઓ ભૂલ કરે છે. જે અકલ્પનીય વસ્તુ લેવામાં દોષ લાગતું ન હોય તે ભગવાન કદાપિ એને નિષેધ કરત નહિ. સાધુઓએ હિંસા કરવી. કરાવવી અને અનુમોદવી એ ત્રણેય વાતને ત્યાગ કર્યો છે. સાધુઓને જ્યારે આ પ્રકારને આહાર લેવામાં દોષ લાગતો ન હોત તે સાધુઓ હાથથી આહાર કેમ બનાવત નડિ! હાથે રસોઈ બનાવવામાં તે હિંસા થાય છે એમ કહેવામાં આવે છે, અને બધાં આસ્તિક દર્શને પણું આમ જ કહે છે કે રસોઈ બનાવવામાં હિંસા થાય છે; પણ જ્યારે હાથથી રસોઈ કરવામાં હિંસા થાય છે તે શું તમારા માટે બીજા લેકે કરે છે એમાં હિંસા થતી નથી ? પાતંજલિ યોગદર્શનમાં સાધુઓ માટે હિંસા કરવી, કરાવવી અને અનુમોદવી એ ત્રણેયને - ત્યાગ કરવાનું બતાવવામાં આવ્યું છે. એવી દશામાં પિતે હિંસા ન કરે અને બીજાની પાસે : કરાવે તે શું પાપ નહિ થાય ? કદાચ કોઈ ઉદ્દેશિક આહાર માટે એમ કહે કે, અમે આકાર : બનાવ્યો નથી અને બીજાઓની પાસે પણ બનાવ્યું નથી; પણ જે આહાર તમને ઉદ્દેશીને બનાવવામાં આવ્યો છે અને જે આહારને તમે લીધે છે શું તે આહાર બનાવવાની હિંસાનું અનુમોદન સાધુને નહિ લાગે ? જે હિંસાનું અનુમોદન લાગે તે પછી અહિંસા મહાવ્રત કે જેમાં હિંસા કરવી-કરાવવી કે અનુમેદવી એ ત્રણેયને ત્યાગ કર્યો છે તે અસા મહાવ્રતનું પૂરું પાલન કયાં થયું? એથી અહિંસા મહાવ્રતને દૂષણ લાગે છે. એટલે જ માટે સાધુઓને કરવું, કરાવવું અને અમેદવાને નિષેધ કરવામાં આવ્યો છે અને એ જ કારણે ઉદ્દેશિક આહાર લેવાને પણ નિષેધ કરવામાં આવ્યું છે. હવે ક્રતિકૃત અથત સીધી વેચાતી લીધેલી ચીજ લેવાના વિષે જોવાનું છે. કેઈ કહે કે, મુનિએ કર્યું પણ નથી, કરાવ્યું પણ નથી, અને અનુદયું પણ નથી તેમ ખરીદયું પણ નથી; પરંતુ મુનિને માટે ખરીદી લાવવામાં આવ્યું તો તેમાં શું વાંધો છે? આના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, મુનિઓએ એવો આહાર વગેરે પણ ન લે કારણ કે બનાવનારે પૈસાને માટે બનાવેલ છે અને સાધુને માટે પૈસા આપી ખરીદવામાં આવે તે એના બનાવવામાં સાધુને પણ ભાગ થયે. રેલ્વે તમારા માટે ચાલતી નથી પણ પૈસાને માટે ચાલે છે; પણ જ્યારે પૈસા આપીને બેઠા ત્યારે તેના પાપમાં ભાગીદાર બન્યા કે નહિ ? , લેકે સીધી સાદી ચીજ કહીને ન લેવા યોગ્ય ચીજોને પણ અપનાવી લે છે. પરંતુ જે સામાન્ય વસ્તુમાં પાપ ન હોત, અને જે તે વસ્તુ લેવામાં પાપ ન હોત તો ભગવાન સાધુને માટે આ પ્રમાણે નિષેધ ન કરત. બીજા લોકો સામાન્ય વસ્તુના ભુલાવવામાં પડી જાય છે તે વાત જુદી છે, પરંતુ જેન થઈને તમે સીધી સાદી ચીજના ભુલાવવામાં પડી ગયા તે એ ઘણું આશ્ચર્યની વાત કહેવાય ? '
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy