SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ વદ ૩] રાજકોટ–ચાતુર્માસ [ ૪૦૧ જ બેસી રહેા. આપ સિંહાસન ઉપર બેસવાને યેાગ્ય છે, તથા શીલનું મહત્ત્વ બતાવવા માટે પણ આપ સિંહાસન ઉપર બેસી રહે એવી અમારી પ્રાથના છે. જનતાની પ્રાર્થનાને સ્વીકાર કરી સુદર્શન સિ ંહાસન ઉપર બેસી રહ્યા. રાજા-પ્રજા વગેરે સુઈનના સિંહાસનની પાછળ પગપાળા ચાલવા લાગ્યા. આ દૃશ્ય જોઈ તે ઘણા લેાકાની ભાવના બદલી ગઈ હશે. આત્મા અજ્ઞાનતાથી પાપ તા કરી બેસે છે, પણ કાઈ મહાપુરુષના સમાગમથી પેાતાનાં અંધનેને તડાતડ તેડી નાંખે છે. જે સુદર્શનની મહિમા દેવેએ પણ ગાઈ છે તે સુદર્શનના સરઘસને જોવા કાણુ આવ્યું નહિ હોય? થાડા ઢમ ઢમ અવાજ સાંભળીને પણ સ્ત્રીએ રસાઈ બનાવવી છેાડી દઈ તે જોવા ઢાડે છે તે શું સુદર્શનની આવી મહિમા—ઋદ્ધિ જોવા સ્ત્રીઓ દાડી આવી નહિ હોય ? ઉતાવળને લઈ સ્ત્રી જેવા તે શૃંગાર કરી સુદૃર્શીનને જોવા દેાડી આવી. જ્યારે કાઈ તેમને શૃંગાર જોઈ હસવા લાગતું ત્યારે તે સ્ત્રીઓ એમજ વિચારતી કે આજે હસવાના-ખુશી થવાને જ દિવસ છે, માટે જ બધા લેાકેા આજે હસે છે. આ પ્રમાણે બધાને પ્રસન્ન કરતું સુદર્શન અને મનેારમાનું સરધસ તેના ઘરની નજીક આવ્યુ. મનેારમા વિચારવા લાગી કે, આ બધા લેાકેા મારે ત્યાં આવે છે એટલા માટે આ બધા લોકા મારા મહેમાન છે. અને તે કારણે મારે તેમને આદરસત્કાર કરવા જોઇએ. વાસ્તવમાં ગૃહ ગૃહિણીનું જ હાય છે. o Ο ગૃહ ગૃહિણીનું હાય છે કે પત્થરનું હાય છે? જે અતિથિને સત્કાર કરે, પતિની ઇચ્છાને પાર પાડે અને બધાને પ્રસન્ન રાખે તે જ ગૃહિણી છે. જે ધરમાં કશા કયાળી સ્ત્રી હાય છે તે ધર શાભતું નથી. સારી સ્ત્રી, પેાતાના પતિની ભાવનામાં વિકાર પેદા કરનારનું મેઢું પણ જોવા ચાહતી નથી. પરંતુ જે પતિની ભાવનાને ઉજ્જવલ રાખે, પતિને પ્રસન્ન રાખે અને પતિગૃહને શેાભાવે એવી સ્ત્રી મેાટા ભાગ્યથી જ મળે છે. રાજા તથા નગરજતાને આદરસત્કાર કરવાના વિચારથી પેાતાનું ઘર નજીક આવેલ જાણી મનેારમા સિંહાસન ઉપરથી નીચે ઊતરી પડી અને આગળથી પેાતાને ઘેર જઈ બધું વ્યવસ્થિત કરી રાજાને તથા બધા નગરજતાના સત્કાર કરવાની તૈયારી કરવા લાગી અને આ શુભ પ્રસંગને લઈને પોતાના ઘરના ચાકમાં મેતીએ પુરવા લાગી. હવે સરધસ કેવી રીતે તેને ઘેર આવે છે અને રાજા સુદર્શનને શું કહે છે, અને સુઈન રાજા પાસેથી શું માગે છે તેને વિચાર આગળ કરવામાં આવશે. આજે મેારખીના નગરશેઠે મેારખી પધારવાની તથા પોરબંદરના નગરશેઠે પોરબંદર પધારવાની પૂજ્યશ્રીને વિનંતી કરી. તથા રાવસાહેબ શેડ લક્ષ્મણદાસજી જલગાંવવાળાએ પણ લિખિત વિનંતી કરી કે પૂજ્યશ્રી જલગાંવ પધારી સૂત્રેાના ઉદ્ધાર કરે. આ કાÖમાં જેટલા ખર્ચો થશે તે હું માથે ઉપાડીશ, અને તે કાર્યને અંગે જેટલી પુંજી રાકવી પડશે તે વગર વ્યાજે રાકીશ તથા સૂત્રેાના વેચાણ બાદ જે હાનિ થશે તે હાનિ હું સહી લઈશ અને જો કાંઈ લાભ થશે તે તે લાભ રતલામ મંડળને આપી દઈશ. આ વિનંતી પત્ર નીચે મુજબનેા હતેા. ---
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy