SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૧૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [અષાડ કટોકટીના સમયે પણ તેમણે શીલવતનું બરાબર પાલન કરી, લોકો માટે તે એક નૂતન આદર્શ ઉપસ્થિત કરી ગયા છે એ પણ બતાવવામાં આવ્યું છે. ' શીલવતનું પાલન કરી જે અનેક છે પિતાનું કલ્યાણ કરી ગયા છે એ બધા ધર્માભાઓનું ચરિત્રવર્ણન અત્રે થઈ શકે નહિ પણ કોઈ એકના ચરિત્રનું જ વર્ણન કરી શકાય એમ છે. પિતાની પાસે રંગ હોય તે જેટલા હાથી-ઘેડા ચિતરવા હોય તેટલા ચીતરી શકાય છે પણ જે સમયે જેટલાની આવશ્યકતા હોય અથવા એક સમયમાં જેટલા બનાવી શકાય તેટલા જ બનાવવામાં આવે છે. તે પ્રમાણે શીલવ્રતના પાલનહાર અનન્ત છ કલ્યાણ કરી ગયા છે. પરંતુ એક સમયમાં બધાનું ચરિત્ર આલેખી શકાય નહિ, એક સમયમાં તે એક જ ધર્માત્માનું ચરિત્ર વર્ણવી શકાય એટલા માટે અત્રે સુદર્શનનું ચરિત્ર કહેવામાં આવે છે. ત્રીપ્રસંગદ્વારા કે કોઈ બીજા ઉપાયે વીર્યને નષ્ટ ન કરવું એ સાધારણ રીતે શીલને અર્થે કરવામાં આવે છે. પણ આ અર્થ એકાંગી છે. શીલનો અર્થ આટલો જ થતું નથી પણ તેની વ્યાખ્યા વિસ્તૃત છે. ખરાબ કામમાંથી નિવૃત્ત થઈ સત્કાર્યમાં પ્રવૃત્ત થવું એનું નામ શીલ છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બન્ને કાર્યનાં અંગ છે. પ્રવૃત્તિ વિના નિવૃત્તિ થઈ શકતી નથી તેમ નિવૃત્તિ વિના પ્રવૃત્તિ થઈ શકતી નથી. સાધુમાં જે સુમતિ હોય અને ગુપ્તિ ન હોય અથવા ગુપ્તિ હોય અને સુમતિ ન હોય તે કામ ચાલી શકતું નથી. કારણ કે સુમતિ અને ગુપ્તિ એ બનેની આવશ્યકતા રહે છે. સુમતિ એ પ્રવૃત્તિ છે અને ગુપ્તિ એ નિવૃત્તિ છે. માટે એ બનેયની આવશ્યકતા છે. આ જ પ્રમાણે પ્રત્યેક કામમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બનેયની આવશ્યકતા રહે છે. જે સૂર્ય તમને પ્રકાશ ન આપે, પાણી તમારી તરસ ન છીપાવે અને અગ્નિ જે તમારું ભોજન ન પકાવે તે તેની પ્રશંસા કઈ કરતું નથી. તે પ્રમાણે જે મહાપુરુષ પિતાનું જ કલ્યાણ સાધી લે અને તમારું કલ્યાણ કરવામાં પ્રવૃત્ત ન થાય તે તમે તેમને વંદન પણ કેમ કરી? આ પ્રમાણે જો મહાપુરુષે તમારા કલ્યાણના કામમાં પ્રવૃત્ત ન થાય તે ગજબ જ થઈ જાય ! અને પિતાનું કામ સાધવામાં પણ બહુ મુશ્કેલી આવી પડે. શીલ અર્થ ખરાબ કામને ત્યાગ કરી સત્કાર્યમાં પ્રવૃત્ત થવું એવો થાય છે. તે ખરાબ કામ કયાં ક્યાં છે તે આપણે જોવું જોઈએ! હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, મદિરાપાન વગેરે દુર્બસને એ બધાં ખરાબ કામો છે. આ સ્થન માં બીડી, તમાકુ, ભાંગ, શરાબ વગેરે દુર્ગુણોને પણ સમાવેશ થઈ જાય છે. આ દુર્ગણોનો ત્યાગ કરવો એટલે ખરાબ કામોમાંથી અળગા થવું. બીજાઓની સાથે કોઈ પણ પ્રકારનું ખરાબ કામ કરવું એને અર્થ પિતાના આત્માની સાથે દુર્વ્યવહાર કરવા સમાન છે. બીજાને ઠગ એટલે પિતાના આત્માને ઠગો. એટલા માટે હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, બહેન-બેટી ઉપર ખરાબ નજર ન ફેકવી, બીડી, તમાકુ, ભાંગ વગેરે દુર્વ્યસનોનું સેવન ન કરવું–વગેરે દુર્વ્યસનોથી બચવું એટલે ખરાબ કામોથી અળગા થવું, એ નિવૃત્તિ છે. અને દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ખાવાપીવામાં વૃદ્ધિ ન રાખવી તથા ધર્મકાર્ય કરવું એ પ્રવૃત્તિ છે. અત્યારે શીલનો અર્થ કેવળ શ્રીપ્રસંગ ન કરે એટલે જ કરવામાં આવે છે. જે પરસ્ત્રીપ્રસંગ કરતા નથી પણ સ્વ–સ્ત્રીને ત્યાગી નથી તે આંશિક શીલ પાળ
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy