SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કહેતી હતી કે, મારા હત્યની વાત એ કહી આપે તે જ મારા પતિ છે. કેટલાક લોકોએ -હૃદયની વાત કહેવાને ઢાંગ પણ કર્યો છતાં પણ દમયંતીએ તેમનું કહ્યું માન્યું નહિ. તે વખતે જ નલ કુબડાનું રૂપ ધારણ કરી રસોયો બની આવ્યા હતા, તેણે લોકોને કહ્યું કે, જો દમયંતી મારી વાત સાંભળે તે હું તેના હૃદયની વાત કહી શકું છું. દમયંતીએ તેની વાત સાંભળવાને સ્વીકાર કર્યો ત્યારે નલે દમયંતીના હૃદયની વાત કહી આપી. દમયંતીએ તે જ વખતે નલને હાથ પકડી કહ્યું કે, હવે આપ ક્યાં જશે? નલ કહેવા લાગ્યો કે, હું નલ નથી. હું તે કુબડે. છે અને નલ તે સુંદર છે. દમયંતીએ કહ્યું કે, ગમે તે હો પરંતુ હવે તમે છટકી શકે એમ નથી. મારે પુનર્વિવાહ કરે ન હતે પણ મારે તે મારા પતિને શોધવા હતા. આખરે નલને પિતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરવું જ પડયું. આ પ્રમાણે દમયંતીએ પિતાના પતિને માટે ઈન્દ્રને પણ ઠોકર મારી, પણ તેમને સ્વીકાર ન કર્યો.” સુદર્શન કહે છે કે, “મારા પ્રભુ મારા હૃદયમાં હતા તે મેં સંસારની પણ પરવા ન કરી. હું આ રાજાની પ્રજામાં એક છું. જ્યારે રાજાએ જ મને ઉચ્ચ આસન આપ્યું છે તે પછી હું હૃદયની વાત ન કહેતાં બહારની વાત કેવી રીતે કહી શકું? હું તે હૃદયની જ વાત કહીશ.” - સત્ય વાત કહેનાર વક્તા દુર્લભ છે અને શ્રોતા પણ દુર્લભ છે. પણ જે સાચા મહાનુભાવ છે તેઓ તે સત્ય વાતને કહે છે પછી ભલે તે સત્ય વાતને કોઈ સાંભળે કે ન સાંભળે ! " - સુદર્શન કહે છે કે, “લેકોએ મને એમ પણ કહ્યું હતું કે, “ન બોલવાથી તમારી બદનામી થશે અને બેલાથી રાણીને દંડ મળશે અને તમને કાંઈ નહિ થાય.” લોકોએ આમ કહ્યું છતાં હું કાંઈ બે નહિ કારણકે રાણીની વિરુદ્ધ બેલવા માટે મારું હૃદય ના પાડતું હતું. ”, ચાતક તરસથી પીડાતા હોય ત્યારે કોઈ તેને એમ કહે કે, સરેવર પાણીથી ભરેલાં છે તો પછી શા માટે તરસથી પીડાય છે ? પાણી કેમ પી લેતા નથી ? આ પ્રશ્નના ઉત્તરમાં ચાતક કહેશે કે, આકાશમાંથી પડેલા એક જલબિંદુને ઝીલવામાં હું પ્રસન્નતા અનુભવીશ પરંતુ સરોવરનું પાણી પી નહિ શકું; કારણ કે, મારા હૃદયની મિત્રતા આકાશના એ જલબિંદુ સાથે જ છે. " ભકત કહે છે કે, ભલે હજારે યુનીવર્સીટીઓ હોય પણ અમારા જેવા મસ્તાનના ઉસ્તાદ તો બીજા જ છે. સુદર્શને કહે છે કે, “મારા અનેક હિતચિંતકેએ મને બેસવાનું ઘણું કહ્યું અને હું નહિ તેથી એ લેકો નારાજ પણ બહુ થયા અને કહેવા લાગ્યા કે, અમે આટઆટલું કહીએ છીએ છતાં માનતા નથી અને એ રીતે તમે અમારું અપમાન કરી રહ્યા છો પણુ વાસ્તવમાં હું તેમનું અપમાન કરતા ન હતા, પરંતુ હૃદયના મિત્રની વાતને કાર્યમાં મૂકી રહ્યો હતો.” સીતાને સમજાવવામાં અને ધમકાવવામાં કોઈ પ્રકારની ખામી રાખવામાં આવી ન હતી. સીતાને તે ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે, રામ લક્ષમણ તે વનમાં વિચરનારા ભીલ છે અને રાવણ તે સેનાની લંકાના સ્વામી છે. છતાં પણ શું સીતા પ્રલોભનમાં પડી હતી ?
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy