SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પાસે કરાવવામાં અને બીજાની પાસે કરાવવામાં શું અંતર છે એને માટે ભોજન કહે છે કે તોય માંગિ માંગિ ન માંગિ કહાયે, સુનિ સુભાવ શીલ સુયશ માંગન જન આયે. ભક્તો કહે છે કે, હે! પ્રભો ! હું બીજા પાસે માંગું છું તે તે તે મને ભિખારી જ રાખવા ચાહે છે, અને તે તે દાતા બને છે. પણ તું એ છે કે માંગનારની માંગણી જ તું સદાને માટે મટાડી દે છે. જે પ્રમાણે સાકરની પુતળી પાણીની પાસે માંગવા જાય છે તે પાણી તેને પિતાનામાં જ મેળવી લે છે, તે જ પ્રમાણે તારી પાસે માંગણી કરવાથી તું તે માંગનારને યાચક રાખતું નથી, પરંતુ પિતાના જેવો બનાવી લે છે. એટલા માટે સનાથ બનવા માટે પરમાત્માની જ પ્રાર્થના કરવી જોઈએ. અનાથી મુનિને અધિકાર–૪૪ અનાથી મુનિ રાજા શ્રેણિકને પણ આ જ વાત કહી રહ્યા છે. રાજા ગૃહસ્થ છે અને મુનિ ત્યાગી છે; છતાં પણ મુનિ રાજાને બતાવી રહ્યા છે કે, કેટલાક લેકે સાધુ થઈને પણ અનાથતામાં પડી જાય છે ! કેટલાક લેકે એમ કહે છે કે, ગૃહસ્થની આગળ સાધુ-આચાર કહેવાની શી જરૂર છે ? સાધુ-આચારની વાત સાધુઓએ એક જગ્યાએ બેસી અંદરોઅંદર કરી લેવી જોઈએ. ગ્રહસ્થાની સામે એ વાતે મૂકવાથી શો લાભ ! આ કથન ઠીક હેય તે તે અનાથી મુનિએ રાજા શ્રેણિકની સામે સાધુ-ચર્ચા કરવી ન જોઈએ, પણ તેમણે સાધુ વિષે ચર્ચા કરી છે એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, સાધુ વિષેની ચર્ચા ગૃહસ્થની સામે કરવી નકામી નથી. આ સિવાય જે સાધુ આચાર સંબંધી સાધુઓ અંદર અંદર વાત કરી લે, અને ગૃહસ્થને સાધુ-આચાર સંબંધી વાત કરવામાં ન આવે તે ગૃહસ્થોને એ કેવી રીતે ખબર પડે કે, આ સાધુ છે કે નહિ ? એટલા માટે ગૃહસ્થોની સામે સાધુ–આચાર સંબંધી વાત મૂકી એ બતાવવામાં આવ્યું છે કે, આગમના આ કથનાનુસાર જેઓ આચરણ કરતા હોય તેને સાધુ માને અને જેઓ તદનુસાર આચરણ ન કરતા હોય તેને સાધુ ન માને. કોઈ એમ કહે કે, આગમમાં આ પ્રમાણે કહ્યું છે છતાં આ સાધુ છે કે નહિ તે વાતને નિર્ણય અમે આગમ પ્રમાણથી કેવી રીતે કહી શકીએ ? કારણ કે કેટલાક સાધુઓ ઉપરથી તે આગમાનુસાર વ્યવહાર રાખતાં જોવામાં આવે છે પણ અંદરથી તેઓ આગમાનુસાર વ્યવહાર રાખે છે કે નહિ એ વાત અમે ગૃહસ્થો કેવી રીતે જાણી શકીએ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તમારે સાધુની અપેક્ષાએ શાસ્ત્રને વધારે પ્રમાણભૂત માનવાં જોઈએ અને જોવું જોઈએ કે, શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તેનું આચરણ છે કે નહિ ? તમે ગૃહસ્થ નિર્ચન્ય પ્રવચનના દાસ છે. નિર્ચન્ય પ્રવચનને આચરણમાં ઉતારવાં એ તે પિતાની શક્તિ ઉપર આધાર રાખે છે પણ શ્રદ્ધા છે તેની જ રાખવી જોઈએ. જેઓ સાધુ છે તેમણે તો નિગ્રન્થ-પ્રવચન અનુસાર જ ચાલવું જોઈએ. જે શાસ્ત્ર અનુસાર ચાલી ન શકાય તો સાધુપણું છોડી ચાલી જનારની શાસ્ત્ર નિદા કરતું નથી. પણ સાધુ થઈને નિર્ચન્ય-પ્રવચનની વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારની અનાથી મુનિ ટીકા કરે છે.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy