________________
જીદ ૭ ]
રાજકોટ–ચાતુર્માંસ
[૪૦૫
જ જવું જોઈ એ. આત્મા પરમાત્મા સિવાય કાઈ ખીજી બાજુ ન જાય તેા એમ સમજવું કે તેને પરમાત્માને જ આધાર છે, બીજા કાઈ ના આધાર નથી.
પરમાત્માને આધારભૂત બનાવવા માટે આત્માએ એમ વિચારવું જોઈએ કે, અત્યારે મારી કેવી દશા છે ? અને પરમાત્માને આધારભૂત બનાવ્યા બાદ મારી કેવી દશા હેાવી જોઈ એ ? પક્ષી તે આકાશને જ પોતાના આધાર માને છે. માને કે, કાઈ એક વૃક્ષ ઉપર એક બાજુ આકાશને આધાર માનનાર પક્ષી ખેડેલ છે અને ખીજી બાજુ વાંદરા ખેડેલ છે. હવે પવનના વેગથી, પોતાના ભારથી કે કાઈ ખીજા કારણે જો વૃક્ષ પડવા લાગે તે। કાને દુઃખ થશે ? પક્ષી તે એમ જ વિચારશે કે, મારા માટે તેા આકાશના આધાર છે અને મારી પાંખાની સહાયતા વડે હું આકાશમાં ઉડી શકું છું. આ પ્રમાણે વૃક્ષના પડવાથી પક્ષી તા ઉડી જશે પણ વાંદરા તા એ વૃક્ષની સાથે જ પડી જશે.
જ્ઞાનીજને, જ્ઞાની અને અજ્ઞાનીએમાં પણ આવું જ અંતર જુએ છે અને બન્નેની સ્થિતિ આ પ્રકારની જ માતે છે. નાની અને અજ્ઞાનીઓ સાધારણ રીતે ખાન-પાન તે એક સરખું કરે છે, છતાં પણ બન્નેમાં અંતર છે. જે જ્ઞાની હેાય છે તે તા એમ વિચારે છે કે, હું આ સંસારના આધારે રહ્યો નથી. આ સંસાર રહે કે ન રહે, મને તેથી કાંઈ દુ:ખ થવાનું નથી. કારણ કે હું તેા જ્ઞાનની પાંખદ્વારા પરમાત્માની તરફ ઉડી જઇશ. આ ઉચ્ચ ભાવને કારણે જ્ઞાનીજા સસારા મેહ રાખતા નથી. જ્ઞાતીએ સંસારમાં કેવી રીતે રહે છે તે વિષે કહ્યું છે કેઃ—
۲۱
વે સમષ્ટિ જીવા, કરે કુટુંબ પ્રતિપાલ, અંતરસે ન્યારા રહે, જ્યાં ધાય ખિલાવે ખાલ.
સમદષ્ટિ જીવે સંસારમાં રહેવા છતાં સંસારને પેાતાને આધાર માનતા નથી; પણ પેાતાના જ્ઞાનની સહાયતાથી પરમાત્માને આધાર લે છે. વૃક્ષ ા પડે છે, તેા તેની સાથે પડવું શું ઠીક છે ? આ જ પ્રમાણે સંસાર પણ પડનાર છે, તે પછી તેની પાછળ હાયવાય કરી શા માટે મરવું ? તે વખતે તે એમ વિચારવું જોઇએ કે, સંસાર જાય કે રહે, મને તેથી શું ! હું તેા જ્ઞાનના આધારે છું. તે પછી મને શાનું દુઃખ ? આ પ્રમણે ઊઁચા વિચાર રાખવા આવશ્યક છે.
મતલ" કે, જે પ્રમાણે પક્ષી પાંખદ્વારા આકાશ તરફ ગતિ કરે છે તે જ પ્રમાણે આત્માએ પણુ જ્ઞાનદ્વારા પરમાત્મા પ્રતિ ગતિ કરવી જોઈએ. જે પ્રમાણે પક્ષીઓને પાંખા સ્વાભાવિક છે અને આકાશ પણ સ્વાભાવિક છે, કેવળ ઉડવાની વાર છે; તે જ પ્રમાણે આત્મા પણ છે, જ્ઞાન પણ છે અને ત્રિકાલમાં રહેનાર પરમાત્મા પણ છે. કેવળ પરમાત્મા તરફ ગતિ કરવાની જરૂર છે. એટલા માટે પરમાત્મા તરફ ગતિ કરેા તા તેમાં કલ્યાણ જ છે,
પરમાત્મા પાસે કેવી આશા રાખવી જોઈએ એ વાતના નિર્ણય કરવાની આવશ્યક્તા રહે છે. તેમની પાસે નાથ બનવાની આશા રાખવી જોઈ એ કે અનાથ બનવાની ? જે અનાથ થવાની આશા પૂરી કરાવવી હેાય તે પરમાત્માની પ્રાર્થના કરવી વ્યર્થ છે. આવી આશાને અ` એ થાય છે કે પરમાત્માની પાસે જવું જ નથી તેા પછી પ્રાર્થના શું કરશે? એટલા માટે પરમાત્મા પાસે સનાથ બનવાની જ આશા કરવી જોઈ એ. આ આશાની પૂર્તિ પરમાત્મા