SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ ૫] રાજકોટ–ચાતુર્માસ [ ૩૯૭. - લેકો કહે છે કે, દયાના કારણે કાયરતા આવી છે; પરંતુ વાસ્તવમાં દયાધર્મ એ વીર પુરુષોને ધર્મ છે. કાયરોઠારા દયાનું પાલન થઈ શકતું નથી. આજના લેકોએ દયાને કાયરતાનું રૂપ આપ્યું છે, પણ વાસ્તવમાં દયા વીરાની છે, કાયરની નહિ. જે લેાકો વીર હોય છે તે લોકો સત્યને પહેલાં જુએ છે અને સત્યની સાથે જ દયાનું પાલન કરે છે. વીરો સત્યને દયાના નામે નાશ કરતા નથી. મનરમા કહે છે કે, સત્યને કારણે જ હું પતિની અધોગના છું. જે પતિમાંથી સત્ય ચાલ્યું ગયું તે પછી પતિને એક ક્ષણ માત્ર પણ જીવિત રહેવાને અધિકાર નથી. ' • આજે ઘણું લેકો યુવાનીના નશામાં મસ્ત બની સત્ય–શીલને તુચ્છ માને છે પણ એ તેમને ઊલટે માર્ગ છે. સન્માર્ગ તે તે છે કે, જેનામાં સત્ય-શીલ નથી તેને જીવવાને પણુ અધિકાર નથી. | મનરમાએ પિતાના બાળકોને કહ્યું કે, “આપણે બધાં સત્યના ખોળામાં બેઠેલો છીએ.” પછી તમે શા માટે ? છો ? લેકે કહે છે કે શેઠને સમજાવો, પણ સત્યને શું સમજાવવું ? એટલા માટે ચાલે, આપણે બધા ધર્મકાર્ય કરીએ!” - આજે ઘરમાં મહેમાનોને ઉતારવા માટે જુદા જુદા એસ્ટાઓ રાખવામાં આવે છે પણ ધર્મકાર્ય કરવા માટે કોઈ જુદું સ્થાન રાખવામાં આવતું નથી. ધર્મકાર્ય કરવા માટે એવું સ્થાન હોવું જોઈએ કે, જ્યાં ખરાબ ભાવના પણ ન આવે. પહેલાના લેકે ઘરમાં જ પૌષધશાળા પણ રાખતા હતા. મનેરમા પિતાના બાળકને લઈ પૌષધશાળામાં ધર્મકાર્ય કરવા ગઈ. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી “વિચાર કરવામાં આવશે.' વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી પ્ર રવિવાર પ્રાર્થના સુમતિ જિનેશ્વર સાહિબાજી, “મેઘરથ” નૃપને નંદ; સુમંગલા માતા તણે, તનય સદા સુખકંદ. પ્રભુ ત્રિભવન તિલેજ, સુમતિ સુમતિ દાતાર; મહા મહિમા નીલજી, પ્રણમું વાર હજાર. પ્રભુ " –વિનયચંદ્રજી કુંભટ ચોવીશી. ' શ્રી સુમતિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.. પ્રાર્થના કરનારે પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કે આદર્શ સામે રાખવો જોઈએ અને કેવી રીતે આત્મવિકાસ કરવો જોઈએ, એ વાત આ પ્રાર્થનામાં બતાવવામાં આવી છે. જે ઉપદેશ બાળક, વૃદ્ધ, સાધુ, ગૃહસ્થ વગેરેને માટે સમાન ઉપયોગી હોય તે જ ઉપદેશ સમાજ સમક્ષ મૂકવામાં આવે છે અને તે જ ઉપદેશ સમાજને વધારે લાભપ્રદ સિદ્ધ થાય છે. પરમાત્માની પ્રાર્થના કરતી વખતે દષ્ટિ સમક્ષ કેવો આદર્શ રાખવો જોઈએ એ વાત સાંસારિક પદાર્થો ઉપર દૃષ્ટિપાત કરવાથી સ્પષ્ટ જણાય છે. મનુષ્ય પોતાના જ્ઞાનથી આગળ
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy