SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ નહીં નિકલી ઘર, બાહર શેઠાની, ધીરજ, મનમેં ધાર; દિયા ધ પાંચેાં પુત્રનકે, એક ધર્મ આધાર. સત્ય ન મરતા સુના પુત્ર તુમ, ઝૂન મુઝે સહાય; આજ શેઠ સૂલીસે ઉગરે, તા મેં નિરખૂજાય. : [ બીજા ભાદરવા "ધન ૯૬૫ "ધન ૯૭ શેડને શૂળીએ ચડાવવાની વાત સાંભળતાં જ મનેારમા મુચ્છિત થઈ નીચે ઢળી પડી. તેના પાંચેય પુત્ર! ‘ મામા ' કરતાં તેના ખેાળામાં બેસી ગયા. થેાડીવાર બાદ ઉપચાર કરવાથી તે બેઠી થઈ અને વિચારવા લાગી કે, હવે મારે શું કરવું ? આ લેાકેાના કહેવા પ્રમાણે મારે પતિની પાસે જવું કે પતિના કાર્યમાં વિશ્વાસ રાખી મારે તેમની પાસે ન જવું ! મને તેા એવા દઢ વિશ્વાસ છે કે, મારા પતિ રાણી ઉપર હુમલા કરે એ કદાપિ સંભવે એવું નથી. એ તા, સૂર્ય અંધકાર આપે છે, અમૃત મૃત્યુ નીપજાવે છે અને ચંદ્રમા અગ્નિ વરસાવે છે એમ કાઈ કહે એના જેવી વાત છે. કદાપિ આ વાત કદાચ બની શકે પણ મારા પતિ · પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ ફેકે એ કદાપિ સંભવિત નથી, એવા મને હૃઢ વિશ્વાસ છે. પતિ-પત્ની વચ્ચે હૃદયને વિશ્વાસ કેવા હેાવા જોઈએ તે મનારમાના ચરિત્ર ઉપરથી જુએ. પતિપત્નીની લગનીનું ઉદાહરણ, ભક્ત લેા પરમાત્માની ભક્તિમાં લે છે અને કહે છે કે ' પલક ન વસરે પદ્મમણિ પિયુ ભણી ’ જે પ્રમાણે પતિવ્રતા સ્ત્રીના પ્રેમ પોતાના પતિમાં અપૂર્વ હોય છે તે પ્રમાણે ભક્ત લેાકા પાતાની કાન્તારૂપી ભક્તિના પ્રેમ પરમાત્મા પ્રત્યે અપૂર્વ રહે એમ કહે છે. આ ઉપરથી પતિ પત્નીના પ્રેમ કેવા અપૂર્વ હોય છે તેને વિચાર કરી. .. મનેારમાના બાળકો રેશતાં રાતાં કહેવા લાગ્યાં કે, “ મા, તમે મૂર્છિત થઈ તે કેમ નીચે ઢળી પડડ્યાં હતાં ? અને અમારા પિતાને જો શૂળી ઉપર ચડાવવામાં આવશે તે પછી અમારું શું થશે ?” v_1_ બાળકાને કેવું દુઃખ થાય છે. એ વાત તેા બાળકા જ જાણે છે અને જેમને બાળક છે તેએ જ જાણે છે. મનારમાએ, દુઃખિત થતાં બાળકને હૈય આપતાં કહ્યું કે, “ પુત્રા ! તમે કેમ રુવા છે ! મને એવા દૃઢ વિશ્વાસ છે કે, સત્ય કાઈ દિવસ મરતું નથી અને જે અસત્ય છે તે તો મવું જ જોઇ એ. મને અસત્ય ખીલકુલ પસંદ નથી. લોકા કહે છે કે, ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વ ધારણ કરનાર પણ ચલિત થઈ જાય છે. સંભવ છે કે, એ લેાકેાના કથનાનુસાર તમારા પિતાજી પણ ચલિત થયા હાય ! પરંતુ જો તેઓ ચલિત થયા હાય તે। પછી જીવનમાં શું મા? જ્યાંસુધી તેઓ સત્યધર્મી છે ત્યાંસુધી હું તેમની અધોગના હું પણ જો તેમાંથી સત્ય ચાલ્યું ગયું હેાય તે પછી તેમના માટે મરવું એ જ સારું છે.” હવે કદાચ કાઇ એવા પ્રશ્ન કરે કે, શું મનેરમા એટલી બધી ધ્યાહીન છે કે તેણીએ આ પ્રમાણે કહ્યું ? તે જ્ગાવવાનું કે, રાજીમતિએ સ્થતેમીને કહ્યું. હતું કે, “ હે ! અપયશકામી ! તને ધિક્કાર છે ! તું મરી કેસ જ્તા નથી ! આ પ્રમાણે પતિત થવા કરતાં તા મરી જવું એ સારું છે. ” રાજીમતિએ પણુ, આ પ્રમાણે કહ્યું હતું. તે શું તેમને દયાહીન કહી શકાય ?
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy