SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [પ્ર. ભાદરવા કહેવાનો આશય એ છે કે, આ પ્રકારના સંકલ્પથી દુઃખ પેદા થાય છે એ તે તમે પણ અનુભવથી જાણી શકે છે. જ્યારે સંક૯૫થી દુ:ખ પેદા થાય છે તે પછી શું સંકલ્પથી દુઃખ નાશ ન પામે ? અને સંકલ્પથી જયારે દુઃખ પેદા થાય છે તે સંકલ્પથી સુખ પેદા થઈ ન શકે? આ પ્રમાણે પિતાના સંકલ્પને કારણે જ સુખ-દુઃખ પેદા થાય છે. આજના લોકોને સંકલ્પના બળ વિષે સંદેહ પેદા થાય છે, પણ સંકલ્પમાં અનંત બળ રહેલું છે. સંકલ્પની મહિમા બતાવતાં ઉપનિષદમાં પણ કહ્યું છે કે – स यः संकल्पं ब्रह्ममेत्युपासते कलप्तान् वै स लोकान्धुवान्धुवः ॥ અર્થાત–આત્મા જ્યારે પિતાના સંકલ્પને ઈશ્વરનું રૂપ આપે છે અને તેની દઢતાપૂર્વક ઉપાસના કરે છે ત્યારે ઉત્પા, વ્યય અને ધ્રવ્ય એ સંકલ્પના આધારે જ થાય છે. દેવગતિ, નરકગતિ, તિર્યંચગતિ કે મનુષ્યગતિ સંકલ્પદ્વારા જ પ્રાપ્ત થાય છે, અને પિતાના સંકલ્પથી જ મોક્ષ પણ મળે છે. અહીં એક વિચારવા જેવી વાત એ છે કે, જ્યારે સંકલ્પથી જ મનુષ્યગતિ મળે છે તે પછી મનુષ્ય લોકની રચના કોણે કરી ? મનુષ્ય લેકની રચના આત્માએ પોતાના સંકલ્પથી જ કરી છે. આ મકાન કે આ શહેર જેમાં તમે હસી રહ્યા છે તે આત્માના સંકલ્પઠારા જ બનેલ છે. આ પ્રમાણે આ આત્મા સંકલ્પ તે કરતે જ રહે છે પણ જે તેને સંકલ્પ સત્સંકલ્પ હોય તે તે દ્વારા તેને ધ્રુવ અર્થાત મેક્ષ પણ પ્રાપ્ત થઈ શકે છે. સત્સંકલ્પ જ ઈશ્વર છે એમ માની સંકલ્પ ઉપર દઢ રહે અને સંકલ્પ ઉપર દૃઢ વિશ્વાસ રાખે. ભક્ત તુકારામ કહે છે કે – નિશ્ચયાચા બલ તુકા હણે તેચ ફલ” અર્થાત–સંકલ્પમાં ઘણું બળ રહેલું છે. એટલા માટે તમે પણ સત્સંકલ્પ કરે અને અને તે ઉપર દઢ વિશ્વાસ રાખે. સુદર્શન ચરિત્ર–૩૪ હવે એક એવા મહાપુરુષની વાત કહેવામાં આવે છે કે જે દૃઢ નિશ્ચયી અને સત્સંકલ્પી હતે. અવસર દેખ શેઠ તબ બાલો, સન સને બહ માતા પંચ સાતમેં તુમ અગ્રેસર, તજ દો બેટી વાત. ધન છે તજ દે ચહ તેફાન સુદર્શન, મેં નહીં તેરી માત; મુખ કપિલા તે ભરમાઈ, સુ છલા તુ ચાહત. ધન ૧૭ છે અભયા રુદન કરતી સુદર્શનને કહે છે કે, શેઠ! તમે કેવા નિષ્કર છે! તમે દયાવાન થઈને પણ મારી દયા નથી કરતા ! હું તમારા માટે આટલાં બધાં વલખાં મારું છું છતાં મને અપનાવતા નથી. અભયાનું કથન સાંભળી સુદર્શન વિચારવા લાગ્યો કે, આ માતા મને દયાવાન કહે છે તે મારે તેમને દયાભાવને પરિચય આપી પૈર્ય આપવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી સુદર્શને કહ્યું કે, મોટી મા ! તમે દુ:ખ કેમ પામે છો?
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy