SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ વદી ૨] રાજકાટ-ચાતુર્માસ [ ૨૮૫ મહેલમાં લાવતી. આમ અનેક દિવસા સુધી તેણે કર્યું. પહેરગીરી-દરવાના અને લેાકા એમ સમજતા હતા કે, આ તો ઉત્સવ થઈ રહ્યો છે. આ પ્રમાણે પંડિતાએ બધા લેાકાને ભ્રમમાં રાખ્યા હતા. પંડિતા તે મૂર્તિને, સુદર્શન જેવાં કપડાં પહેરતા તેવાં જ કપડાં પહેરાવતી. કાઈ કાઇ વાર ધ કાય કરતી વખતે પહેરવામાં આવતાં કપડાં પણ મૂર્તિને પહેરાવતી. મૂર્તિને પહેરાવેલાં કપડાં વિષે કાઇ પૂછતું તે ઝટ ને પંડિતા કહેતી કે, તમે લોકો ધર્મનાં કામ વિષે શું સમજો ? આ ઉત્તરથી લાકા વધારે કાંઈ પૂછ્તા નહિ. આજે પણ ધર્મના નામે લેાકાને ઠગવામાં આવે છે. પડિતાએ પણ ધર્મના નામે લાકોને ઠગ્યા. પડિતા મનમાં વિચારવા લાગી કે, મેં કપટજાળ તેા ખરાખર બીછાવી છે પણ એમાં સુદર્શનને ફસાવતો કેવી રીતે? આ પ્રમાણે પંડિતા તક શેાધતી હતી એટલામાં તે કાર્ત્તિકી પૂર્ણિમાના કૌમુદી મહાત્સવના સમય નજીક આવ્યા. રાજાએ નગરજનેાને હુકમ કર્યાં કે, આ મહે।ત્સવમાં ભાગ લેવા માટે બધા નગરજનેાએ મારી સાથે બહાર નીકળવું, રાજાના આ હુકમ સાંભળી સુદન વિચારવા લાગ્યા કે, બધાને માટે તે આ કામુદી મહાત્સવ છે પણ મારા માટે તા એ કાર્ત્તિકી પૂર્ણિમાના દિવસ-પૌષધ કરવાના શુભ દિવસ છે, એટલા માટે મારે તે તે દિવસે ઊષધવ્રતનું પાલન કરવું જોઇએ. પાષધના અર્થ ધર્મનું પોષણ કરવું' એ થાય છે. શ્રાવકોને માટે જે ચાર વિશ્રામસ્થાના કહેવામાં આવ્યાં છે તેમાં ધૃષધવ્રત પણ એક વિશ્રામસ્થાન છે. કેટલાક લેાકા પાષધવ્રતને ઠીક સમજે છે પણ તે દિવસે ઉપવાસ શા માટે કરવા જોઇએ એમ કહે છે ! પણ ઉપવાસ એ શરીર અને આત્મા બન્નેને માટે લાભપ્રદ છે એ વાત તેઓ ભૂલી જાય છે. જો પેટમાં હમેશાં આહાર પાણી ભર્યાં કરશેા અને તેને થાડા ત્રણા પણુ વિશ્રામ નહિ આપે! તે પેટમાં ખરાખી થઈ જશે; માટે શરીર અને આત્માને સ્વસ્થ રાખવા માટે ઉપવાસની જરૂર છે. ઉપવાસ કરવાથી પેટના કચરા સાફ થઇ જાય છે, અને આંતરડાંએને વિશ્રામ મળે છે, કે જેથી શરીરમાં શક્તિ અને સ્મ્રુતિ આવે છે. ઉપવાસ કરવાથી શરીરને કાઈ પણ પ્રકારની હાનિ થતી નથી. રાજાની આજ્ઞા સાંભળી સુદર્શન વિચારવા લાગ્યા કે, ‘ હવે શું કરવું !' તે રાજા પાસે ગયા અને વિનંતી કરી કે, “મહારાજ ! કામુદી મહાત્સવને દિવસે નગર બહાર્ જવાની અને મહેાત્સવમાં ભાગ લેવાની આપે આજ્ઞા કરી છે પણ તે દિવસ કાર્ત્તિકી પૂર્ણિમા હેાવાથી હું તે દિવસે પાષધવ્રતદ્વારા ધર્મકાર્ય કરવા ચાહું છું, માટે આપ તેમ કરવાની આજ્ઞા આપે.” તે વખતના રાજાએ પણ ધર્માત્માએ હતા, એટલે સુદનનું કથન સાંભળી રાજાએ ધર્મકાર્ય કરવાની સહ અનુમતિ આપી અને કહ્યું કે, “ શેઠ! તમને ધન્ય છે કે, તમે ધર્મકાર્યમાં મશગૂલ રહેા છે. તમે આનંદથી ધર્મસેવા કરેા.'’ રાજાની આજ્ઞા મેળવી સુદર્શન પૌષધશાળામાં આવ્યા. તેમણે પોતાના હાથે પાષધશાળાને પુંછ. સુદર્શને જે પ્રમાણે પે!તાના હાથે પાષધશાળાને પુંછ તે પ્રમાણે તમે લોકો શું તમારા હાથે પૈષધશાળાને પુંજો છે? તમે લાકા નાકરાદ્વારા પાષધશાળાને સાફ કરાવા છે, પણ તે શું તમારા જેટલી યતનાપૂર્વક સાફ્ કરી શકે ખરા ? ઔષધશાળામાં
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy