SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ ૪] રાજકાટ-ચાતુર્માસ જનક રાજાએ એવી શરત કરી હતી કે, · આ ધનુષ્યદ્વારા જે લક્ષ્યવેધ તાડશે તેને હું મારી પુત્રી સીતા આપીશ.' ' આ શરતને જીતવા માટે અનેક રાજાએએ પ્રયત્ન પણ કર્યાં, પરંતુ જ્યારે કાઈ લક્ષ્યવેધ કરી ન શક્યું ત્યારે જનક રાજાએ કહ્યું કે, આ પૃથ્વી વીરાથી ખાલી થઈ ગઈ છે, એમ આજે મને લાગે છે. જનકનું આ કથન સાંભળી લમણે રામને જોરથી કહ્યું કે, ‘ આપ અહીં બેઠા છે અને જનક રાજા આ શું કહી રહ્યા છે? જો આપ મને આજ્ઞા આપે તે હું આખા બ્રહ્માણ્ડને ઉપાડી લઉ. લક્ષ્મણે આમ કહ્યું છતાં રામને ઉત્સુકતા થઈ નિહ, પણ ઊલટું તેમને ઈશારા વડે લક્ષ્મણને શાન્ત રહેવાનું કહ્યું અને પોતે ઉઠી બધા રાજાઓને કહ્યું કે, જો કોઈ પેાતાનું જોર અજમાવવા ચાહતા હેાય તેા ભલે અજમાવે કે જેથી કાઈની મનની વાત મનમાં રહી ન જાય ! આમ કહેવા છતાં જ્યારે કોઇ રાજા ઉડ્ડયા નહિ . ત્યારે રામે ધનુષ્ય ચડાવ્યું અને લક્ષ્યવેધ કર્યું. અને શરત પ્રમાણે સીતાએ વરમાળા રામના ગળામાં પહેરાવી દીધી. આ પ્રમાણે ખીજા રાજાએની આંખેામાં અને રામની આંખેામાં અંતર જણાય છે કે નહિ ? તમે પણ એમના જેવા સ્વતંત્ર અને શુદ્ધ દૃષ્ટિવાળા અનેા તા ઇન્દ્ર પણ તમારા ગુલામ બની રહેશે. તમે તમારામાં અપૂર્ણતા જુએ છે! એટલા માટે જ સ્ત્રીના ગુલામ બની રહ્યા છે ! આ પ્રકારની ગુલામી છેડા અને સ્વતંત્ર અને ! તમને જે વ્યાપ્યાના સંભળાવવામાં આવે છે તે બધાં તમને સ્વતંત્ર બનાવવા માટે જ સંભળાવવામાં આવે છે, એટલા માટે તમે સ્વતંત્ર બનવાના પ્રયત્ન કરે ! મેં એક લેખમાં વાંચ્યું હતું કે, કયાંય રાજાનેા તે। કયાંય પ્રજાના બીજા ઉપર જુલ્મ ગુજારવામાં આવે છે પણ સૌથી મેાટા જીલ્મી સ્નેહ-રાગ છે અને સ્નેહરાગની વિરુદ્ધ વિરાધ કરનાર સુશાસ્ત્ર જ છે. બીજું કોઈ એમની વિરુદ્ધ વિરેાધ કરી શકતું નથી. સ્નેહરાગની વિરુદ્ધ વિદ્રોહ કરવાની રાજાની પણ શક્તિ નથી. એ શક્તિ તે વીતરાગપ્રણીત શાસ્ત્રોમાં જ છે. શાસ્ત્રા સ્નેહરાગની વિરુદ્ધ કેવી રીતે બળવા કરે છે એ વાત તેા બહુ લાંબી છે, એટલા માટે એ વિષે અત્રે વિચાર ન-કરતાં એટલું Ο કહું છું કે, રાજાના સ્નેહરાગ મુનિને જોતાં પલટાઈ ગયા અને તે કહેવા લાગ્યા કે, રૂપ તે આ મુનિમાં જ છે, મારામાં કે બીજા કોઈનામાં એવું રૂપ નથી. શેષ પદાને શે અ છે તેના વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે. સુદર્શન ચરિત્ર—૧૭ છેડા નહીં નવકાર ચાનકા, તક્ષણ કર ગયા કાલ । જિનદાસ ઘર નારી કુંખે, જન્મા સુંદર લાલ. ॥ રે ધન૦ ના ૧૩ | બાળકામાં જેવી દૃઢતા અને જેવા વિશ્વાસ જોવામાં આવે છે તેવી દૃઢતા અને તેવા વિશ્વાસ મેટામાં જોવામાં આવતા નથી. કોઈ બાળકને જો તેના માતાપિતા ‘છાપરા ઉપરથી બેટા ! કૂદી જા' એમ કહે તે તે તેમ કરવા તૈયાર થઈ જાય છે, પણ મોટા માણસામાં એવી તત્પરતા જોવામાં આવતી નથી. આ જ પ્રમાણે કાઈ મેાટા માણુસને વૃક્ષ ઉપરથી કૂદવું વગેરેના સંબંધમાં અનેક સંદેહ ઉદ્ભવી શકે પણ બાળક સુભગને
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy