SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧-૧૫) પાંચ ઇન્દ્રિયોની અશુભ પ્રવૃત્તિ આસ્રવ દ્વાર છે. - ઠાણાંગ ૫, ઉદ્દે-ર (૧૬-૧૮) મન, વચન, કાયા રૂપ યોગોની અશુભ પ્રવૃત્તિ આસ્રવ દ્વાર છે. (૧૯) ભંડોપકરણ વગેરે વસ્તુઓને અયતનાથી લેવું અને અયતનાથી રાખવું આસ્રવ છે. (૨૦) સોય, કુશાગ્ર જેટલી નાનામાં નાની વસ્તુઓને અયતનાથી લેવી અને અયતનાથી રાખવું આસ્રવ છે. - ઠાણાંગ-૧૦, ઉદ્દે-૩, નવ તત્ત્વ ઉક્ત વીસ ભેદ અલગ-અલગ વિવક્ષાઓનું સંકલન કરવાથી બને છે. ઉક્ત આટ્સવોનું વિસ્તૃત વર્ણન કર્યા પહેલાં અધિકરણના ભેદોનું વર્ણન કરવું પ્રાસંગિક હશે, કારણ કે અધિકરણ, કર્માસ્ત્રોમાં વિશેષતાનું કારણ હોય છે, જેમ કે પૂર્વમાં કહેવામાં આવી ગયું છે, તેથી અધિકરણના વિષયમાં જાણકારી કરવી જરૂરી છે. અધિકરણના ભેદ : કર્મ બંધમાં વિશેષતા જે કારણોથી આવે છે, એમાં અધિકરણનું કથન કરવામાં આવ્યું છે. અધિકરણનો અર્થ છે - કર્મ બંધનના સાધન, ઉપકરણ કે શસ્ત્ર. અધિકરણના મૂળ બે ભેદ છે - જીવ અધિકરણ અને અજીવ અધિકરણ. શુભ-અશુભ બધા કાર્ય જીવ અને અજીવથી જ સિદ્ધ થાય છે, એકલો જીવ કે એકલો અજીવ કંઈ જ નથી કરી શકતો. જીવના સહયોગથી જીવાજીવ અધિકરણ સક્રિય બને છે. તેથી જીવ અને અજીવ બંનેને અધિકરણ કહેવામાં આવે છે. એ બંને પ્રકારના અધિકરણ પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે-બે પ્રકારના છે. જીવ વ્યક્તિ કે અજીવ વસ્તુ દ્રવ્યાધિકરણ છે અને જીવગત કષાય વગેરે પરિણામ તથા શસ્ત્ર વગેરે નિર્જીવ વસ્તુની તીક્ષ્ણતા અને ઉગ્રતા રૂ૫ શક્તિ ભાવાધિકરણ છે. જીવ અધિકરણ સંરંભ, સમારંભ અને આરંભના રૂપમાં ત્રણ પ્રકારના, યોગ રૂપમાં ત્રણ પ્રકારના, કૃત-કારિત-અનુમતના રૂપમાં ત્રણ પ્રકારના અને કષાયના રૂપમાં ચાર પ્રકારના છે. આ બંનેને ગુણિત કરવાથી ૩×૩×૩×૪=૧૦૮ જીવાધિકરણના ભેદ થઈ જાય છે. સંસારી જીવ શુભ કે અશુભ પ્રવૃત્તિ કરતા સમયે ઉપર્યુક્ત એકસો આઠ અવસ્થાઓમાંથી કોઈ ને કોઈ અવસ્થામાં અવશ્ય રહે છે, તેથી એ અવસ્થાઓ ભાવાધિકરણ છે. જેમ - ક્રોધકૃત કાય સંરંભ, માનકૃત, કાયસંરંભ, માયાકૃત સંરંભ, લોભકૃત કાય સંરંભ એ ચાર ભેદ થયા. આ રીતે કૃત પદના સ્થાને કારિત તથા અનુભત પદ લગાવવાથી ક્રોધ કારિત કાય સંરંભ વગેરે ચાર તથા ક્રોધ અનુભત કાય સંરંભ વગેરે ચાર - કુલ બાર ભેદ થાય છે. આમ કાયના સ્થાને વચન અને મન પર લગાવવાથી બંનેના બાર-બાર ભેદ થાય છે. જેમ - ક્રોધકૃત વચન સંરંભ વગેરે તથા ક્રોધકૃત મનઃ સંરંભ વગેરે. આ ત્રણેયના છત્રીસ ભેદ થયા. આ છત્રીસ ભેદોમાં સંરંભના સ્થાને સમારંભ અને આરંભ પદ લગાવવાથી [ આસવ તત્ત્વ છે જ ૪૯૩)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy