SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે જોવું, ફાંસી વગેરેની સજાને જોવી વગેરે - સામુદાનિક ક્રિયાનું બંધ સ્થાન કે આસ્રવ સ્થાન છે. એવા પ્રસંગો પર પ્રાયઃ બધી વ્યક્તિઓનાં પરિણામ સમાન હોય છે, તેથી બંધ પણ એક સમાન પડે છે અને પ્રાયઃ ફળ પણ એક સાથે ભોગવવું પડે છે. સામૂહિક મૃત્યુનું એક નિમિત્ત એ પણ થાય છે. જેમ - જહાજનું ડૂબી જવું, પૂરમાં વહી જવું, બસ-રેલની દુર્ઘટનામાં મરી જવું, વિમાનના પડી જવાથી મરી જવું વગેરે. આ ક્રિયાના ત્રણ ભેદ છે - સાંતર સામુદાનિક, નિરંતર સામુદાનિક અને તદુભય સામુદાનિક. ઘણા લોકો સમ્મિલિત રૂપથી કામ આરંભ કરે છે, વચ્ચે છોડી દે છે અને પછી સમ્મિલિત થઈ જાય છે. આ સાંતર સામુદાનિક ક્રિયા છે. કેટલાક લોકો વચ્ચે છોડ્યા વગર નિરંતર સાથે-સાથે ક્રિયા કરતા રહે છે, આ નિરંતર સામુદાનિક ક્રિયા છે. કેટલાક લોકો સામુદાનિક ક્રિયા સાંતર પણ કરે છે, વગર અંતરની પણ કરે છે. આ તદુભય સામુદાનિક ક્રિયા છે. આમ, ઉક્ત ચોવીસ ક્રિયાઓ સાંપરાચિક આમ્રવની નિમિત્તભૂત છે. (૨૫) ઈયપથ ક્રિયા : પચ્ચીસમી ક્રિયા ઈર્યાપથ ક્રિયા છે, જે કષાય રહિત આત્માઓને માત્ર યોગના નિમિત્તથી લાગે છે. આનું વર્ણન પ્રારંભમાં આવી ચૂક્યું છે.* ઉક્ત રીતિથી ક્રિયાના ૨૫ ભેદોનું વર્ણન થયું. (૫) ત્રણ ચોગ સંબંધી આરસવ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા જે કર્મોનો આસ્રવ થાય છે તે યોગાસ્ત્રવ છે. આમ પ ઇન્દ્રિયોના આસ્રવ, ૪ કષાયોના આસવ, ૫ અવ્રત સંબંધિત આસ્રવ, ૨૫ ક્રિયા સંબંધિત આવ અને ૩ યોગ સંબંધિત આસવ - કુલ આસવના ૪૨ પ્રકાર થયા. આત્રવના વીસ ભેદ : એક બીજી વિવક્ષા અનુસાર વીસ પ્રકારનો આસ્રવ કહેવામાં આવ્યો છે. એનું વિવેચન આ રીતે છે : (૧-૫) (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ. એ પાંચ આરુવ દ્વાર છે. - ઠાણાંગ સૂત્ર પમું સ્થાન (૬-૧૦) પાંચ અવ્રત : પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ અવ્રત આસ્રવ છે. - સમવાયાંગ પ્રશ્ન વ્યા. * “તત્ત્વાર્થ સૂત્ર'માં આચાર્ય ઉમાસ્વાતિએ ૨૫ ક્રિયાઓનાં નામ આ પ્રકાર બતાવ્યા છે - (૧) સમ્યકત્વ ક્રિયા (સમ્યકત્વ વર્ધક દેવ-ગુરુને નમસ્કાર વૈયાવૃત્યાદિ) (૨) મિથ્યા ક્રિયા (દેવ-ગુરુધર્મનો અયથાર્થ શ્રદ્ધાન) (૩) પ્રયોગ ક્રિયા, (૪) સમાદાન ક્રિયા, (૫) ઈર્યાપથ ક્રિયા, (૬) કાયિકી, (૭) અધિકરણ ક્રિયા, (2) પ્રાષિક, (૯) પરિતાપની, (૧૦) પ્રાણાતિપાત, (૧૧) દૃષ્ટિકી, (૧૨) સ્પર્શન પ્રત્યયા, (૧૩) પ્રતીત્ય ક્રિયા, (૧૪) સામંતોપનિપાતિકી, (૧૫) અનાભોગિકી, (૧૬) સ્વસ્તિકી, (૧૭) નૈસર્ગિકી, (૧૮) વિદારણ ક્રિયા, (૧૯) આનયન ક્રિયા, (૨૦) અનવકાંક્ષ ક્રિયા, (૨૧) આરંભ ક્રિયા, (૨૨) પરિગ્રહ ક્રિયા, (૨૩) માયા પ્રત્યયિકા, (૨૪) અપ્રત્યાખ્યાન ક્રિયા, (૨૫) મિથ્યાદર્શન ક્રિયા. (૪૯૨) 0.00 0.00 0 0 0 0 0 0 0 0 જિણધો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy