SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ (જ્યોતિષ ચક્ર) મેરુના સમતલ ભૂભાગથી સાતસો નેવું યોજનની ઊંચાઈ પર જ્યોતિષચક્રનું ક્ષેત્ર આરંભ થાય છે. આ ક્ષેત્ર ઊંચાઈમાં એકસો દસ યોજનાનું છે અને ત્રાંસા અસંખ્યાત દ્વીપ સમુદ્ર પર્યત છે. આ ક્ષેત્રના આરંભમાં તારામંડળ છે. અહીંથી દસ યોજનની ઊંચાઈ પર અર્થાત્ સમતલ ભૂમિથી આઠસો યોજનની ઊંચાઈ ઉપર સૂર્યનું વિમાન છે. ત્યાંથી એંશી યોજના ઊંચાઈ ઉપર અર્થાત્ સમતલ ભૂમિથી આઠસો એંસી યોજન ઉપર ચંદ્રનું વિમાન છે. ત્યાંથી વસ યોજનની ઊંચાઈ સુધી અર્થાત્ સમતલ ભૂભાગથી નવસો યોજન ઊંચાઈ સુધી ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારાગણ છે. પ્રકીર્ણ તારાઓથી આશય એ છે કે કેટલાક તારાઓ એવા છે કે જે અનિયત ચારી હોવાથી ક્યારેય સૂર્ય-ચંદ્રના નીચે ચાલે છે અને ક્યારેક ઉપર. ચંદ્રથી ચાર યોજનની ઊંચાઈ પર અર્થાત્ સમતલ ભૂમિથી આઠસો ચોર્યાશી યોજનની ઊંચાઈ પર નક્ષત્ર છે. ત્યાંથી ચાર યોજન ઊંચે જવાથી અર્થાતુ સમતલ ભૂભાગથી આઠસો ઇક્યાસી યોજનની ઊંચાઈ લીલા રત્નમય બુધ ગ્રહ છે. ત્યાંથી ત્રણ યોજનની ઊંચાઈ પર સ્ફટિક રત્નમય શુક્ર. શુક્રથી ત્રણ યોજનની ઊંચાઈ પર પીત રત્નમય ગુરુ, ગુરુથી ત્રણ યોજન ઉપર રક્ત રત્નમય મંગલ અને મંગલથી ત્રણ યોજન ઉપર જાંબલી રંગમય શનિ છે. જ્યોતિષ (પ્રકાશમાન) વિમાનમાં રહેવાથી એ સૂર્ય વગેરે જ્યોતિષ્ક કહેવાય છે. આ બધાના મુગટોમાં પ્રભામંડળ જેવું ઉજ્વળ ચિહ્ન હોય છે. સૂર્યના સૂર્યમંડળ જેવું, ચંદ્રના ચંદ્રમંડળ જેવું અને તારાના તારામંડળ જેવું ચિહ્ન હોય છે. મનુષ્ય લોકના જ્યોતિષ્ક મેરુના ૧૧૨૧ યોજન ચારેય બાજુ દૂર હંમેશાં ભ્રમણ કરતો રહે છે. મનુષ્ય લોકમાં એકસો બત્રીસ સૂર્ય અને એકસો બત્રીસ ચંદ્ર છે. જંબૂદ્વીપમાં બેબે, લવણ સમુદ્રમાં ચાર-ચાર, ધાતકી ખંડમાં બાર-બાર, કાલોદધિમાં બેંતાલીસ-બેંતાલીસ અને પુષ્કરાર્ધમાં બોત્તેર-બોંતેર છે. એક ચંદ્રનો પરિવાર અઠ્યાવીસ નક્ષત્ર, ઇક્વાસી ગ્રહ અને ૬૬૯૭૫ કોટાકોટિ તારાઓનો છે. છતાં લોકમર્યાદાના સ્વભાવાનુસાર જ્યોતિષ્ક વિમાન હંમેશાં પોતાની રીતે ફરતા રહે છે, છતાં સમૃદ્ધિ-વિશેષ પ્રગટ કરવા માટે અને અભિયોગ્ય (સેવક) નામ કર્મના ઉદયથી ક્રિીડાશીલ કેટલાક દેવ વિમાનને ઉઠાવે છે. સામેના ભાગમાં સિંહાકૃતિ, જમણી ગજાકૃતિ, પાછળ વૃષભાકૃતિ અને ડાબી અશ્વાકૃતિવાળા દેવ વિમાનને ઊઠાવીને ચાલતાં રહે છે. આ જ્યોતિષ્કોની ગતિના કારણે મનુષ્ય લોકમાં કાલવ્યવહાર હોય છે, જેનું વર્ણન આગળ કરવામાં આવશે. સ્થિર જ્યોતિષ્ક : જ્યોતિષ્ઠોની ગતિ મનુષ્ય લોકમાં જ થાય છે. આનાથી બહારના જ્યોતિષ્ક વિમાન સ્થિર છે. એમના વિમાન સ્વભાવતઃ સ્થિર છે. તે યત્ર-તત્ર ભ્રમણ નથી કરતા. એમની વેશ્યા અને પ્રકાશ પણ એક રૂપમાં સ્થિર રહે છે. ત્યાં રાહુ વગેરેની છાયા ન પડવાથી જ્યોતિષ્કોનો સ્વાભાવિક પીત વર્ણ (પીતાલેશ્યા) જેમનો તેમ રહે છે. ઉદય-અસ્ત ન થવાથી એમનું લક્ષ યોજનનો પ્રકાશ પણ એક જેવો સ્થિર રહે છે. દૂ જ્યોતિષ ચક છે છે. (૩૩)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy