________________
બધા જ્યોતિષ્કોના ઇન્દ્ર જંબુદ્વીપના ચંદ્ર અને સૂર્ય છે. ચંદ્ર-સૂર્યની સાથે ઇઠ્યાસી ગ્રહ છે. ૮૮ ગ્રહોનાં નામ ઃ
(૧) અંગારક (૨) વિકાલક (૩) લોહિતાક્ષ (૪) શનૈશ્વર (૫) આધુનિક (૬) પ્રધુનિક (૭) કણ (૮) કણક (૯) કણ-કણક (૧૦) કણ-વિતાવી (૧૧) કણ-શતાવી (૧૨) સોમ (૧૩) સહિત (૧૪) અશ્વસત (૧૫) કર્યોત્વત (૧૬) કર્વક (૧૭) અજકર્ક (૧૮) દુંદમક (૧૯) શંખ (૨૦) શંખ-નામ (૨૧) શંખ-વર્ણ (૨૨) કંશ (૨૩) કંશ-નામ (૨૪) કંશવર્ણ (૨૫) નીલ (૨૬) નીલ-ભાસ (૨૭) રૂપ (૨૮) રૂપાય ભાસ (૨૯) ભસ્મ (૩૦) ભસ્મરાસ (૩૧) તિલ (તલ) (૩૨) પુષ્પવર્ણ (૩૩) દક (૩૪) કિવર્ણ (૩૫) કાય (૩૬) વધ્ય (૩૭) ઇન્દ્રાગી (૩૮) ધૂમકેતુ (૩૯) હરી (૪૦) પિંગલક (૪૧) બુધ (૪૨) શુક્ર (૪૩) બૃહસ્પતિ (૪૪) રાહુ (૪૫) અગસ્તિ (૪૬) માણવક (૪૭) કાલસ્પર્શ (૪૮) ધુ૨ક (૪૯) પ્રમુખ (૫) વિકટ (૫૧) વિપનકલ્પ (૫૨) પ્રકલ્પ (૫૩) જયલ (૫૪) અરુણ (૫૫) અનિલ (૫૬) કાલ (૫૭) મહાકાલ (૫૮) સ્વસ્તિક (૫૯) સૌવસ્તિક (૬૦) વર્ધમાનક (૬૧) પાલમ્બોક (૬૨) નિત્યોદક (૬૩) સ્વયંપ્રભ (૬૪) આભાસ (૬૫) પ્રભાસ (૬૯) શ્રેયસ્કર (૬૭) ક્ષેમંકર (૬૮) આભકર (૬૯) પ્રભાકર (૭૦) અરજ (૭૧) વિરજ (૭૨) અશોક (૭૩) તસોક (૭૪) વિમલ (૭૫) વિતત (૭૬) વિવસ્ત્ર (૭૭) વિશાલ (૭૮) શાલ (૭૯) સુવ્રત (૮૦) અનિવૃત્ત (૮૧) એકજટી (૮૨) દ્વિજટી (૮૩) કરોક (૮૪) કરી (૮૫) રાજા (૮૬) અર્પલ (૮૭) પુષ્પકેતુ (૮૮) ભાવકેતુ.
૨૮ નક્ષત્ર :
(૧) અભિજિત (૨) શ્રવણ (૩) ઘનિષ્ઠા (૪) શતભિષા (૫) પૂર્વ ભાદ્રપદ (૬) ઉત્તર ભાદ્રપદ (૭) રેવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃત્તિકા (૧૧) રોહિણી (૧૨) મૃગશિર (૧૩) આર્દ્રા (૧૪) પુનવર્સુ, (૧૫) પુષ્ય (૧૬) આશ્લેષા (૧૭) મઘા (૧૮) પૂર્વ ફાલ્ગુની (૧૯) ઉત્તરા ફાલ્ગુની (૨૦) હસ્ત (૨૧) ચિત્રા (૨૨) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા (૨૫) જેષ્ઠા (૨૬) મૂળ (૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા.
પ્રત્યેક જ્યોતિષીના સ્વામીના ૪ અગ્ર-મહિષીઓ છે. પ્રત્યેક અગ્રમહિષીનો ૪-૪ દેવીઓનો પરિવાર છે. ૪ હજાર સામાનિક દેવ છે. ૧૬ હજાર આત્મરક્ષક દેવ છે. આત્યંતર પરિષદના ૮ હજાર દેવ છે. મધ્ય પરિષદના ૧૦ હજાર દેવ છે. બાહ્ય પરિષદના ૧૨ હજાર દેવ છે, સાત પ્રકારની અનીક છે અને મોટો પરિવાર છે.
જ્યોતિકોની સ્થિતિઃ
તારા વિમાનવાસી દેવની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો ચોથો ભાગ અર્થાત્ પા પલ્યોપમ છે. તારા દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ પુણ્યના આઠમા ભાગથી થોડા વધુ છે.
૩૪
જિણધો