SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ કાલોદધિ : ધાતકી ખંડદ્વીપને ચારેબાજુથી ઘેરેલ, વલય આકારના આઠ લાખ યોજન વિસ્તારવાળા, આ તીરથી એ તીર સુધીનો એકસરખો એક હજાર યોજન ઊંડો કાલોદધિ સમુદ્ર છે. તેના પાણીનો સ્વાદ સાધારણ પાણીના જેવો છે. આમાં બે ગૌતમ દ્વીપ અને એકસો બે ચંદ્રસૂર્યના દ્વીપ છે. પુષ્કર દ્વીપ કાલોદધિ સમુદ્રની ચારેબાજુથી ઘેરાયેલ વલયાકાર, સોળ લાખ યોજન વિસ્તારવાળો પુષ્કર દ્વીપ છે. તેની બરાબર મધ્યમાં માનુષોત્તર નામનો એક પર્વત છે, જે કિલ્લાની જેમ ગોળાકાર ઊભો છે અને મનુષ્ય લોકની સીમા કરે છે. આ પર્વતના કારણે પુષ્કરવર દ્વીપના બે વિભાગ થઈ ગયા છે - એક આ પર્વતનો અંદરનો ભાગ અને બીજો પર્વતની બહારનો ભાગ. આ પર્વતના આત્યંતર અર્ધ ભાગ સુધી જ મનુષ્યોની વસ્તી છે, આગળ નહિ. તેથી જંબુદ્વીપ, ધાતકી ખંડ અને અર્ધપુષ્કરવર દ્વીપ આ અઢી દ્વીપ તથા લવણોદધિ અનેકાલોદધિ આ બે સમુદ્ર - આ ક્ષેત્ર મનુષ્ય લોક કહેવાય છે. આ ક્ષેત્રનું નામ મનુષ્ય લોક અને ઉત પર્વતનું નામ માનુષોત્તર એટલા માટે પડ્યું કે આનાથી બહાર મનુષ્યના જન્મ-મરણ થતા નથી. વિદ્યાસંપન્ન મુનિ અથવા વૈક્રિય લબ્ધિધારી મનુષ્ય જ અઢી દ્વીપની બહાર જઈ શકે છે. પરંતુ એમના પણ જન્મ-મરણ માનુષોત્તર પર્વતની અંદર જ થાય છે. ધાતકી ખંડમાં મેરુ, વર્ષ અને વર્ષધરોની જે સંખ્યા છે, તે જ પુષ્કરાર્ધ દ્વીપમાં પણ છે. ત્યાં પણ બે મેરુ, ચૌદ વર્ષ (ક્ષેત્ર) અને બાર વર્ષધર પર્વત છે, જે ઇષ્પાકાર પર્વતો દ્વારા વિભક્ત પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં અવસ્થિત છે. આ રીતે અઢી દ્વીપમાં પાંચ મેરુ, ત્રીસ વર્ષધર પર્વત અને પિસ્તાલીસ વર્ષ (ક્ષેત્ર) છે. અંતર્લીપ કેવળ લવણ સમુદ્રમાં જ છે, તેથી છપ્પન જ છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ અને એકસો સાઠ વિજય છે. માનુષોત્તર પર્વત કે પહેલાં જે અઢી દ્વીપ અને બે સમુદ્ર છે. એનામાં મનુષ્યની સ્થિતિ છે અવશ્ય, પરંતુ તે સર્વાધિક નથી. જન્મથી તો મનુષ્ય જાતિનું સ્થાન અઢી દ્વીપના અંતર્ગત પિસ્તાલીસ ક્ષેત્રો અને છપ્પન અંતર્લીપોમાં જ છે. પરંતુ સંહરણ, વિદ્યા અથવા લબ્ધિના નિમિત્તથી મનુષ્ય અઢી કીપ તથા બે સમુદ્રોના કોઈપણ ભાગમાં રહી શકે છે. એટલું જ નહિ, મેરુ પર્વતના શિખર પર પણ તે ઉક્ત નિમિત્તથી રહી શકે છે. પરંતુ ક્ષેત્રની દૃષ્ટિથી તે ભારતીય છે, તે હૈમવતીય છે, ઇત્યાદિ વ્યવહાર અને દ્વારની દૃષ્ટિએ જંબૂદ્વીપીય ધાતકી ખંડીય વગેરે વ્યવહાર થાય છે. એક લાખ યોજનનો જંબુદ્વીપ, બંને તરફનો બે-બે લાખ અર્થાતુ ચાર લાખ યોજનાનો લવણ સમુદ્ર, બંને તરફના આઠ લાખ યોજનાનો ધાતકી ખંડ, બંને તરફનો સોળ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર અને બંને તરફનો સોળ લાખ યોજનાનો પુષ્કરાર્ધ દ્વીપ - આ પ્રકારે (૬૨) OTO DO O જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy