SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ઐરાવત ક્ષેત્રની સીમા કરનાર શિખરી પર્વતની દાઢો પર પણ ઉક્ત નામના અઠ્ઠાવીસ દ્વિીપ છે. આ રીતે બંને તરફથી મળીને છપ્પન અંતર્લીપ હોય છે. અંતર્લેપોમાં એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગની આયુષ્યવાળા, આઠસો ધનુષની અવગાહનાવાળા યુગલિક મનુષ્ય રહે છે. આ દ્વીપોમાં સદૈવ ત્રીજા આરાની રચના રહે છે. અહીંના મનુષ્ય મરીને કેવળ દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે. જંબૂઢીપ અને ધાતકી ખંડમાં સ્થિત તીર્થકર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સમ્યગુદૃષ્ટિ વગેરે ઉત્તમ પુરુષોનાં તપ, સંયમ, ધર્મ અને પુણ્યના અતિશયથી સમુદ્રનું પાણી ક્યારેય આ દ્વીપોમાં ભરાતું નથી, અર્થાત્ સમુદ્ર પોતાની મર્યાદાને ઓળંગતો નથી. સમુદ્રમાં ભરતી-ઓટ આવતી રહે છે. અષ્ટમી અને પૂર્ણિમાએ સમુદ્રનું પાણી વધુ ઉછળે છે, પરંતુ તે પોતાની મર્યાદાનું અતિક્રમણ કરતા નથી, એટલે જંબુદ્વીપ અથવા ધાતકી ખંડને પાણીનો ભય રહેતો નથી. જંબૂદ્વીપનાં ચારે તારોથી દિશાઓ અને વિદિશાઓમાં બેતાલીસ-બેંતાલીસ હજાર યોજન પર આઠ પર્વત છે. પૂર્વમાં ગોખૂભ પર્વત, દક્ષિણમાં ઉદકભાસ, પશ્ચિમમાં શંખ અને ઉત્તરમાં દકણીય પર્વત છે. આના પર વેલંધર દેવ રહે છે. ઇશાનકોણમાં કર્કોટક, અગ્નિકોણમાં વિદ્યુ—ભ, નૈૐત્યકોણમાં કૈલાસ પર્વત, વાયવ્યકોણમાં અરુણપ્રભ પર્વત છે. આ ચારે પર્વત પર અનુવેલંધર દેવ રહે છે. આ જગ્યા ગૌતમ દ્વીપ છે. જેમાં લવણ સમુદ્રનો સ્વામી સુસ્થિત દેવ સપરિવાર રહે છે. આ ગૌતમ દ્વીપની ચારેબાજુ સાડા ઇક્યાસી યોજનથી થોડા ઊંચે ચંદ્રસૂર્યના દ્વીપ છે, જ્યાં જ્યોતિષી દેવ ક્રીડા કરે છે. ધાતકી ખંડ : લવણ સમુદ્રની ચારેબાજુ ગોળાકાર ચાર લાખ યોજન વિસ્તારવાળા ધાતકી ખંડ દ્વીપ છે. તેની મધ્યમાં બે ઇષકાર પર્વત છે, તેનાથી ધાતકી ખંડના બે વિભાગ થઈ ગયા છે. પૂર્વ ધાતકી ખંડ અને પશ્ચિમ ધાતકી ખંડ. પ્રત્યેક વિભાગમાં એક-એક મેરુ પર્વત, સાતસાત વર્ષ અને છ-છ વર્ષધર છે. સારાંશ એ છે કે નદી, ક્ષેત્ર, પર્વત વગેરે જે કંઈ જંબુદ્વીપમાં છે, તે બધા ધાતકી ખંડમાં બમણા છે. ધાતકી ખંડનો પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પૂર્વ-પશ્ચિમમાં વિભક્ત કરનાર દક્ષિણોત્તર વિસ્તૃત અને ઇષ્પાકાર બે પર્વત છે, તથા પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પૂર્વ-પશ્ચિમં ફેલાયેલ છ-છ વર્ષધર (પર્વત) છે. આ બધા એક બાજુથી કાલોદધિને અને બીજી બાજુથી લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં સ્થિત છ-છ વર્ષધરોને પૈડાની નાભિમાં લાગેલા આરાઓની ઉપમા આપી શકાય છે, તો એ વર્ષધરોથી વિભક્ત થનારા ભરત વગેરે સાત ક્ષેત્રોને આરાની વચ્ચેના અંતરની ઉપમા આપી શકાય છે. ધાતકી ખંડદીપમાં જંબૂદ્વીપના સમાન કોટ અને ચાર વાર છે. (મધ્ય લોક છે આ ) ૩૬૧)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy