________________
૬. સમભિરૂટનય સમાનાર્થી શબ્દોમાં પણ નિરુક્તિના ભેદથી ભિન્ન અર્થને માનનારા નય સમભિરૂઢનયા છે. શબ્દનય તો અર્થભેદ એને જ માને છે, જ્યાં લિંગ વગેરેનો ભેદ થાય છે, પરંતુ સમભિરૂઢનયની દૃષ્ટિમાં પ્રત્યેક શબ્દનો અર્થ અલગ-અલગ જ થાય છે, પછી ભલે તે શબ્દ સમાનાર્થી હોય ? અને એમાં લિંગ વગેરેનો ભેદ ન પણ હોય. જેમ ઇન્દ્ર અને પુરંદર શબ્દ સમાનાર્થી છે, માટે શબ્દનયની દૃષ્ટિએ એનો એક જ અર્થ છે, પરંતુ સમભિરૂઢનયના મતમાં આના અલગ-અલગ અર્થ છે. ઈન્દ્ર' શબ્દથી ઐશ્વર્યશાળીનો બોધ થાય છે, જ્યારે પુરંદરથી “નગરના વિનાશક'નો બોધ થાય છે. સમાનાર્થી શબ્દોમાં સર્વથા-એકાંત રૂપથી ભેદ જ માનવો અને અભેદનો સર્વથા નિષેધ કરવો સમભિરૂઢનયાભાસ છે.
છે. એવંભૂતનયા પદાર્થ જે સમયે પોતાની અર્થક્રિયામાં પ્રવૃત્ત હોય એ જ સમયે એને એ શબ્દનો વાગ્યે માનવો જોઈએ, એવી નિશ્ચય દૃષ્ટિવાળા નય એવંભૂતનય છે. સમભિરૂઢનય ઇન્દ્ર વગેરે ક્રિયાના હોવા કે ન હોવાથી પણ ઇન્દ્રને “ઇન્દ્ર' શબ્દનો વાચ્ય માની લે છે. પરંતુ એવંભૂતનય ઇન્દ્રને “' શબ્દનો વાચ્યું ત્યારે જ માને છે જ્યારે તે ઇન્દ્રની ક્રિયામાં ઉપયોગપૂર્વક પ્રવૃત્ત થઈ રહ્યો છે, અન્યથા નહિ. આ નયની દૃષ્ટિમાં ઘટ ત્યારે જ ઘટ કહેવાય છે, જ્યારે તે ઘટની અર્થ ક્રિયા જલધારણ કે જલાહરણ કરતી હોય. પણિયારીના મસ્તક પર રહેલો જળથી ભરેલો ઘટ (ઘડો) જ આ નયની દૃષ્ટિમાં ઘટ છે. ખાલી ઘટ, ઘટ નથી. રસોઈ બનાવતા સમયે જ રસોઈયો કહેવાય, અન્ય સમયમાં નહિ. ન્યાયાધીશ જ્યારે ન્યાયાલયમાં ખુરશી પર બેસીને ન્યાય કરે છે ત્યારે જ તે ન્યાયાધીશ કહેવાય છે, અન્ય સમયમાં નહિ. એકાંતતઃ અર્થક્રિયા પરિણત પદાર્થને જ એ શબ્દનો વાચ્ય માનવો અન્યથા (નહિ તો) એનો સર્વથા અપલાપ કરવો એવંભૂતનયાભાસ છે.
નિશ્ચય અને વ્યવહારનય દાર્શનિક દષ્ટિકોણથી ઉપર-વર્તીત નયોનો વિચાર કરવામાં આવ્યો. હવે અધ્યાત્મ દૃષ્ટિથી નયનું ચિંતન કરવું અપેક્ષિત છે. અધ્યાત્મ શાસ્ત્રમાં નયના બે ભેદ પ્રસિદ્ધ છે - (૧) નિશ્ચયનય અને (૨) વ્યવહારનય. જે નય વસ્તુના મૂળ સ્વરૂપને બતાવે છે, એને નિશ્ચયનય કહેવાય છે. જે નય બીજા પદાર્થોના નિમિત્તથી વસ્તુના સ્વરૂપને બતાવે છે તે વ્યવહારનય કહેવાય છે. જો કે વ્યવહારનય વસ્તુના સ્વરૂપને બીજા રૂપમાં બતાવે છે છતાં તે મિથ્યા નથી. કારણ કે જે અપેક્ષાથી અથવા જે રૂપથી તે વસ્તુને વિષય કરે છે, તે વસ્તુ એ રૂપમાં પણ ઉપલબ્ધ થાય છે ? જેમ કે આપણે કહીએ છીએ કે “ઘીનો ઘડો' - આ વાક્યથી વસ્તુના અસલી સ્વરૂપનું જ્ઞાન તો થતું નથી, આ નથી સમજાતું કે ઘડો માટીનો છે, પિત્તળનો છે કે અન્ય કોઈ ધાતુનો છે. માટે આને નિશ્ચયનય નથી કહી (૨૫૮) , DOOOOOOOX જિણધો]