SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. જુસૂત્રનયા વર્તમાન ક્ષણમાં થનારી પર્યાયને મુખ્ય રૂપથી ગ્રહણ કરનાર નયને ઋજુસૂત્રો કહે છે. જેમ કે હું સુખી છું.' - આ સુખ પર્યાય વર્તમાન સમયમાં છે. ઋજુસૂત્રનય, વર્તમાન ક્ષણસ્થાયી સુખ વગેરે પર્યાયને પ્રધાન રૂપથી ગ્રહણ કરે છે, પરંતુ એ પર્યાયના આધારભૂત આત્માને ગૌણ માને છે. આ નય ભૂત અને ભાવિ પર્યાયને નથી માનતા, માત્ર વર્તમાનપર્યાયનો જ સ્વીકાર કરે છે. આ નયની દૃષ્ટિમાં વર્તમાન જ કાર્યકારી છે, ભૂત અને ભાવિ નથી. વર્તમાનનું ધન જ ધન છે. વર્તમાનનું સુખ જ સુખ છે. ભૂત-ભવિષ્યના ધન વગેરે વર્તમાનમાં અનુપયોગી છે. અતીત જો કે વિનષ્ટ છે અને અનાગત હજુ અનુત્પન્ન છે, માટે એમાં પર્યાય વ્યવહાર જ નથી થઈ શકતો. આ નયને દૃષ્ટિમાં નિત્ય અને સ્થળ કોઈ ચીજ નથી. ક્ષણિક પર્યાય અને સૂક્ષ્મનો જ આ સ્વીકાર કરે છે. આ નયની સૂક્ષ્મ વિશ્લેષક દૃષ્ટિમાં પાન-ભોજન વગેરે અનેક સમય- સાધ્ય કોઈપણ ક્રિયાઓ બની શકતી નથી. કારણ કે એક ક્ષણમાં તો તે ક્રિયાઓ થતી નથી અને વર્તમાનના અતીત-અનાગતથી કોઈ સંબંધ અને સ્વીકારતો નથી. જે દ્રવ્યના માધ્યમથી પૂર્વ અને ઉત્તર પર્યાયોમાં સંબંધ જોડાય છે, એ માધ્યમનું અસ્તિત્વ જ આને સ્વીકાર્ય નથી. આટલું બધું હોવા છતાં આ નય દ્રવ્યનો અપલાપ નથી કરતો. તે પર્યાયની મુખ્યતા માને છે અને દ્રવ્યને ગૌણ માને છે. જો તે દ્રવ્યનો સર્વથા અપલાપ કરે છે, તો ઋજુસૂત્રાભાસ બની જાય છે. બૌદ્ધદર્શન સર્વથા દ્રવ્યનો અપલાપ કરે છે, માટે તે ઋજુસૂત્રાભાસનું ઉદાહરણ છે. ૫. શબ્દનય કાળ, કારક, લિંગ, સંખ્યા, પુરુષ, ઉપસર્ગ વગેરેના ભેદથી શબ્દોમાં અર્થભેદ માનનાર નય શબ્દનય કહેવાય છે. જેમ મેરુ હતો, મેરુ છે અને મેરુ હશે. ઉક્ત ઉદાહરણમાં શબ્દનય, ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળના ભેદથી મેરુ પર્વતને ત્રણ રૂપોમાં ગ્રહણ કરે છે. વર્તમાનનો મેરુ કંઈક છે, અતીતનો ઓર હતો અને ભાવિનો ઓર જ હશે. કાળ-પર્યાયની દષ્ટિએ આ ભેદ છે. આ રીતે “ઘટને કરે છે અને “ઘટ કરવામાં આવે છે? - અહીં કારકના ભેદથી શબ્દનય ઘટમાં ભેદ કરે છે. એ જ રીતે લિંગ, સંખ્યા, પુરુષ, ઉપસર્ગના ભેદથી પણ શબ્દનય ભેદનો સ્વીકાર કરે છે. “તટ - તટી - તટમ્' આ ત્રણેયને લિંગભેદના કારણે શબ્દનય પૃથક પૃથક માને છે. જ્યારે મૂળમાં તટ શબ્દ એક જ છે. આ નયની દૃષ્ટિમાં શબ્દભેદથી અર્થભેદ થાય જ છે. જે શબ્દના ભેદથી અર્થના ભેદને મુખ્યરૂપથી ગ્રહણ કરે છે, તે શબ્દનય છે. પરંતુ જે કાળ-કારક વગેરે ભેદથી એ શબ્દોને સર્વથા ભિન્ન જ માને છે, એમાં કોઈ પ્રકારના અભેદ સંબંધને નથી માનતા. તે શબ્દનયાભાસ છે. જેમ કે “મેરુ હતો, મેરુ છે, મેરુ હશે.' - એ સર્વથા ભિન્ન અર્થના જ વાચક છે. આ પક્ષ સાચો નથી કહી શકાતો, કારણ કે મેરુ પ્રવાહની દૃષ્ટિએ અભિન્ન પણ છે, સર્વથા ભિન્ન નથી. દૂ નયવાદ D DOOOOOOX૨૫૦)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy