SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ. સમ્યકત્વ-અધિકાર. ધારણ કરેલું અનિંદિત-શુદ્ધ સમ્યકત્વ માણસના ધમને વિસ્તારે છે, પાપને દૂર કરે છે, તથા તેને સુખ આપે છે, તેમજ બાધા કરનારને ધ્રુજાવે છે, મુક્તિ મેળવી આપે છે. અને સંસારને નાશ કરે છે. ૨૦. સમ્યગદર્શનરૂપ અમૃત જળ કેવું છે? માઢિની. अतुलसुखनिधानं सर्वकल्याणबीजं, जननजलधिपोतं भव्यसवैकचिह्नम् । दुरिततरुकुठारः पुण्यतीर्थ प्रधानं, पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बु ॥२१॥ સમ્યગદર્શન નામે અમૃતજળ કે જે અનુપમ સુખનું નિધાનરૂપ છે. સર્વ કલ્યાણનું બીજ છે, સંસારસાગર તરવાનું વહાણ છે, ભવ્ય સત્વનું ચિન્હ છે, પાપરૂપી વૃક્ષોને કાપવાને કુહાડે છે, શત્રુઓ પર વિજય મેળવી આપનારું છે, અને પ્રધાન પુણ્ય તીથરૂપ છે, તેનું પાન કરે. ૨૧સમ્યકત્વ મેળવીને શ્રાવક કેવી સ્થિતિમાં આવે છે? शार्दूलविक्रीडित. यद्देवैरपि दुर्लभं च घटते येनोच्चयः श्रेयसां, ભૂરું નિનશાસને મુકૃતિનાં ચક્કવિતં શાશ્વતમ્ I . तत्सम्यक्त्वमवाप्य पूर्वपुरुषश्रीकामदेवादिवदीर्घायुः सुरमाननीयमहिमा श्राद्धो महर्द्धिर्भवेत् ।। २२ ॥ __ सूक्तिमुक्तावली. - જે દેવતાઓને પણ દુર્લભ છે, જેનાથી કલ્યાણને રાશિ પ્રાપ્ત થાય છે, જે જિનશાસનનું મૂળ છે, અને જે પુણ્યવાન મનુષ્યનું શાશ્વત જીવનરૂપ છે, તેવા સમ્યકત્વને પ્રાપ્ત કરીને શ્રાવક પૂર્વના કામદેવાદિ શ્રાવકની પેઠે દીઘ આયુષ્યવાળે દેવતાઓએ માનવાયેગ્ય મહિમાવાળે અને મહાન ઋદ્ધિવાળા થાય છે. ૨૨. સમ્યકત્વધારી પ્રાણું કે બને છે? તે વિષે ભાષા કાવ્ય. મનહર, એક ઇંદ્ધિ આદિ જંતુ પંચ ઇંદ્રિપર જતુ, સર્વે એકરૂપ જ્ઞાન ચેતનાં કે ધારી હૈ, દરબકી દૃષ્ટિ દેત કમ મલસું અચેત, શુદ્ધ અવિરૂદ્ધ અવિચલ અવિકારી હૈ,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy