SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસહ---ભાગ ૨ જ. નયમ તમે મોટા થવાની આશા–ઇચ્છા રાખે, પણ તમારે ચાલુ સંગોથી અને સંતોષી બને નહિ. ધન મેળવ્યા પછી શું કરવું, એ બાબતમાં ગ્રંથકારે વિવેચન કર્યું છે. ધન મેળવતાં કેવા કેવા સંસ્કાર થાય છે તે પર જ ધ્યાન આપવામાં આવે તો ઉપદેશ લાગ્યા વગર રહે નહિ. પસામાટે પરદેશગમન, નીચસેવા, ટાઢ, તડકા અને તીવ્ર વચને સહન કરવામાં આવે છે; પૈસા માટે ખુશામત કરવામાં આવે છે, પિસામાટે ખટપટ કરવામાં આવે છે અને પૈસા માટે અનેક વિટંબના સહન કરવામાં આવે છે. જે કદર્થનાને અંશ સહન કરવાથી મુનિમાર્ગમાં મેક્ષ મળે, તેવી કદર્થના પૈસાસારૂ અનાદિ મેહમદિરામાં ચકચૂર થયેલ જીવ કરે છે, પણ વિચારતો નથી કે આ બધું શાસારૂ? મૂઢ અવસ્થામાં અથડાઈ પછડાઈ અનંતકાળ રખડ્યા કરે છે. સિંદૂરપ્રકરમાં કહે છે કે– ધનથી અંધ થયેલી બુદ્ધિવાળા પુરૂ વિષમ અટવીમાં ભ્રમણ કરે છે, વિકટ દૂર દેશાંતરમાં ફરે છે, ગહન સમુદ્રનું ઉલ્લંઘન કરે છે, બહુ દુખવાળી ખેતી કરે છે, કૃપણપતિની સેવા કરે છે અને હસ્તીઓના સંઘટ્ટથી અપ્રવેશ્ય સંગ્રામમાં જઈ પ્રાણ આપે છે. આ સર્વ લેભનું ચેષ્ઠિત છે. સુખ ક્યાં છે? પૈસાદારની હવેલીમાં, રાજાના મહેલમાં, ચકવતના આવાસમાં, ઈંદ્રના ઇંદ્રાસનમાં કે બે ઘડાની ગાડીમાં? વિચારીને જવાબ દે એ શરત છે. જરા જુઓ બહારના આડંબરમાં સુખ નથી. સુખી લાગતાં માણસનાં હદય સળગી જતાં હોય છે. ઘરમાં અનેક ખટપટ હોય છે અને મનમાં તે યુદ્ધ ચાલ્યા જ કરે છે. સુખ સંતેષમાંજ છે, ચાલુ સ્થિતિને તાબે થવામાં જ છે. ધન અસ્થિર છે, કેઈનું થયું નથી અને કેઈનું થવાનું પણ નથી. પ્રાયઃ વિદ્યા અને ધનને વેર છે. જ્ઞાનવગર સુખ નથી, અને પૈસાદારને સુખી માનવા, એના જેવી બીજી મૂઢતા નથી. અનેક દેથી ભરપૂર-ધવળશેઠ, મમ્મણશેઠ, સુબુમ ચકી વિગેરેને નરકમાં નાખનાર, એકાંત ઉપાધિથી ભરપૂર, મનની અશાંતિનું પ્રબળ સાધન, અનેક દુ:ખને વરસાદ વરસાવનાર અને વિદ્વાનેથી અંધનું ઉપનામ મેળવનાર લક્ષ્મીનું સુખ જોગવનાર ધનિકોને તે સુખ મુબારક હે! ચાલુ જમાનાના વિચિત્ર રંગથી ભરપૂર જીંદગીમાં અને ખાસ કરીને સખ્ત પ્રવૃત્તિમાં મધ્ય બિંદુ ગણાતાં મોટાં શહેરના સુખી દેખાતાં લોકોને જે જરા પણ મુંઝાવું નહિ, જરા પણ અફસ કર નહિ, તેઓને સુખી માનવા નહિ; કારણકે તેઓના ખાસ નજીકના સંબંધમાં ગયેલાએ જાણે છે કે તેઓ સુખી નથી. ' આપાગું સુખ આપણી સાથેજ છે અને આપણે તે પરમાનંદપદ પ્રાપ્ત કરવાની ઇચ્છામાં ચાલુ સ્થિતિને તાબે થઈ, શુદ્ધ વૃત્તિએ કરી ધર્મમય જીવન ફરવાને ઉદ્દેશ રાખી ઉચ્ચતર અને વિદ્વતર જીવન ગાળવાને આશય, ઉ.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy