SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ધનમમવાચન-અધિકાર. ૩છે. છે! પણ જેટલે વખત રહે છે તેટલો વખત તેને રસ બહુધા વધારે હોય છે. દ્રવ્યપરને મેહુ દરરોજ વધતો જાય છે અને વૃદ્ધાવસ્થામાં તે પરાકાષ્ઠાએ પહોંચે છે અને જીંદગીને છેડે પણ ટ નથી. અમુક વ્ય. તિને માટે મે મેહ વધારે છે તે કહી શકાય, પણ સામાન્ય રીતે મારું પિતાનું તે માનવું એવું છે કે દ્રવ્યપરને મેહુ કદાચ સ્ત્રીમેહુથી ચઢિયાત હોય કે ન હોય, પણ તેથી ઉતરે તેવો તે નથી જ. કઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવામાં પ્રાણુને અમુક ઇરાદે હોય છે, પણ ધનપ્રાપ્તિમાં તે કાંઈ પણ ઈરાદા વગર માત્ર પૈસાની ખાતરજ પૈસા મેળવવા યત્ન કરવામાં આવે છે. પુત્રને મોટે વાર આપવાનું પણ મ્હાનું જ છે, આ દલીલના પુરાવામાં બે હકીકત જેવાની છે, એક તે વગર પુત્રના અને પુત્ર થવાની આશાવગરના માણસે પણ એટલી જ ખંતથી પૈસા પ્રાપ્ત કરે છે અને પાસેના પૈસાને શુભ માંગ પણ વ્યય કરતા નથી ; અને બીજી એ કે જે આવતા ભવમાટે પૈસા શેકાઈ શકાતા હોય તે કોઈ પણ માણસ પુત્રને વારસે આપવાની દરકાર કરે તેમ નથી. વળી બીજું એ પણ જાણવા ચગ્ય છે કે દરેક કાર્યમાં અમુક હદ હોય છે એટલે કે અમુક વખત પછી અને અમુક પ્રાપ્તિ થયા પછી તે કાર્ય પુરૂં થયું ગણાય . પૈસાની બાબતમાં આ નિયમ પણ જૂઠે પડે છે. હજાર મળે લાખની અને લાખ મળે કરેડની ઉત્ત ત્તર ઈછા વધતી જ જાય છે. વધતી ઈચ્છા અનુસાર કાર્યધુરામાં જોડાઈ જીવન પૂર્ણ થાય છે, પણ પૈસા કમાવાનું કાર્ય કદી પણ પૂરું થતું નથી. કઈ પણ કામ કરવાને અમુક હેતુ હોય છે અને અમુક સાધ્ય હોય છે. પ્રયજન અને સાધ્ય વગર તે સાધારણ અક્કલવાળે માણસ પણ પ્રવૃત્તિ . કરતા નથી ત્યારે ધન પ્રાપ્ત કરવાનાં હેત અને સાધ્ય શું? જરા વિચારે, અનાદિ પદ્ધતિથી તણાઈ ન જાઓ. ધન ખાતર ધન મેળવવામાં ઉઘુક્ત ન થાઓ. પણ જરા આગળ પાછળ નજર કરે. તમે ડાહ્યા માણસ છે તમારે પગલે અનેક ચાલતાં હશે, માટે પ્રવૃત્તિ કરે તેના હેતુ, સાધ્ય ધ્યાનમાં લઇ કરે. આ દૃષ્ટિથી વિચારશે ત્યારે જણાશે કે કાર્યસિદ્ધિના ઉપર જણાવેલા બને નિયમે દ્રવ્યપ્રાપ્તિના પ્રયાસ વખતે ખોટા પડે છે. ધનપ્રવૃત્તિ નિહેતુક છે, એ આપણે જોયું, છતાં જેઓ તેને ઇચ્છતાં નજ હોય તે ઉત્કૃષ્ટ પ્રશંસાને પાત્ર છે. જેઓ શ્રાવક અવસ્થામાં છે, તેમણે સર્વ ત્યાગની ઈચ્છા રાખવી અને સાથે ચાલ સ્થિતિમાં સંતોષ રાખ, પાતાની સ્થિતિ સુધારવા મહત્વાકાંક્ષા રાખવી પણ તેમાં પરોવાઈ જઈ દુધન ન થવા દેવું. ચાલુ સ્થિતિમાં આનંદ પામવા અને ખાસ કરીને કમના સિદ્ધાંતને તાબે થઈ જવું નહિ, પણ પુરૂષાર્થ કરવે. ગેરસમજુતી ન થાય તેટલામાટે જણાવવાની જરૂર છે કે તેને પુરૂષાર્થને વિરોધ નથી; પણ દુષ્યન થાય, પૈસાની જપમાળા જપાય, પૈસાનુંજ પ્રાન રહે એવી સ્થિતિ ન થવા દેવી,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy