SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ થમ કૌશલ્ય [૨૭] (૧૪) અનર્થોનું મૂળ કોંધ છે; સંસારમાં બંધન કરાવનાર દેધ છે; ધર્મને ક્ષય કરનાર કોઇ - છે. તેટલા માટે કેધને ત્યાગ કરવે. સંસારનું મૂળ કષાય છે. ક્રોધ, માન, માયા અને લેભ એ એનાં નામો છે. એમાં તરતમતા ઓછી વધતી હોય છે, પણ એ ચારેની જડ જ ઘણું આકરી હોય છે. એને ઓળખવાની બહુ જરૂર છે, કારણ કે કષાયથી મુક્તિ મેળવવી એ સાચી મુક્તિ છે. બાહ્ય સૃષ્ટિમાં ઇકિયેના વિષયોને ત્યાગ થાય અને આંતરસૃષ્ટિમાં કષાય મનોવિકારો પર વિજય થાય તે વસ્તુતઃ મુક્તિ જ છે, એટલે સંસારવૃક્ષનું મૂળ કષાય છે એમ વારંવાર કહેવામાં આવ્યું છે. ક્રોધ અને લોભ ઉઘાડા દે છે અને પરીક્ષા કરતાં પકડી પાડી શકાય તેવા છે. ઉપદેશતરંગિણીમાં તેના ગ્રંથકારે બરાબર કહ્યું છે કે શ્વેતાંબર પણમાં કે દિગંબરપણામાં, તત્વવાદમાં કે તર્કવાદમાં અથવા તે એકપક્ષ (ગચ્છ–સંધાડે)ને આશ્રય લેવામાં મુક્તિ નથી, કષાયથી મુક્તિ એ જ ખરી મુક્તિ છે.” એટલે ગચ્છના પાસામાં કે તર્ક જાળમાં કે તત્ત્વની મોટી મોટી વાત કરવામાં કોઈ છૂટકારે માનતે હોય તે તેમાં તેની ભૂલ થાય છે. કષાયને ઓળખી તેના પર વિજય મેળવવામાં સંસાર નો અંત છે. “કષ” એટલે સંસારનો તેમાં “આય” એટલે લાભ થાય છે. આ ચાર કષા પૈકી ક્રોધને ઓળખો એ એક જરૂરી બાબત છે. આંખ લાલ થવી, જાત પર કાબૂ ખે દે, એલફેલા બોલવું, ગમે તેને મારવા મંડી જવું, પિતાની જાતને પથ્થર સાથે
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy