SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] - ર્મિ કરશે સાચે માર્ગ પ્રવૃત્તિ થાય છે, રખડપાટી વધારનાર પ્રવૃત્તિને ત્યાગ થાય છે અને સાચે રસ્તે આગળ વવાય છે. આ સાચું જ્ઞાન છે, જ્ઞાનનું ફળ બતાવનાર વિશિષ્ટ જ્ઞાન છે, ન્યાય માગે પ્રવૃતિ કરાવનાર જ્ઞાન છે અને જ્ઞાનનું સાચું ફળ અપાવનાર જ્ઞાન છે. માત્ર વિષયકતિભાસ જ્ઞાનના કેવાં ફળ બેસે છે તે અણબના યુગમાં વર્ણવવાની ભાગ્યે જ જરૂર રહે છે. એવા જ્ઞાનથી સંહાર શક્તિને વધારો થાય છે, સંસાર સન્મુખ વિશેષ વેગથી પવેલાય છે અને આત્મર્શનથી પ્રાણ દૂર દૂર થતો જાય છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ એટલે પૌદ્ગલિક ભાવથી દૂર જવું તે. સાચા જ્ઞાનીને વિષય અને કષાયે બરાબર એાળખાય એટલું જ નહિ, પણ એને બનો ત્યાગ કરવાની એની તીવ્ર ભાવના અને પ્રયત્ન ચાલુ રહે. અને જ્ઞાન પામ્યાનું ખરું ફળ એ જ છે, જ્ઞાન મળવાને સાચે ઉપયોગ એ જ છે. જેટલે અંશે વિરતિભાવ આવે તેટલે અંશે સાચું જ્ઞાન થયું છે એમ સમજવું. પચાવેલ જ્ઞાનની કિંમત ત્યાગભાવ અને આત્મદર્શન સન્મુખ વૃત્તિ પર નિર્ભર રહે છે. ત્યાગન-વિરતિભાવને સ્વપરવિવેચનને જેટલો ઉપયોગ તેટલું સાચું જ્ઞાન સમજવું. જ્ઞાનની તેમાં કરી છે, જ્ઞાનની તેમાં ઉપયોગિતા છે. બાકી સમજ્યાપચાવ્યા વગરે ગમે તેટલું બોલી કે લખી જવાય તેમાં તેનું ખરું ફળ એતું કે મળતું નથી. नाणस फलं विरह । શ્રી ઉતરાયન
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy