SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ સવ્ય [ ૧૨૩ ભૂલોનું પુનરાવર્તન ન થવા દેવાની ભાવના જ છે. આવા દ્રવ્ય પ્રતિક્રમણ કરનાર પણ ઉધાડી ભૂલ સમજાય તેને સ્વીકાર જલદી નહિકરે. આ મનની નબળાઈ છે, સંયમને અલ્પ ભાવ છે, મનેવિકારની પરીક્ષા, નિદાન કે ચિકિત્સાની ગેરહાજરી છે અને પ્રગતિવાંછુને રસ્તામાં પડેલ ઠોકરે છે. સાચા આત્મમાર્ગને અનુસરનારમાં તે એટલી સાહજિકતા ઘટે કે એ પિતાની ભૂલ જુએ કે શરમાઈ જાય, આત્મસાખે ક્ષમા માગે, ઊઘાડી રીતે ખમતખામણા કરે, જાહેર રીતે માફી માગે અને સરળ ભાવે અંતરના ઊંડાણમાંથી ખેદ બતાવે. એટલે ભૂલને સ્વીકાર કરવો દેખીતી રીતે મુશ્કેલ લાગે તેવી બાબત હોવા છતાં જેની નજર અંતર આત્મા તરફ હય, જેને પિતાને વધારાની ખેવના અને ચીવટ હેય, દુન્યવી દષ્ટિ કરતાં જેની આંતરદષ્ટિ ખીલેલી હોય, તે તે સરળતાથી ભૂલને સ્વીકાર કરે અને એ સ્વીકારમાં રહેલા આનંદ અનુભવ કરે. ભૂલ સ્વીકારથી માણસ નબળે કે હલકો થતું નથી, જુલિક કે તુચ્છ ગણતો નથી. વીર બહાદુર હોય તે જ ભૂલનો સ્વીકાર કરી શકે છે અને તેવા સ્વીકારમાં જેને મેજ આવે તે સરળતાથી સંસાર તરી જાય છે, ઉમંગથી નાવને સાધ્ય સમીપ લઈ જાય છે અને પોતાને કલ્યાણકારી માર્ગ ખૂલનાના અંગી. કારમાં જ છે એમ સમજી જાય છે. # It is difficult to to do so. admit error but it pays Thoughts of the Great ::
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy