SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ નામાંકિત નાગરિક રસ્તાનું નામ નહોતું. વિક્રમની ઓગણીસમી સદીમાં ટ્રામવે નહેતી, રેલવે નહતી અને આકાશનૌકાનાં તે સ્વપ્નમાં પણ નહતાં. સામાન્ય વ્યવહાર ખટારાથી ચાલતે અને બહુ ધનવાન લોકે એક ઘેડાની બગી–ગાડી રાખતા. બે ઘડાની ગાડી તે કવચિત જ રહેતી. શીઘ્રયાન-સીગરામને ઉપગ ધનવાનખાનદાન મેટા કુટુંબમાં થતું હતું, તેને બે બળદ જોડવામાં આવતા હતા. વસ્તુ લાવવા લઈ જવા માટે ગાડા-ખટારાને ઉપયોગ થતું. રાત્રે સાધારણ દીવા થતા. વીજળી કે ગૅસની કલ્પના નહતી. રાત્રે મસાલ કે દીવીથી બહાર જવાતું હતું. લોકે રાત્રે બહાર બહુ અવરજવર કરતા જ નહોતા. માહીમના વિભાગમાં માત્ર વાડીઓ જ હતી. દાદર માટુંગામાં માત્ર ખેતરે જ હતા. બહાર કેટમાં ભૂલેશ્વર, ગીરગામ વસતા જતા હતા. છૂટીછવાઈ વસતી મઝગાંવ તથા પરેલમાં પણ હતી. કેટ વિભાગમાં યુરેપી અને અને સારી સ્થિતિને હિંદુઓ રહેતા હતા. કેટ વિભાગમાં સં. ૧૮૫૯ માં મેટી આગ લાગી ત્યારે કેટને પિણે ભાગ બળી ગયે. તે વખતે યુરેપીઅનેએ સરકાર પર દબાણ ચલાવી દેશી લેકે કેટ બહાર રહે તેવો હુકમ કરાવ્યું હતું, પણ પારસ અને જેના આગેવાન વેપારીએ લડત ચલાવી, લાગવગ વાપરી તે હુકમનો અમલ થવા દીધો નહોતે. આવા યુગમાં શેઠ મેતીશાહ સંવત ૧૮૭૦ ની એક સવારે તદ્દન એકલા થઈ ગયા અને ઘરમાં માત્ર પત્ની ઢીવાળીબાઈ
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy