SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મોતીશાહ ૩૫ ભરતી વખતે બેકના પાણી પૂર્વના જળ સાથે એકમેક થઈ જતા અને કલાબા અલગ પડી જતું હતું. વચ્ચેની ખાડી મારફત ભરતી વખતે કેટની ગાદીમાં આવી શકાતું હતું. ભરતી વખતે મુંબઈ અને કેલાબા વચ્ચેના ખડકે જળમાં ડૂબી જતા હતા. ઈ. સ. ૧૮૩૭ (સંવત ૧૮૯૩) સુધી કેલાબા અને કેટ વચ્ચે ખાડી હતી અને કેલા મછવામાં જવાને વહેવાર હતો. એપલને ધક્કો બંધાયા પછી ખાડીના પાણી ઓછા થવા લાગ્યા, છતાં પણ સને ૧૮૩૭માં સદર પૂલ બંધાય નહિ ત્યાં સુધી તે કેલાબા સાથે વ્યવહાર મછવાથી જ ચાલુ હતે. વિક્રમની ઓગણીસમી સદીમાં મુંબઈને દેખાવ કે હશે તેને આથી સહજ ખ્યાલ આવે છે. પૂલ બાંધવા પહેલાં ઘણી પૂરણી કરવામાં આવી હતી, એ વાત પણ નાંધવાલાયક છે. દેવળ મહોલ્લા (ચર્ચગેટ સ્કૂટ)ના દરવાજાની બહાર એક આટે દળવાની પવનચક્કી હતી. એ ચકકી ઈ. સ. ૧૭૨૫ માં ગોઠવાયેલી હતી અને તે પરથી તે ભાગના મેદાનનું નામ પવનચકકીનું મેદાન પડેલું હતું. અત્યારે જેને ઓવલનું મેદાન કહે છે તે અને તે ઉપરાંત બીજે વધારે ભાગ આ હશે એમ અનુમાન થાય છે. એ પવનચકકીની ચારે બાજુ વડનાં ઝાડે કપરખાનાથી માંડીને હતાં. રસ્તે કરવા માટે એ ઝાડે ધીમેધીમે કપાઈ ગયાં. અત્યારે જ્યાં ફાર્બસ કંપની ઐફિસ છે. ત્યાંથી એફીસ્ટન સર્કલ સુધી ભીંડીનાં ઝાડ હતાં અને ચેડાંક બીજા પણ
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy