SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૫ શેઠ મોતીશાહ છે “શી” એટલે સંઘના માણસેને પાળવાના નિયમોના છેલ્લા અક્ષરો “રી” માં આવે છે. એટલે એને છ “રી પાળવાનું નામ આપવામાં આવ્યું છે. છ“રનીચે પ્રમાણે છે – ૧ પાદચારી ૪ આવશ્યક દેય વારી ૨ ભયસંથારી ૫ નારીસંગનિવારી ૩ એકલઆહારી ૬ સચિત્ત પરિહારી ૧. પાદચારી એટલે પગે ચાલવું. ગાડી, ગાડું કે કઈ જાતના વાહનને ઉપયોગ ન કર, દરરોજ સવારના ત્રણ ગાઉ ચાર ગાઉ લગભગ ચાલવું, એ પ્રથમ “રી” છે. આમાં સ્થળ બાહ્ય–શારીરિક ત્યાગને મહત્ત્વ અપાય છે. ત્યાગ હમેશાં બાહ્યથી શરૂ થઈ ધીમે ધીમે માનસિક દશાએ જાય છે એ જાણીતી વાત છે. બાહ્ય ત્યાગ વગર અંતર ત્યાગ અશકય તે નથી, પણ દુશકય તે જરૂર છે અને રાજમાર્ગ તે બાહ્ય ત્યાગથી જ શરૂ કરવાનો છે. ૨. ભોંયસંથારી એટલે સંઘપ્રયાણ દરમ્યાન કેઈ જાતના પલંગ, ખાટલા, પાટ કે બાંકડાને ઉપયોગ ન કરતાં જમીન પર સૂવું. બની શકે તે એક ગરમ કામળી પર જ સૂવું અને તળાઈને પણ ઉપયોગ ન કરે. ખાટલા, પલંગને ત્યાગ તે ચેક્સ કરવાનો છે. આ પણ સ્થળ બાહ્ય ત્યાગને વિષય છે. સંઘપ્રયાણ દરમ્યાન ગિરિરાજને ભેટવા સુધી જમીન પર સૂવાને આ બીજો નિયમ છે અને તે બીજી “રી” કહેવાય છે. ૩. એકલઆહારી એટલે આખા દિવસમાં એક વખત સ્થિર આસને બેસી ભોજન કરી લેવું. એમાં સવારે ચા પીવાનો,
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy