SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ નામાંતિ નાગરિક એમણે જાળવી રાખી અને પિતાની ઈચ્છા પ્રમાણે તે હુકમ કરે તેને અમલ જાણે પોતે કરે છે એવું વાતાવરણ જમાવી દીધું. કઈ પણ વાત કરવી હોય ત્યારે તેને પાર પાડવાના વહેવારુ માર્ગો જરૂર હોય છે અને શોધવાથી તે મળી શકે છે, એને આ બાબતમાં સાક્ષાત્કાર થવા લાગે. સં. ૧૮૯૨ ની દિવાળી આસપાસમાં લીધેલ મુહૂતે સંઘ અને પ્રતિષ્ઠાનું કાર્ય પાર પાડવાનો નિર્ણય કરી નાખવામાં આવ્યું. આ પ્રમાણે નિર્ણય કરવામાં શેઠ મોતીશાહની ઈચ્છાને માન અપાતું હતું, તેમણે લીધેલ મુહૂર્ત ન ફેરવવા ખાસ ઈચ્છા જણાવી હતી અને ચાલુ વ્યવહારને આવા મેટા કામમાં આડે ન લાવવાની વાત પર સર્વેએ ભાર મૂક્યું હતું, શેઠ ખીમચંદભાઈમાં ધર્મશ્રદ્ધા અપરંપાર હતી અને શેઠાણ દિવાળીબાઈ લેકવ્યવહાર કરતાં પૂજ્ય મહ્મ પતિની આજ્ઞા પાળવાના મતનાં હતાં. એ નિર્ણય કરવામાં શેઠ ખીમચંદભાઈના બીજા સલાહકાર, શેઠ મોતીશાહના ખાસ સ્નેહીઓ અને જેનેતએ પણ સહકાર આપ્યો અને મેટાં કાર્યમાં દેવતાએને નેતરવાને વિધિ જાણીતા છે તે પ્રમાણે શેઠ મોતીશાહ દેવતાઓને નોતરવા ગયા છે એવી માન્યતાને પ્રાધાન્ય આપી, સંવત્ ૧૮૯૩ ના પિષ માસમાં સંઘ કાઢ અને મહા માસમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠાનાં કાર્યો કરવાને ઠરાવ કરવામાં આવ્યું. આ લીધેલ મુહૂર્તને માટે કોઈ સગાસંબધી સહજ ગણગણ કરવા લાગ્યા. તેમના મતે દિવાળીબાઈના ખૂણા દરમ્યાન
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy