SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મોતીશાહ ૧૮૫ છે તે ગણતરીમાં સાથે ગણવાના છે, સહસ્ત્રકૂટમાં નીચે પ્રમાણે તીર્થકરોનો સમાવેશ કરી અતીત, અનાગત અને વર્તમાન ૩૦ ચોવીશી, વિહરમાન મહાવિદેહના તીર્થકર વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યું છે, તે આ પ્રમાણે છે – ૭૨૦ પાંચ ભરત અને પાંચ ઐરાવત–એ દશ ક્ષેત્રની અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણ ત્રણ કાળની ૩૦ ચોવીશીના તીર્થકર ૭૨૦. ૧૬૦ ઉત્કૃષ્ટો કાળ જે અવસર્પિણમાં ચોથા આરાના મધ્યમાં અને ઉત્સર્પિણમાં ત્રીજા આરામાં મધ્યમાં આવે છે અને જ્યારે મનુષ્ય સંખ્યા સવિશેષ હોય છે ત્યારે પાંચ ભરત, પાંચ એરવતમાં એક એક તીર્થકર વિચરતા હોય અને પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયમાં દરેકમાં એક એક તીર્થકર વિચારતા હોય છે. ચાલુ વીશીમાં શ્રી અજિતનાથ ભગવાનને વારે એમ થયું હતું. વિહરમાન તીર્થકરો અત્યારે પાંચ મહાવિદેહમાં વિચરે છે તે. ૧૨૦ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના ૨૪ તીર્થકરેનાં પાંચ પાંચ કલ્યાણક-ઉત્પત્તિ(ચ્યવન), જન્મ, દીક્ષા, કૈવલ્યપ્રાપ્તિ અને મેક્ષગમનની ૧૨૦ મૂતિઓ. શરૂઆતના ૭૨૦ માં પણ એવેશ મૂર્તિઓ આવી ગઈ તે વર્તમાન ચોવીશીના ચાવીશ તીર્થકરની સિદ્ધાવસ્થાની સમજવી, જ્યારે આમાં પ્રત્યેકની પાંચ પાંચ આવે તે કલ્યાણકની સમજવી.
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy