SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મેતી શાહ ૧૭૧ (૨) મૂળનાયક આદિનાથના દેરાસરની બરાબર સામે પુંડરીક ગણધરનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ પુંડરીક ગણધરની મૂર્તિ આ આખા સિદ્ધાચલ પરની સર્વ મૂર્તિઓમાં કળાની નજરે અગ્રસ્થાન ભેગવે છે. એ પ્રતિમાજીમાં સૌમ્યતા, ભવ્યતા અને સરખાઈ અજબ રીતે ઓતપ્રત કરવામાં આવ્યા છે. એક કળાપ્રિય નિષ્ણાત જાતે જૈનેતર હોવા છતાં આ મૂર્તિ જોઈને આશ્ચર્ય પામી ગયા અને એણે જણાવ્યું કે–પોતે હજારો મૂર્તિઓ જોઈ છે, પણ આ મૂર્તિ સાથે સરખામણું ન થઈ શકે. એણે કહ્યું કે ખરેખર, એને ઘડનારે પિતાની અકકલ અને આવડતને પૂરે ઉપગ કર્યો છે. એ દેરાસરને પથાર ઘણે ઊંચો છે, પણ સ્થાપત્યના નિયમ અનુસાર છે. નિયમ એ છે કે–મૂળનાયકની નાસિકાને ઉપરનો ભાગ અને સામે પુંડરીકસ્વામીની નાસિકાને ઉપરને ભાગ બરાબર એક જ ભૂમિકા (લેવલ level) પર જોઈએ, એમાં એક દોરાવાને પણ ફેર પડી ન જોઈએ. એના માપ કેવી રીતે થયાં હશે અને લેવલ કેમ લેવાયું હશે તે તો આજે અગમ્ય પ્રશ્ન છે, પણ નાકના ટેરવાના લેવલમાં એક દેરાવાને પણ ફેરફાર નથી એ હકીકત છે. પુંડરીક ગણધર એ આદિનાથ ભગવાનના પૌત્ર થાય અને એમની મૂર્તિ બેસાડવી એ પણ જીવનનો લહાવો ગણાય છે. આ પુંડરીકસ્વામીના મંદિરમાં ૨૩ આરસની પ્રતિમાઓ છે અને રૂપા તથા ધાતુના ૩ અને ૪ બિંબે છે. (૩) મેતશાહ શેઠની ટુંકમાં પેસતાં ડાબી તરફ દક્ષિણ
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy