SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠે માતીશાહ ૧૧૭ દાવાદના બે આગેવાન જૈન એશવાળ કુટુંબે એક બીજાની સાથે ગાઢ સંબંધમાં આવ્યા અને મેા’કમભાઈની કુશળતા અને માતા સુરજબાની દક્ષતાની પ્રશંસા થઈ. લગ્નમાં બન્ને ખાનદાન કુટુંબને યાગ્ય ધામધુમ પણ સારી થઈ. મેાક્રમભાઈની નજર ઘણી લાંબી હતી. એમણે નજર માંડીને જોઇ લીધું હતું કે તે વખતે મુંબઈ શહેરમાં શેઠ મેાતીચંદ અમીચંદનું પુણ્ય અને પૂર જામતું જતુ હતુ. મુંબઇમાં રેશમ અને કીરમજ વેચવાની આડતનું કામ માતીશાહ શેઠને સાંપવામાં આવ્યું હતું. વ્યાપાર સંબંધે મા’કમભાઈ જોઈ શક્યા હતા કે શેઠ મેાતીચંદ સાકરચઢના સૂર્ય તપતા જતા હતા એટલે એમની સાથે એણે સંબધ વધારવા માંડ્યો અને મુંબઈ આવે ત્યારે અરસપરસ મળવા વિગેરે દ્વારા મહેમાનગીરી વધતી ચાલી. દરમ્યાન એમાં ઉગ્ર પ્રારબ્ધ, સાહસિકતા અને પુણ્ય-પ્રચુરતાને માક્રમભાઈ જોઇ શકયા. એમણે એક અજબ પ્રસંગના ઉપયાગ મેાતીશાહ શેઠ સાથે સંબંધ વધારવામાં કર્યાં. એ કિસ્સા ખાસ જાણવા જેવા છે. હકીકત એમ અની કે—સ`વત ૧૮૭૮ (બીજી નેાંધ પ્રમાણે સં. ૧૮૭૩) માં શેઠ હેમાભાઇએ અમદાવાદથી પાલીતાણાના સંઘ કાઢ્યો હતા તેમાં વાલી શેઠ મેાકમભાઈ અને તાજા વહીવટ કરનાર નાના શેઠ હઠીભાઈ સાથે હતા. તેમણે કાઠિયાવાડામાં ચારવાડ (માંગરાળ નજીક) મુકામે સĆઘ આવી પહાંચતા ત્યાં સંઘજમણુ શેઠ મેાતીશાહને નામે આપ્યું અને તે માટે પેાતાના પદરથી રૂપીઆ સાતેક હજારના ખર્ચ કર્યાં અને તે વાતની મેાતીશાહુ
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy