SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ વારા લેખ માતાને કેટલે પ્રેમ હોય છે આજના સંતાને મોટે ભાગે માતા-પિતાને ભૂલી જાય છે. જેનું હૃદય હર્ષનાં હિલોળે ચડ્યું છે તેવી માતા રૂક્ષમણીએ સિંહ કેશરીયા લાડુ તૈયાર કરાવ્યા. મારો લાડીલે નંદ આવશે ને બાપ દીકરે જમશે. હવે બીજી બાજુ પ્રધુમ્નકુમાર સત્યભામા પાસેથી નીકળી રૂકમણીના મહેલે આવ્યું. રૂક્ષ્મણ માતાના મહેલે પ્રધુમનકુમારનાં વિવિધ પરાક્રમ” મનહર રત્નજડિત હૃદયને ચમકાવે તે મહેલ જોઈને કુમારે વિદ્યાને પૂછયું કે આ કોને મહેલ છે? વિદ્યાએ કહ્યું હે કુમાર ! તારા વિગથી સોળ સોળ વર્ષથી ગૂરી રહેલી, તને મળવા તલપાપડ થઈ રહેલી ને જેના હૈયામાં આજે ઉમળકાને પાર નથી તેવી તમારી માતા, કૃષ્ણ વાસુદેવની પ્રિય પટ્ટરાણી, જૈન ધર્મની અત્યંત અનુરાગી, દેવ-ગુરૂ અને ધર્મ માટે પ્રાણ આપનારી વહાલસોયી માતા રૂક્ષમણીને આ મહેલ છે. આમ સાંભળતાં પ્રદ્યુમ્નને થયું કે લાવ ત્યારે જૈન મુનિને વેશ પહેરું. ના... ના.એ વેશ પહેર્યા પછી તે ઉતારાય નહિ ને મારે તે હજુ પરણવું છે. (હસાહસ) પ્રદ્યુમ્નકુમારની વિચારધારાથી વિદ્યાએ તેને સાધુને વેશ પહેરાવી દીધું. આથી પ્રધુમ્નકુમાર ચમક. વિદ્યાએ કહ્યું તારી માતા સિવાય તને કેાઈ સાધુ વેશમાં જઈ શકશે નહિ. માટે તું ચિંતા ન કરીશ. હવે જેના હાથમાં રજોહરણ, મુખે મુહપતિ ને હાથમાં ગૌચરીના પાતરા એવા બાલમુનિ રૂકમણીના મહેલમાં પધાર્યા. રૂક્ષમણીના હર્ષને પાર નથી. સામી જઈને તેણે મુનિને વંદન કર્યા, મુનિરાજ બેલ્યા “ધર્મલાભ” (હસાહસ) રૂકમણી એકદમ હરખાઈ ગઈ. અહો ! આજે મારે લાડીલો પુત્ર આવવાને છે. તેમાં આવા પવિત્ર મુનિરાજ પધાર્યા. ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય! કે આજે મારા મંગલમાં મુનિરાજ પધારવાથી વધુ મંગલ બન્યું. મુનિ કહે છે માતા ! મને ભિક્ષા આપે. હું ઘણે દૂરદૂરથી ઉગ્ર વિહાર કરીને આવ્યો છું. મને ખૂબ ભૂખ અને થાક લાગે છે. માટે જલ્દી વહોરાવો. આમ કહીને કૃણુ વાસુદેવના સિંહાસન ઉપર જઈને બેસી ગયા. આ જોઈને રૂકમણીને ખૂબ આશ્ચર્ય થયું. એ જૈન ધર્મની પૂરી જાણકાર હતી તેથી તેના મનમાં થયું કે અહો ! જૈન મુનિ કરી સિંહાસન ઉપર બેસે નહિ પણ આ બાળમુનિ છે. કદાચ બાળક બુદ્ધિથી બેસી ગયા હશે. એમ વિચારી રૂકમણી કહે છે હે મહારાજ ! આ સિંહાસન દેવાધિષ્ઠિત છે એટલે તેના ઉપર તે કૃષ્ણ વાસુદેવ અગર તેમના પુત્ર બેસવાને હકદાર છે. બીજા કે તેને ઉપર બેસી શકે નહિ. તેમાં પણ આપ તે જૈનમુનિ છે એટલે આપનાથી તો આવા સોનાના સિંહાસને બેસાય નહિ. માટે આપ બીજા આસન ઉપર બેસો. આ રીતે ખૂબ નમ્રતાપૂર્વક રૂકમણીએ કહ્યું ત્યારે બાલમુનિએ કહ્યું કે શ્રાવિકા ! તું મારી ચિંતા કરીશ નહિ, કે આ દેવાધિષ્ઠિત હરિના સિંહાસન ઉપર મુનિ બેસી ગયા છે તે દેવ એના ઉપર કપાયમાન થશે ને એમનું શું થશે ? એવી મારી ચિંતા ન
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy