SearchBrowseAboutContactDonate
Page Preview
Page 887
Loading...
Download File
Download File
Page Text
________________ 202 શારદા શિખર તેને મળી હતી, પણ અહંકાર રૂપી વિષધર નાગ તેના હૃદયમાં ફેણ માંડીને બેઠે હતા. આપણે દરરાજ પ્રતિક્રમણમાં આઠ પ્રકારનાં મદનાં નામ ખાલીએ છીએ. આઠ મઢમાં એક પણ મદનું સેવન આત્મિક ગુણાને નષ્ટ કરી દે છે. ત્યારે રાવણમાં તે આઠે આઠ મદ હતાં. એટલે તેની દશા કેવી થઈ ? કહેવાય છે કે રાવણુની પાસે ૮૦ કાડ હાથી હતાં. દશ અમજ ઘેાડા હતાં. પચાસ ક્રોડ ચેાા હતા. ૧૮ ક્રોડ પાયદળ સૈન્ય, એક હજાર છસા સામંતા, એક હજાર પંદર રાજાઓ તેને આધીન હતા. આ અધા સદા તેમની સેવામાં હાજર રહેતા હતા. આટલી સંપત્તિ, સત્તા અને સૈન્યને સ્વામી રાવણુ મરણ પામ્યા ત્યારે હાહાકાર ના થયા. તેનું મૂળ કારણુ અભિમાન. સીતાને તે હરણ કરીને ઉઠાવી ગયા અને રામ લક્ષ્મણ લંકામાં પહેાંચ્યાને રાવણુને કહેવડાવ્યું કે સીતાને પાછી આપી દે। નહિતર યુધ્ધ કરવા તૈયાર થા. આ સમયે રાવણુના મનમાં એવા વિચાર તે જરૂર આવ્યેા કે જો હું સીતાને પ્રેમથી પાછી આપીશ તા મારે રામ સાથે મિત્રતા બંધાશે એ પવિત્ર પુરૂષ છે. મારી સાથે વર રાખે તેવાં નથી. તે સિવાય સીતાજી એના વ્રતમાં એવી દૃઢ છે કે તે ત્રણ કાળમાં મારી થવાની નથી. આ બધી વાત સાચી છે. નાના ભાઈ વિભીષણે પણ તેને ખૂબ સમજાવ્યેા પણ અંદર બેઠેલા અભિમાન રૂપી સકુંફાડા મારીને કહે છે જો જો સીતાને પાછી આપવા જતા ! સામેથી પાછી આપવા જઇશ તે લેાકે એમ કહેશે કે રાવણુમાં યુધ્ધ કરવાની તાકાત નથી એટલે સીતાને સેાંપી દીધી. આમ તું કાયરમાં ખપી જઈશ. આવા અભિમાનના કારણે રાવણે સીતાજીને રામને સેાંપ્યા નહિ. તેનુ પરિણામ એ આવ્યું કે રામ અને રાવણુ વચ્ચે ભીષણુયુધ્ધ થયું. લાખા માણસા મરાયા ને છેવટે રાવણના પણ વિનાશ થયા. તેના કુળનેા પણ વિનાશ થયે. આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે અભિમાન એ સદૂગુણ્ણાના શત્રુ છે. તેને હટાવ્યા વિના સરળતા, પવિત્રતા, વિનય, કરૂણા, સહિષ્ણુતા આદિ સદ્ગુણ્ણાની પ્રાપ્તિ થતી નથી. જૈન શાસ્ત્રોમાં વિનય, નમ્રતા આદિ ગુણ્ણાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. “ વિળયાનો નાળ, નાળકો સળં, સાબો ચળ, પાત્રો મેળવે । → વિનયથી જ્ઞાન આવે છે. નાનથી જીવ અજીવના એધ થાય છે. તે મેધ થવાથી તેના ઉપર શ્રધ્ધા થાય છે એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે ને સમ્યારિત્રથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે વિનય એ સૈાથી માટેા સદ્ગુણ છે. એ એક ગુણ જીવનમાં હાય તે તેની પાછળ ખીજા સે’કડા ગુણેા આવે છે. માણસ સિધ્ધાંત ભણ્યા હાય ખીજુ પણ જ્ઞાન મેળળ્યુ... હાય પણ જો તેનામાં અભિમાન રૂપી માટા દુÖણુ હોય તે તેની બધી વિદ્વતા ઉપર પાણી ફરી વળે છે. એને લાખા માણુસે! ભલે ખમ્મા ખમ્મા કરતા હોય પણ મહાનતા તેનાથી લાખા ગાઉ દૂર ભાગે છે. અભિમાન ઉપર એક રૂપક છે,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy