SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ વારા શિખર તેમને માટે માંગ કરવા દૂત કલ્યા. કુણાલ દેશમાં રૂકમી નામને ન્યાય, નીતિ સંપન્ન, પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. તે “તત વિર પુકા ધારિપ જેવી સુષનામું વરિયા દોથા ” રૂકિમ રાજાને ધારિણી નામની રાણી હતી. તેને સુબાહુ નામની પુત્રી હતી. ધારિણી દેવીના ગર્ભથી તેને જન્મ થયો હતે. તે સુબાહુ કુમારીને હાથ પગ ખૂબ સુકોમળ હતા. તે રૂપ, આકૃતિ, યૌવન, તેમજ લાવણ્ય બધામાં સુંદર ગણાતી હતી. તેથી તે ખૂબ સુંદર અંગવાળી અને સ્ત્રી સબંધી બધા ગુણેથી યુક્ત હતી. એટલે કે સ્ત્રીમાં જેટલા ગુણે હેવાં જોઈએ તે બધા સુબાહુ કુમારીમાં હતા, "तीसेण सुबाहु दारियाप अन्नया चाउम्मासिय भग्गणए जाए यावि होत्था।" એક દિવસ સુબાહ પુત્રીને ચાતુર્માસિક સ્નાન મહોત્સવને દિવસ આવ્યા. આ સુબાહકુમારી ભણી ગણીને યુવાન થઈ ત્યારે ચાતુર્માસના દિવસમાં એક પવિત્ર દિવસે તેને નાન મહોત્સવ ઉજવવાનું મન થયું. રાજાની રાણીઓ અને તેમની કુંવરીઓને બહાર નીકળવાનું ન હોય. તેમને તે ઓઝલમાં રહેવાનું હોય છે. એટલે તેમને ક્યારેક બહાર નાન કરવા જવાનું મન થાય છે. કેશલનરેશની રાણી કરૂણાદેવીને એક વખત નદીમાં સ્નાન કરવા જવાનું મન થયું. એટલે તેણે રાજાને વાત કરી. રાજાએ જવાની આજ્ઞા આપી તેથી જળક્રીડે કરવા જવા માટે દિવસ નકકી કર્યો. આ તે મહારાણી સાહેબ જવાના એટલે કેશલનરેશે આખા ગામમાં જાહેરાત કરાવી કે આવતી કાલે અગિયાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી કેઈએ નદી કિનારે ફરવા જવું નહિ, અને નદી કિનારે ઝુંપડાવાસીઓએ અગિયારથી ત્રણ વાગ્યા સુધી ઝુંપડા બંધ કરીને બહાર ચાલ્યા જવું. આ રીતે રાજાની જાહેરાત થવાથી નદી કિનારે વસતા ઝુંપડાવાસીઓ અગિયાર વાગતાં પહેલાં ત્યાંથી ચાલ્યા ગયા. બીજા ફરવા આવનાર પણ આવતાં બંધ થયા. એટલે રાણી તેની દાસીઓની સાથે સનાન કરવા માટે નદી કિનારે આવ્યા. નદીમાં સ્નાન કરી બહાર નીકળ્યા. તેથી ઠંડી લાગતાં ગરીબના ઝુંપડાઓ જલાવીને ગરમી લીધી. રાણીપણાની સત્તાથી ગરીબના ઝુંપડા બાળી નાંખ્યા. કયાં ભાન છે કે ગરીબની શી દશા થશે? રાણી સાહેબ તે બંગલે ચાલ્યા ગયા. હવે ત્રણ વાગે ગરીબે આવ્યા ને પોતાના ઝુંપડા બળેલા જોઈ કાળે કલ્પાંત કરવા લાગ્યા. અરેરે.... ભગવાન! હવે અમે ક્યાં જશું? બંધુઓ ! સત્તાધીશેને સત્તાની ખુમારીમાં ને ધનવાનને ધનની ખુમારીમાં ખબર નથી પડતી કે ગરીબની શી દશા થશે ? ગરીબાઈનાં દુઃખ તે જે અનુભવે તે જાણે છે. ગરીબને મન એની ઝુંપડી એ મહેલ છે. એમના સામાન સહિત ઝુંપડા બળી ગયા તેથી તેમને કેવું દુઃખ લાગ્યું હશે? નિરાધાર બનીને બેઠેલાં ઝુંપડાવાસીએ કાળે કલ્પાંત કરે છે કે આપણાં ઝુંપડા કેણે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy