SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર તેના ત્રણ વર્ષના બાબાને મૂકીને ગુજરી ગયે. એટલે કરોડની મિલ્કતને માલિક તે ત્રણ વર્ષને બાબ છે ને? તે કરેડની મિલ્કતને માલિક હોવા છતાં તેને વહીવટ સોંપવામાં આવતું નથી કારણ કે બાળકને મિલકતની કિંમત સમજાઈ નથી. એટલે તેને કઈ કહે કે હું તને બરફીનું પેકેટ આપું તું મને દાગીને આપી દે તે તે આપવા તૈયાર થઈ જાય છે. કારણ કે મિલકતની કિંમત તેને સમજાઈ નથી. એટલે બાળક બાપુની મિલ્કતને માલિક છે પણ જ્યાં સુધી મિક્તની કિંમત સમજતો નથી ત્યાં સુધી માલિક હોવા છતાં તેને વહીવટ મેંપવામાં આવતું નથી. તેથી કઈ પણ ચીજ સંપતા પહેલાં તેનામાં સદુપયોગ, દુરૂપયોગ એ સમજવાની કે તેનાં ફાયદા કે નુકશાન સમજવાની તાકાત આવી છે કે નહિ તે વિચારવું જોઈએ. જ્યાં સુધી કરે મટે ન થાય ત્યાં સુધી તેની મિલકતને વહીવટ તેના ટ્રસ્ટીઓ સંભાળે છે. માટે થયા પછી યોગ્યતા હોય તે બધા વહીવટ મેંપી દે છે. • બીજો એક ન્યાય આપું. તમારે એકને એક દીકરે છે ને પાસે કરોડની મિલક્ત છે. તમે તમારા દીકરાને તમારી મીતને હક્કદાર માને છે કે નહિ? તમારો દીકરે ભવિષ્યમાં તમારી મિલ્કતને હક્કદાર તે ખરે ને ? બેલે તે ખરા. “હા”. તમારે દીકરે તમારી મિલ્કતને હક્કદાર છે છતાં તમે તેને પાંચ રૂપિયાના દસ્તાવેજ ઉપર સહી કરવાનો હક્ક આપે છે? “ ના”. એ દિકરે બિમાર થઈ જાય તો તેને સાજે કરવા માટે, તેને ભણાવવા માટે તમે હજાર રૂપિયાનો ખર્ચ કરી નાખે છે પણ તમે તેને પાંચ રૂપિયાના દસ્તાવેજ ઉપર સહી કરવાને હક્ક આપતાં નથી. તેનું કારણ શું? તેનું એક જ કારણ છે કે બાળકમાં હજુ સમજણ નથી ત્યાં સુધી તેને કેઈ છેતરીને દસ્તાવેજ ઉપર સહી કરાવશે તે પણ કરી દેશે. પણ સમજણ થશે ત્યારે સહી કરતાં પહેલાં એ તપાસ કરશે કે આ શેને દસ્તાવેજ છે. સમજણ વિના ગમે ત્યાં તે વિચાર્યા વગર સહી કરી દે છે એટલે મિલકતને હકકદાર હોવા છતાં વહીવટ કરવાની સત્તા સમજણ વિના મળતી નથી. આ જ રીતે વીતરાગ પ્રભુના પ્રરૂપેલાં આગમની અમૂલ્ય પેટી મળી છે પણ તેની કિંમત જીવને સમજાતી નથી ત્યાં સુધી તેને તે માલીક બની શકતા નથી. વીતરાગી સંતે તેના ટ્રસ્ટી બનીને વહીવટ સંભાળે છે. અને જે આત્મામાં તેને ગ્રહણ કરવાની યોગ્યતાલાયક્ત દેખાય છે તેને તે આપે છે. લાયકાતવાળો જીવ તેનું વાંચન, મનન કરી તે અનુસાર આચરણ કરી જન્મ-મરણની સાંકળ તેડી મોક્ષમાં જાય છે. આવી વીતરાગની વાણીમાં તાકાત છે. મલ્લીનાથ ભગવાનનો અધિકાર ચાલે છે. મલ્લીકુમારીનું રૂપ, સૌંદર્ય અલૌકિક છે. જેમનું નામ સાંભળીને બન્ને રાજાએ તેમને પરણવા માટે તૈયાર થયાં. અને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy