SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૬ શારદા શિખર ગુણગ્રાહકતા અને બીજું નીચ યુધથી દૂર રહેવું. કદી નીચે યુદ્ધ કરવું નહિ. કૃષ્ણ વાસુદેવની ગુણગ્રાહકતા જેવા માટે દેવ સડેલી કૂતરીનું રૂપ લઈને આવ્યા હતું. ત્યારે કૃષ્ણ બીજું કાંઈ ન જોતાં તે કૂતરીની બત્રીસી કેવી સુંદર છે તે જોયું. આ દષ્ટાંત તે તમે ઘણીવાર સાંભળી ગયા છે તેથી વિશેષ નથી કહેતી. બીજે ગુણ નીચ યુધથી દૂર રહેવું. તે માટે દેવે કેવી કસોટી કરી છે! દેવ મનુષ્યના રૂપમાં મૃત્યુ લેકમાં આવ્યું. અને કૃષ્ણ વાસુદેવને એક વહાલ ઘડો લઈને ભાગી ગયે. સૈનિકે તેમની પાછળ દેયા. પણ તે કેઈના હાથમાં આવ્યા નહિ. ત્યારે ખુદ કૃષ્ણ વાસુદેવ ઘોડે છેડાવવા માટે ગયા ત્યારે મનુષ્યના રૂપમાં રહેલો દેવ છે કે તમે મારી સાથે યુદધ કરીને ઘડે લઈ જઈ શકે છે. જે જીતે તેને ઘડે.” ત્યારે કૃષ્ણ કહ્યું –ભાઈ ! મલ્લયુધ્ધ, મુષ્ટિયુધ્ધ, દષ્ટિયુદ્ધ આદિ યુધનાં ઘણાં પ્રકાર છે. આ બધા યુધ્ધમાં તમારે કયા પ્રકારનું યુદ્ધ કરવું છે ? ત્યારે દેવે કહ્યું કે મારે એવું કેઈ યુધ્ધ કરવું નથી. મારે તે પીઠ યુદ્ધ કરવું છે. હું ને તમે બંને પીઠથી લડીએ. ત્યારે કૃષ્ણ કહ્યું કે આવું નીચ યુદ્ધ કરવું તે રાજનીતિ વિરૂધ્ધ છે. તારે બીજું યુધ્ધ કરવું હોય તે કરવા તૈયાર છું પણ આવું નિર્લજ યુદ્ધ કરીને ઘડે પાછો મેળવવાનું હું પસંદ કરતા નથી. ખુશીથી તમે ઘેડ લઈ લે. - ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવ ઘેડો જ કરવા તૈયાર થયા પણ નીચ યુદ્ધ કરવાનું પસંદ ન કર્યું. ઘેડે જતો કર્યો. આજે તે બે ભાઈના મઝીયારા વહેંચાતા હોય ત્યારે એક માતાની કુંખે જન્મેલા ભાઈ ભાઈ એક નાનકડી ચીજ જતી કરવા તૈયાર થતાં નથી. કેટે ચઢે, વકીલનાં ખિસ્સાં ભરે પણ નાના ભાઈને આપે નહિ. જતું કરવા શીખે તે તેને સંસાર સ્વર્ગ સમાન બની જાય. કૃષ્ણએ દેવને કહ્યું કે ઘેડે ભલે જાય પણ મારે એવું નીચ યુદ્ધ કરવું નથી. કૃષ્ણની વાત સાંભળીને દેવે મનુષ્યનું રૂપ છોડી અસલ રૂપ ધારણ કરી કૃષ્ણનાં ચરણમાં પડી ગયો ને કહ્યું–દેવસભામાં ઈન્દ્ર મહારાજાએ આપના બે ગુણોની ખૂબ પ્રશંસા કરી હિતી. તેની પરીક્ષા કરવા માટે મેં સડેલી કૂતરીનું રૂપ ધારણ કર્યું હતું ને આજે મનુષ્યના રૂપમાં આવ્યો. આપનામાં બંને ગુણે વિશિષ્ટ છે તે મેં પ્રત્યક્ષ જોઈ લીધું. એમ કહી કૃષ્ણની દેવે ખૂબ પ્રશંસા કરી અને એક દિવ્ય ભેરી ભેટ આપીને કહ્યું આ ભેરી છ મહિના પછી વગાડજો. એમાં એવી શકિત છે કે ત્યાં સુધી આ ભેરીનો અવાજ સંભળાશે ત્યાં સુધીમાં વસતાં માણસોનાં મરકી જેવાં ભંયકરમાં ભયંકર રેગે ચાલ્યા જશે અને છ મહિના સુધી ફરીને કેઈ ને રેગ ફેલાશે નહિ. જે મનુષ્ય આ ભેરીને અવાજ સાંભળશે તેને ગમે તે અસાધ્ય
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy