SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ હ૭૫ શારદા શિખર ધર્મને ત્યાગ કરે છે તેને આત્મા કર્મોનાં ભારથી ભારે બની જાય છે, અને ઘણાં કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. જે વ્યક્તિ ધર્મ માર્ગ ઉપર દઢતાથી ચાલે છે તે મહાન પુરૂષ કર્મની નિર્જરા કરી આત્માને પરમાત્મા બનાવી સદાને માટે કષ્ટોથી મુકત બની જાય છે. એ મહાન પુરૂષના જીવનમાં આજના મનુષ્ય જેવી અસંતોષ વૃત્તિ, અશાંતિ, અને વ્યાકુળતા ન હતી. ધનને માટે તેઓ હાય..હાય કરતાં ન હતાં. ધર્મ પ્રત્યેની શ્રધ્ધા હોવાથી તેમની તૃષ્ણા ઉપર અંકુશ હેાય છે. તેમને ધર્મ પ્રત્યે જેટલી સ્ત્રી હોય છે તેટલી ધન પ્રત્યે નથી લેતી. એ મહાન પુરૂષે સમજતાં હતાં કે સુખ અને દુખ એ તે પિતાનાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ છે. જીવે પૂર્વ ભવમાં પુણ્યને સંચય કર્યો હોય તે આ ભવમાં નિરોગી શરીર, સંપત્તિ અને સંસાર સુખનાં સાધનની પ્રાપ્તિ થાય છે. અને જે પૂર્વનું પુણ્ય ન હોય તે કટિ પ્રયત્ન કરવાં છતાં પણ સુખ કે સુખનાં સાધને મળતાં નથી. આવું સમજીને આ મનુષ્ય ભવમાં જે કાંઈ સાધન સામગ્રી મળી છે તે પિતાનાં કર્માનુસાર મળી છે તેમ સમજીને સંતેષ રાખી બને તેટલાં શુભ કર્મોને સંચય કરે ઈ એ. આવા ભાવ કયારે આવે ? જ્યારે જીવનમાં ધર્મ તાણાવાણાની જેમ વણાઈ જાય અને ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં ધર્મના માર્ગથી વિચલિત ન થાય ત્યારે. મનુષ્યને એવો દઢ વિશ્વાસ હવે જોઈએ કે ધર્મના માર્ગે ચાલવાથી કયારે પણ મારા આત્માનું અહિત થવાનું નથી. કદાચ દુઃખ આવી જાય તો તે મારા કર્મોને ઉદય છે. અરહનક શ્રાવક શ્રદધામાં દઢ રહ્યા તે ધર્મએ તેનું રક્ષણ કર્યું. જે દેવ કસોટી કરવા માટે આવ્યા હતા તે દેવ તેના ચરણમાં મૂકી પડે. અને દઢધર્મી શ્રાવકને આવું કટ આપ્યું તેને પશ્ચાતાપ થયે. તેણે કહી દીધું કે શકેન્દ્ર મહારાજે પહેલા સૌધર્મ નામના દેવલોકમાં સૌધર્માવલંસક નામના વિમાનમાં ઘણાં દેવોની વચ્ચે આપના ગુણની પ્રશંસા કરી તે મારાથી સહન ન થઈ. તેથી હું તમારી કસોટી કરવા માટે આવ્યા. એક વાત નક્કી છે કે જે ઈર્ષ્યા કરે છે તેને પહેલાં બળવું પડે છે. દિવાસળી બીજાને બાળે છે તે પહેલાં પિતાને બળવું પડે છે. દેવને અરહન્તકના ગુણોની પ્રશંસા સહન ન થઈ તે તેને પિતાનું દેવ સિંહાસન છોડી, પોતાનું દિવ્ય શરીર છેડીને જ્યાં માથું ફાટી જાય તેવી દુર્ગધ આવે છે તેવા મૃત્યુલોકમાં આવવું પડયું. બિહામણું પિશાચનું રૂપ ધારણ કરવું પડયું ને બે આંગળી વડે વહાણ ઉંચકવાનું કષ્ટ વેઠવું પડયું. આ અદેખાઈનું કારણ કે બીજું કંઈ ? એક વખત કેન્દ્ર મહારાજે પિતાની પરિષદમાં દેવ-દેવીઓની વચમાં કૃષ્ણવાસુદેવની મુક્ત કંઠે પ્રશંસા કરી કે તેમનામાં બે મુખ્ય ગુણ છે. તે એક તે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy