SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ શારદા શિખર આપ્યા. અને કહ્યું કે આ તલવાર શત્રુનાશક છે. આને યુધ્ધમાં સાથે રાખશે તે ક્યારે પણ તમારે પરાજ્ય નહિ થાય. આમ કહી તેના ચરણમાં પડીને કહ્યું કે હું આપનો સેવક છું. હવે પ્રદ્યુમ્નકુમાર અલૌકિક છત્ર, બે ચામર, શત્રુ વિનાશક તલવાર બધું લઈને બહાર આવ્યું. આ જોઈને તેના ભાઈઓને ખૂબ દુઃખ થયું કે આ તે કઈ રીતે મરતે નથી. કોણ જાણે એને માટે તે પથ્થર પણ કુલ બની જાય છે. એના ભાઈઓએ વિચાર કર્યો કે દેવ, દેવી, વ્યંતર, અસુરે વિગેરે આરાધનાથી પ્રસન્ન થાય છે પણ નાગકુમાર ખૂબ ક્રોધી હોય છે. માટે આને નાગગુફામાં લઈ જઈએ તે તેનું મૃત્યુ થશે. ત્રીજી ગુફામાં ત્રીજો લાભ આત્મરક્ષક વિદ્યા -તેને મારી નાંખવા માટે વિદ્યાધર પુત્ર પ્રદ્યુમ્નકુમારને નાગગુફા તરફ લઈને આવ્યા. ત્યાં આવીને વમુખ કહ્યું–ભાઈએ ! જે આ ગુફામાં પ્રવેશ કરશે તેને ઈચ્છિત અર્થની પ્રાપ્તિ થશે. માટે હું અર્થની પ્રાપ્તિ માટે જાઉં છું. ત્યારે પ્રધુમનકુમારે કહ્યું-કે મટાભાઈ! તમે રહેવા દે. હું જાઉં છું. એણે તરત હા પાડી દીધી એટલે પ્રદ્યુમ્નકુમાર અંદર ગયે. એટલે કુંફાડા મારતાં સર્ષો બહાર નીકળ્યા. પ્રદ્યુમ્નકુમારે વિદ્યાના પ્રભાવથી વિષવેદની માફક તેને વશ કરી લીધા. તેની વિદ્યાનો પ્રભાવ અને પરાક્રમ જોઈને નાગ પ્રસન્ન થયા. અને કિંમતી દૈવી વસ્ત્રાભૂષણે તેમજ સિન્યનું રક્ષણ કરનારી અને આત્મરક્ષણ કરનારી બે વિદ્યાએ ભેટ આપી. આ બધું લઈને પ્રધુમ્નકુમાર બહાર આવ્યા. આ જોઈને તેના ભાઈઓનાં મુખ ફિકકાં પડી ગયા ને ખૂબ ચિંતાતુર બનીને વિચાર કરવા લાગ્યા કે આ દુષ્ટ કઈ રીતે મરતો નથી. જ્યાં જાય છે ત્યાં ઈચ્છિત ચીજો મેળવીને પાછો આવે છે. હવે તેને માટે કેવી રીતે ? તે માટે રસ્તે શેધે છે. હવે પ્રદ્યુમ્નકુમારનું શું થશે ને તેના ભાઈએ હજુ કેવી મુશ્કેલીમાં મૂકશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૭૭ ભાદરવા વદ અમાસને ગુરૂવાર તા. ૨૩-૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! આગમની વાણીની પ્રરૂપણ કરનાર તીર્થકર હતા. તીર્થકર ભગવંતોને કેવળજ્ઞાન થયાં પછી તીર્થની સ્થાપના કરે છે. જેનાથી તરી શકાય તે તીર્થ કહેવાય. આ તીર્થ ચાર છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ ચારની એકતાને સંધ કહેવામાં આવે છે. તેમાં સાધુ કરતાં સાધ્વીઓની અને શ્રાવક કરતાં શ્રાવિકાઓની
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy